જિંદગીમાં કઇંક મોટું કરવું છે તો સંગત સારી રાખવી પડશે: સાધ્વી જયા કિશોરી

કથાકાર, ભજન ગાયિકા અને મોટીવેશનલ સ્પીકર તરીકે દેશ અને દુનિયામાં જાણીતા બનેલા જયા કિશોરીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે તમારી જિંદગી બદલી શકે છે. આ વીડિયોમાં સાધ્વી કહી રહ્યા છે કે જો તમારે જિંદગીમાં કઇંક સારું કરવું છે, કઇંક મોટું કરવું છે તો તમારે સંગત સારી રાખવી પડશે.

સાધ્વી જયા કિશોરી જ્યારે સ્ટેજ પરથી કૃષ્ણની વાત કરતા હોય તે ભગવાન રામ વિશે બોલતા હોય ત્યારે તેમના ચહેરા પર તેજસ્વીતાનો ભાવ દેખાય છે. માત્ર 9 વર્ષની ઉંમરે આધ્યાતમિક્તા સાથે જોડાયેલા સાધ્વી જયા કિશોરી આજે દેશ અને દુનિયાભરમાં તો જાણીતા જ છે, પરંતુ સોશિયલ મીડિયા પર પણ તેમના જબરદસ્ત ફોલોઅર્સ છે.

તેમની વાતમાં હમેંશા પોઝિટીવિટી જોવા મળે છે. ક્યારે પણ તેઓ નેગેટીવ વાત કરતા નથી. સાધ્વી એવી વાતો કરે છે જે શ્રોતાઓની જિંદગીમાં સકારાત્મકતા લાવી શકે છે, તેમની જિંદગીમાં ખુશી અને એનર્જિનો સંચાર થઇ શકે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સાધ્વી જયા કિશોરી એકદમ પ્રસન્ન ચહેરા સાથે પ્રેરણાત્મક વાત કરીને કહી રહ્યા છે કે, જો તમારે ખરેખર જિંદગીમાં કઇંક સારું કરવું છે, કઇંક મોટા સપના જોવા છે, કઇંક મોટું કરવું છે તો તમારે સંગત સારી રાખવી પડશે. જો તમારી સંગત સારી ન હશે, તો જિંદગીમાં તમે કશું પણ કરી શકશો નહીં.

સાધ્વી આગળ કહે છે, કેટલાંક લોકો એવી વિચારધારાના હોય છે કે મારે કશું કરવું નથી, મારે તો બસ મોજમસ્તી જ કરવી છે. તો એવા લોકો માટે હું દબાણ કરી શકું નહીં. કેટલાંક લોકો એવા જ હોય છે જે જાણી જોઇને જિંદગી બરબાદ કરવા માંગે છે.

કેટલાંક લોકો એવા હોય છે જે એવું વિચારે છે કે મારે સારું તો કરવું છે, પરંતુ સંગત મારે ખોટા લોકોની કરવી છે. તો મારે એવા લોકોને કહેવું છે કે, આ બે વાત ક્યારેય શક્ય બને નહીં.

જો તમારી આસપાસ એવા લોકો હોય કે જે આગળ વધવા માંગતી નથી, તેમની વિચારધારા હમેંશા નકારાત્મક હોય તો તેમનાથી દુરી કરી દેવી જોઇએ. સારી સંગત જ તમને આગળ વધવામાં મદદ કરશે.

સાધ્વી જયા કિશોરી અલગ અલગ વિષયો પર જિંદગી સાથે જોડાયેલી વાતો કરતા રહે છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.