ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાની પૂરજોશમાં તૈયારીઓ, રવિવારે ખાસ વિધિ

જગન્નાથ રથયાત્રા 20 જૂન 2023એ રાતે 10:04 વાગ્યે શરૂ થશે અને 21 જૂને રાતે 7:09એ તેની સમાપ્તિ થશે, પણ એ પહેલા 4 જૂન , રવિવારે જળ યાત્રા કાઢવામાં આવશે.અમદાવાદમાં યોજનાર 146મી આ રથયાત્રામાં આ વર્ષે મુખ્ય મહેમાન પરમાત્માનંદ મહારાજ હશે. આ અવસરે સૌ પ્રથમ ગંગા પૂજન કરવામાં આવશે, ગંગા પૂજન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે થશે.

પુરી જગન્નાથ રથયાત્રા ભારતમાં હિન્દુઓ દ્ધારા ઉજવાતો એક મહત્ત્વનો તહેવાર છે. પુરી, ઓડિશા ઉપરાંત ભારતના અન્ય શહેરોમાં પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગુજરાતના અમદાવાદમાં દર વર્ષે ધામધૂમથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આખું અમદાવાદ ભગવાન જગન્નાથમાં ઓતપ્રોત થઇ જાય છે. આ ઉત્સવમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. તેમાં ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને તેમની બહેન સુભદ્રાની મૂર્તિઓને રથમાં લઈ જવામાં આવે છે, જેને ભક્તો દ્વારા ખેંચવામાં આવે છે. આ તહેવાર અષાઢ (જૂન-જુલાઈ) મહિનામાં શુક્લ પક્ષની બીજી તિથિએ આવે છે.

ભગવાન જગન્નાથનો રથ 45 ફૂટ ઊંચો છે, તેમાં 16 પૈડાં છે અને તેનું નામ નંદીઘોષ છે. જ્યારે ભગવાન બલભદ્રનો રથ 14 પૈડાવાળો 45.6 ફૂટ ઊંચો હોય છે અને તેનું નામ તાલધ્વજ છે. અને માતા સુભદ્રાના રથને દેવદલન કહેવામાં આવે છે અને તેમાં 12 પૈડાં છે. તેની ઊંચાઈ 44.6 ફૂટ છે.ત્રણેય રથને ભક્તો ખેંચીને લઇ જાય છે.

રથ યાત્રા પહેલા રવિવારે  ધ્વજ પતાકા, 3 બળદ ગાડાઓમાં 108 કળશ સાથે યાત્રા કાઢવામાં આવશે. આ જળયાત્રામાં અમદાવાદના મેયર, કિરિટ પરમાર, સ્વામી પરમાત્માનંદ સરસ્વતી, ગૃહ મંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્યો સહિત અનેક મહાનુભાવો હાજર રહેશે. દર વખતે અલગ અલગ થીમ પર ભગવાનના વાઘા તૈયાર થાય છે આ વખતે મોરની ડિઝાઇન નક્કી કરવામાં આવી છે.

રથયાત્રાની દર વર્ષની પરંપરા મુજબ રથયાત્રા પૂર્વે જળયાત્રા એટલે કળશયાત્રા યોજાશે. 108 કળશની જળયાત્રાની તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યાં છે. 4 જૂને ભગવાન જગન્નાથજીન જળયાત્રા યોજાશે. જલયાત્રા નિજમદિર થી સોમનાથ ભુદરના આરે પોહચશે.ઉલ્લેખનિય છે કે, 108 કળશની સાથે ભજન મંડળી, રાસ મંડળી, અખાડા અને ભક્તો પણ જોડાશે.

રથયાત્રા સંપૂર્ણ શાંતિ અને હર્ષોલ્લાસ સાથે નીકળે માટે સુરક્ષાને લઇને પણ સઘન વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આજે સરસપુર લુહાર શેરીમાં રથયાત્રા પૂર્વે મહોલ્લા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા ક્રાઇમ ACP તેમજ સ્થાનિક પોલીસ અને  સરસપુર વિસ્તારની સ્થાનિક મહિલાઓ પણ હાજર રહી હતી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.