એવું અનોખુ શિવ મંદિરમાં જ્યાં લોકો શિવલિંગની ક્યારેય અભિષેક કે આરતી કરતા નથી

ભગવાન શિવને ભોલાનાથ કહેવામાં આવે છે. ભોલાનાથ તેમના ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી. સોમવારે ભક્તો ભોલાનાથના મંદિરે દૂધ, બીલીપત્ર અને હાર ચડાવીને તેમની પૂજા અર્ચના કરે છે. પરંતુ આજે અમે ભગવાન શિવના એક એવા મંદિરની વાત કરવાના છીએ કે જેમાં સ્થાપિત કરવામાં આવે શિવલિંગની આજે પણ ભક્તો દ્વારા પૂજા કરવામાં આવતી નથી.

એવું માનવામાં આવે છે કે, આ શિવલિંગની પૂજા કરવામાં તેની તેનું ફળ મળતું નથી. મંદિરની સાથે એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે અને આ કથા અનુસાર મંદિર બનાવનારા શિલ્પકારે કરેલી ગંભીર ભૂલના કારણે સદીઓથી મંદિરમાં સ્થાપિત કરવામાં આવેલા શિવલિંગની ભક્તો દ્વારા પૂજા કરવામાં આવતી નથી.

રિપોર્ટ અનુસાર ભગવાન શિવનું આ મંદિર ઉત્તરાખંડની રાજધાની દેહરાદુનથી અંદાજીત 75 કિલોમીટર દૂર આવેલા બ્લ્તીર નામના એક નાના એવા ગામમાં આવેલું છે. ગામના લોકોના જણાવ્યા અનુસાર ભગવાન શિવનું આ મંદિર અભિશાપિત છે. તેથી ગામના લોકો મંદિરની અંદર જઈને ભગવાનની પૂજા કરતા ડરી રહ્યા છે.

આ મંદિરનું નિર્માણ સદીઓ પહેલા રાજા ક્ત્યુરીના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. આ મંદિરને બનાવવાની જવાબદારી રાજા દ્વારા એક હાથ વાળા શિલ્પકારને આપવામાં આવી હતી. મહત્ત્વની વાત એ છે કે, શિલ્પકારનો એક જ હાથ હોવા છતાં પણ તેને એક દિવસના સમયમાં કઠીન પરિશ્રમ કરીને મંદિરનું નિર્માણ કર્યું હતું. આ વાતની જાણ ગામના લોકોને જાણવા મળતા તેઓ શિલ્પકારની કલાકૃતિ અને મંદિરને જોવા માટે મંદિર પર એકઠા થયા હતા.

ગામના લોકોએ મંદિરમાં આવ્યા અને તેમને મંદિરની પ્રસ્થાપિત શિવલિંગને જોયું ત્યારે ખબર પડી કે શિલ્પકાર દ્વારા શિવલિંગ ખંડિત છે અને તેને ખોટી દિશામાં સ્થાપિત કરવામાં આવ્યું છે. શિવલિંગ ખોટી દિશામાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું હોવાના કારણે લોકોએ તેની પૂજા નહીં કરીને શિલ્પકારને શોધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે મળ્યો ન હોતો. એક હાથ ધરાવતા શિલ્પકારે આ મંદિરને બનાવતા મંદિરનું નામ હથીયા દેવાલ પડ્યું હતું. 

ખોટી દિશામાં શિવલિંગ હોવાના કારણે લોકો આ શિવલિંગ ની પૂજા નથી કરતા. એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં જો પૂજા કરવામાં આવે છે તો તે પૂજા નો લાભ નથી મળતો અને પૂજા દોષપૂર્ણ થઇ જાય છે. આ માન્યતાના કારણે આજે પણ ભગવાન શિવના આ પૌરાણિક મંદિરમાં લોકો દ્વારા શિવલિંગની પૂજા કરવામાં આવતી નથી. જે પણ ભક્તો શિવલિંગના દર્શન કરવા માટે તે ફૂલ ચઢાવે પણ શિવલિંગની આરતી કરતા નથી. ભક્તો શિવલિંગ પર દૂધનો અભિષેક પણ નથી કરતા.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.