ગિરનારનો મુદ્દો છોડી દેવા માટે મને 500 કરોડની ઓફર થયેલી,મહેશગીરીનો ધડાકો

ભાવનગરના પાલિતાણામાં યોજાયેલી ધર્મસભામાં જૂનાગઢ ગુરુ દત્તાત્રેય મહંત મહેશગીરીએ એક નિવેદન કરીને વિવાદનો મધપુડો છંછેડી દીધો છે.મહંતે કહ્યું હતુ કે, જૂનાગઢનો વિષય છોડી દેવા માટે મને 500 કરોડ રૂપિયાની ઓફર થયેલી. જો કે તેમણે ઓફર કોણે કરી હતી? તે વિશે કોઇ ફોડ પાડ્યો નહોતો. આ ઉપરાંત મહંત મહેશગીરીએ જૈન સમાજ પર પણ નિશાન સાધ્યું હતું.

પાલિતાણામાં મંગળવારે વૈદિક સનાતન ધર્મ ગૌરવ સમિતિ દ્રારા ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સભામાં મહંત મહેશગીરીએ નિવેદન આપ્યું કે જૂનાગઢનો વિષય છોડી દેવા માટે મને 500 કરોડ રૂપિયાની ઓફર થયેલી હતી. તેમણે કહ્યું કે જ્યારે સનાતન જાગે છે ત્યારે પૈસા ગૌણ થઇ જાય છે. તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે.

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી અનેત વિવાદો ઉભા થઇ રહ્યા છે. સાળંગપુર મંદિરનો વિવાદ હોય કે ગિરનાર પર દત્તાત્રેયનો વિવાદ હોય, સનાતન ધર્મના સંતો મંહતો ધર્મસભા યોજીને સનાતન ધર્મની સુરક્ષા વિશે ચર્ચા કરી રહ્યા છે. પાલિતાણામાં દ્રારકાપીઠ શંકરાચાર્યની ઉપસ્થિતિમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાં અને સંતો મહંતો હાજર રહ્યા હતા.

પાલિતાણાના શેત્રુંજ્ય ડુંગર પર આવેલા નિલકંઠ મહાદેવ મંદિર અને જૈનાના વિવાદ વચ્ચે મહંત મહેશગીરીએ કહ્યું હતું કે, જૈન સમાજના લોકો હિંદુ મંદિરો પર દાવા કરી રહ્યા છે. જૈનો મહારાષ્ટ્રના લક્ષ્મી મંદિરને અને તિરુપતિ બાલાજી મંદિરને પણ જૈનાના મંદિર તરીકે ગણાવે છે. તેમણે જૂનાગઢ દત્તાત્રેય વિવાદ વિશે કહ્યું હતું કે, મૂળ વિવાદ આઝાદી કાળથી ચાલી રહ્યો છે. જેમાં હિંદુ સમાજ અને સંતો ભગવાન દત્તાત્રેયની ચરણપાદુકા તરીકે ગિરનારની ટોચ પર રહેલા સ્થાનકની પૂજા કરે છે. જ્યારે જૈન સમાજ દાવો કરે છે કે એ ચરણપાદુકા ભગવાન દત્તાત્રેયની નહીં, પરંતુ તેમના તીર્થંકંર નેમિનાથ ભગવાનની છે. આ મામલો હાઇકોર્ટમા પણ વર્ષોથી ચાલી રહ્યા છે.

તાજેતરમાં ગિરનારના દત્તાત્રેય શિખર પર વિવાદ ઉભો થયો હતો. એવો આરોપ છે કે દત્તાત્રેય ભગવાનની ચરણપાદુકા ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જો કે જૈન સમાજે એવો દાવો કર્યો હતો કે અમને દર્શન કરતા અટકાવવામાં આવ્યા હતા.

About The Author

Related Posts

Top News

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં પ્રયાગરાજ-કાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 પર એક ટ્રક ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી. ડ્રાઈવર અને હેલ્પર ગંભીર...
National 
માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.