5 એપ્રિલે ચંદ્ર ગ્રહણ ક્યારે શરૂ થશે, ક્યારે સમાપ્ત થશે? ભારતમાં સૂતક કાળનો સમય

વર્ષ 2023નું પહેલું ચંદ્ર ગ્રહણ 5 મેના દિવસે શુક્રવારે બુદ્ધ પૂર્ણિમાના દિવસે થવા જઈ રહ્યું છે. 5 મેના રોજ થવા જઈ રહેલા પહેલા ચંદ્ર ગ્રહણની ઉપછાયા આફ્રિકા, એશિયા અને ઓસ્ટ્રેલિયાના કેટલાક હિસ્સાઓમાં દેખાશે. વર્ષના પહેલા ચંદ્ર ગ્રહણ વિશે માહિતી નીચે આપવામાં આવી છે.

પહેલું ચંદ્ર ગ્રહણઃ 5 મે, 2023 શુક્રવાર

ચંદ્ર ગ્રહણ શરૂઃ રાત્રે 8.45 વાગ્યે જે ઉપછાયા ચંદ્ર ગ્રહણ હશે.

ચંદ્ર ગ્રહણ સમાપ્તઃ આ ગ્રહણ રાત્રે 1 વાગ્યે સમાપ્ત થશે.

ઉપછાયાનો પહેલો સ્પર્શ કાળઃ રાત્રે 8.45 વાગ્યે.

પરમગ્રાસ ચંદ્ર ગ્રહણ કાળઃ રાત્રે 10.53 વાગ્યે.

ઉપછાયાનો અંતિમ સ્પર્શ કાળઃ રાત્રે 1.00 વાગ્યે.

ઉપછાયાની કુલ અવધિઃ 4 કલાક 15 મિનિટ 34 સેકન્ડ

ચંદ્ર ગ્રહણ દરમિયાન સૂતક કાળ ચંદ્ર ગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલા આરંભ થાય છે જ્યારે, સૂર્ય ગ્રહણ દરમિયાન 12 કલાક પહેલા થાય છે. વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ આંશિકરૂપે ભારતમાં દેખાશે આથી ઘણી જગ્યાઓ પર તેનો સૂતક પણ માનવામાં આવશે. ચંદ્ર ગ્રહણનું સૂતક ગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલા લાગશે. એટલે કે 5 મેના રોજ સવારે આશરે 11 વાગીને 45 મિનિટ પર સૂતક કાળ લાગશે. સૂતક કાળમાં ઘરે રહેવું ઉચિત હોય છે. સૂતક કાળમાં ભોજન ના બનાવવુ જોઈએ. પૂજા-પાઠ ના કરવા જોઈએ. પૂજા સ્થળ, ભગવાનની મૂર્તિને સ્પર્શ ના કરવો જોઈએ. ગ્રહણ બાદ સ્નાન કરી લેવુ જોઈએ. સૂતક કાળ પહેલા બનાવેલા ભોજનમાં તુલસીનું પાન મુકી રાખવું જોઈએ. ગર્ભવતી મહિલાઓએ વિશેશરૂપે આ નિયમોનું પાલન કરવું જોઈએ. આ દરમિયાન તમામ પ્રકારના શુભ કાર્યો વર્જિત હોય છે.

ચંદ્ર ગ્રહણ દરમિયાન આ કાર્યો ના કરવા જોઈએ

  • ચંદ્ર ગ્રહણ દરમિયાન ભગવાનની મૂર્તિને સ્પર્શ ના કરો.
  • પૂજા-પાઠ ના કરો.
  • ચંદ્ર ગ્રહણ દરમિયાન ભોજન કરવાથી બચો. (બાળકો, બીમાર અને વૃદ્ધો માટે આ માન્ય નથી.)
  • આ દરમિયાન સૂવાથી બચવું, જેટલું બની શકે એટલું મનમાં પોતાના ઈષ્ટના નામનો જાપ કરવો.
  • ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ દરમિયાન ઘરમાંથી બહાર નીકળવું ના જોઈએ.
  • ગર્ભવતી મહિલાઓએ ચપ્પૂ, કાતર જેવી ધારવાળી વસ્તુઓનો પ્રયોગ ના કરવો.

ક્યાં દેખાશે ચંદ્ર ગ્રહણ

ચંદ્ર ગ્રહણ ભારતના કેટલાક હિસ્સા, દક્ષિણ/પૂર્વી યુરોપ, એશિયાના મોટાભાગના હિસ્સા, આફ્રિકા, પ્રશાંત, એટલાન્ટિક, હિંદ મહાસાગર અને એન્ટાર્કટિકામાં દેખાશે.

ક્યારે થાય છે ચંદ્ર ગ્રહણ

જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય છે, ત્યારે ચંદ્ર ગ્રહણ થાય છે. વૈજ્ઞાનિકરૂપે તેને અદ્ભુત ખગોળીય ઘટના માનવામાં આવે છે અને વૈજ્ઞાનિકો તેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.