કલોલ: વહીવટદારોએ બારોબાર મંદિરનો જ 2.92 કરોડમાં સોદો કરી નાંખ્યો

લોકો લોભમાંને લોભમાં હવે ભગવાનને પણ છોડતા નથી. ઉત્તર ગુજરાતના એક ગામમાં ભગવાન શિવના મંદિરને ટ્રસ્ટીઓ સરકારની જાણ બહાર બારોબાર કરોડો રૂપિયામાં વેચી દીધું હોવાની વાત બહાર આવતા આ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. ટ્રસ્ટીઓએ અમદાવાદના એક બિલ્ડરને મંદિરની જમીન વેચી મારી છે.આ સમગ્ર મામલે સાંતેજ પોલીસ મથકમાં આઇપીસી કલમ 409,465,467, 468 અને 474 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટીઓને નોટીસ પણ આપવામાં આવી છતા નોટીસનો પણ જવાબ આપવામાં આવ્યો નહોતો.

કવિ હરજી લવજી દામાણી જેઓ ‘શયદા’ તરીકે જાણીતા છે તેમની એક પંક્તિ છે ‘મને આ જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ, તારા બનાવેલા આજે તને બનાવે છે’  આ વાત એટલા માટે યાદ આવી છે કે કલોલના એક ગામમાં મંદિરના વહીવટદારોએ ભગવાનનો જ વહીવટ કરી નાંખ્યો. ચેરિટી કમિશ્નરની જાણ બહાર જ મંદિરનો 2.92 કરોડ રૂપિયામાં સોદો કરી નાંખ્યો. દોઢ વર્ષ પછી પાપ છાપરે ચઢીને પોકાર્યુ છે અને હવે 4 વહીવટદારો સામે પોલીસમાં ગુનો નોંધાયો છે.

 ઉત્તર ગુજરાતના કલોલ તાલુકાના ઉનાલી ગામની સીમમાં બિનખેતીની જમીનમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરના 4 વહીવટદારોએ સરકારની મંજૂરી વિના બારોબોર 2 કરોડ 92 લાખ 12 હજાર રૂપિયામાં ગેરકાયદે રીતે સ્કાય ફાઉન્ડર ડેવલપર્સને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હોવાની વાત સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

આ વાત ત્યારે બહાર આવી જ્યારે 9 માર્ચ 2023ના દિવસે અમદાવાદના ચેરિટી કમિશ્નર કચેરી દ્રારા નીલકંઠ મહાદેવ ટ્રસ્ટની મિલ્કત સામે તપાસના આદેશ આપવામાં આવ્યા. અને આ તપાસ ઇન્ચાર્જ નિરિક્ષક હાર્દિક પટેલને સોંપવામાં આવી હતી.

હાર્દિક પટેલે નીલકંઠ મંદિરનો રેકોર્ડ કલોલની મામલતદાર કચેરીમાંથી કઢાવ્યો હતો અને તપાસ કરતા ખબર પડી કે આ જમીન તો 15 સપ્ટેમ્બર 2021માં અમદાવાદના સ્કાય ફાઉન્ડર ડેવલપર્સને વેચી દેવામાં આવી છે. મંદિરના વહીવટદારોમાં ઠાકોર શકુજી, ઠાકોર હીરાજી, ઠાકોર બુધાજી, ઠાકોર કાંતાજીના નામ હતા.

 આ ચારેય વહીવટદારોને 27 માર્ચ કારણ દર્શક નોટીસ પણ આપવામાં આવી હતી, પરંતુ નોટીસનો પણ ટ્ર્સ્ટીઓએ કોઇ જવાબ આપ્યો નહોતો. આખરે તપાસ અધિકારી હાર્દિક પટેલે સાતેજ પોલીસ સ્ટેશનમાં ચારેય ટ્રસ્ટીઓ સામે ફરિયાદ કરી છે. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.આ સમગ્ર મામલે સાંતેજ પોલીસ મથકમાં આઇપીસી કલમ 409,465,467, 468 અને 474 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.