નવું વર્ષ શરૂ થવા પહેલા જાણી લો નાસ્ત્રેદમસે કરેલી 2023 માટેની ભવિષ્યવાણી

ફ્રાંસના જાણીતા એસ્ટ્રોલોજર નાસ્ત્રેદમસની 500 વર્ષ પહેલા કરવામાં આવેલી ભવિષ્યવાણી એકદમ સાચી પડી છે. 1555માં પ્રકાશિત થયેલી નાસ્ત્રેદમસની બુક Les Propheuiesમાં વિશ્વને લઇને કેટલીક ભવિષ્યવાણી કરવામાં આવી છે. તેમની આ બુક આજની જનરેશનના લોકોમાં પણ ઘણી લોકપ્રિય છે. આ બુકમાં લગભગ 912 ભવિષ્યવાણી કરવામાં આવી છે, જેમાં કેટલીક ભયાનક ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ભવિષ્યવાણીઓમાં વર્ષ 2023નો પણ ઉલ્લેખ મળે છે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર, વર્ષ 2023નું ભવિષ્ય અંધકારમય દેખાઇ રહ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલ યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, તે વર્ષ 2023માં મોટું રૂપ ધારણ કરી શકે છે. આ સંઘર્ષની સ્થિત એક મોટા યુદ્ધની તરફ ઇશારો કરી રહી છે. એવામાં નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણી સત્ય સાબિત થતી દેખાઇ રહી છે.

નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણીમાં આકાશમાંથી આગ વરસવાની પણ વાત કરી છે. વર્ષ 2023 માટે આ ભવિષ્યવાણી ખૂબ જ અશુભ છે. આ પ્રકારના પ્રલયનો ઉલ્લેખ બાઇબલમાં પણ મળે છે. તેને દુનિયાના અંતનો સંકેત કહી શકાય છે.

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીમાં મંગળ ગ્રહ પર લેન્ડિંગની વાત પણ કરવામાં આવી છે. આ ભવિષ્યવાણીઓમાં તેમણે વ્યક્તિઓના મંગળ ગ્રહ પર જવા અને ત્યાં જીવનના અસ્તિત્વના સંકેત આપ્યા છે. હાલમાં જ SpceXના ફાઉન્ડર અને ટ્વીટરના નવા માલિકે 2023 સુધી વ્યક્તિના મંગળ ગ્રહ પર પગ મૂકવાની વાત કરી હતી.

કોરોના મહામારી અને યુક્રેન રશિયા યુદ્ધ વચ્ચે સંઘર્ષથી વિશ્વભરમાં આર્થિક ઉથલ પાથલ મચેલી છે, જેનું પરિણામ આખી દુનિયા ભોગવી રહી છે. આ આર્થિક સંકટથી લોકોનું કોસ્ટ ઓફ લિવિંગ વધી ગયું છે. આ આર્થિક સંકટ વર્ષ 2023માં લોકોને વધારે હેરાન કરી શકે છે.

ગ્લોબલ વોર્મિંગની સમસ્યા કોઇ નવો મુદ્દો નથી. તેના પર નાસ્ત્રેદમસે પણ ભવિષ્યવાણી કરી છે. નાસ્ત્રેદમસ અનુસાર, 2023માં વૈશ્વિક તાપમાં વૃદ્ધિ થશે અને સમુદ્રનું સ્તર વધશે. વર્ષ 2023માં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પહેલા કરતા વધુ જટિલ બનતી નજરે પડી રહી છે અને તેના કારણે આખી પૃથ્વીના જળવાયુ પર મોટી અસર પડી શકે છે તેનાથી મનુષ્યની જીવનશૈલી પર પણ ગંભીર અસરો પડી શકે છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.