સમેદ શિખર પર નવો વિવાદ, આદિવાસી સમુદાયનો દાવો- આખો પહાડ અમારો, આંદોલનની જાહેરાત

હજુ તો સમેત શિખરને લઇને જૈન સમાજે કરેલા આંદોલનની શાહી સુકાઇ નથી ત્યાં આદિવાસી સમાજે મોર્ચો માંડ્યો છે અને પર્વત પર તેમનો કબ્જો હોવાનો દાવો કરીને મોટા આંદોલનની ચિમકી આપી છે. ઝારખંડના ગિરિડીહમાં પારસનાથ પહાડી પર સ્થિત તીર્થસ્થળ સમેત શિખરજીને લઈને ચાલી રહેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. કારણ કે હવે આદિવાસી સમુદાયે દાવો કર્યો છે કે સમગ્ર પારસનાથ પર્વત અમારો છે. એટલું જ નહીં પૂર્વ સાંસદ અને આદિવાસી સંથાલ અભિયાનના રાષ્ટ્રીય અધ્યક્ષ સાલખન મુર્મુએ કહ્યું કે હેમંત સોરેન સરકાર આદિવાસી વિરોધી સરકાર છે.

ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં પારસનાથ પહાડી પર સ્થિત તીર્થસ્થળ સમેત શિખરજીને લઈને હંગામો ચાલી રહ્યો છે. ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં પારસનાથ પહાડી પર સ્થિત તીર્થસ્થળ સમેત શિખરજીને લઈને હંગામો ચાલી રહ્યો છે. હકીકતમાં, ઝારખંડના આદિવાસી સમુદાયે હવે દાવો કર્યો છે કે સમગ્ર પારસનાથ પર્વત અમારો છે. એટલું જ નહીં આદિવાસી સમાજે કહ્યું છે કે આ અમારું ધર્મસ્થાન છે. જેને લઈને લોકોને આજે પારસનાથ પર્વત પર એકઠા થવાની અપીલ કરવામાં આવી છે.

સાલખન મુર્મુ કહ્યું કે પારસનાથ પર્વત આજે નેશનલ લેવલનો બની ગયો છે, પરંતુ અમે આદિવાસીઓ દાવો કરીએ છીએ કે, પારસનાથ પર્વત અમારા આદિવાસીઓનો છે. તે અમારા ઇશ્વર છે. અમે તેમને મરાંગ બુરુ અથવા બુઢા પર્વત  તરીકે ઓળખીએ છીએ.તેમણે કહ્યું કે જ્યારે મામલો જૈન વિરુદ્ધ સંથાલ આદિવાસીઓનો હતો ત્યારે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો હતો કે પારસનાથ પર્વત સંથાલોનો છે.

સાલખન મુર્મે કહ્યું કે હવે જૈન ધર્મના અનુયાયીઓ પારસનાથ પર્વત પર પોતાના માલિકી હક્ક માટે દેશભરમાં આંદોલન શરૂ કરી ચુક્યા છે. આ પછી, આદિવાસીઓ સાથે વાત કર્યા વિના, તેમની બાજુ સાંભળ્યા વિના કેન્દ્ર સરકારે પોતાનો નિર્ણય આપ્યો. તેમણે કહ્યું કે આનાથી અમારા લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. સમગ્ર દોષ ઝારખંડ સરકારનો છે.

ઝારખંડના ધારાસભ્ય લોબિન હેમ્બ્રમ આ આંદોલનની નેતાગીરી સંભાળી રહ્યા છે. તેમણે કહ્યું કે જો સરકાર અમારી માંગ 25 જાન્યુઆરી 2023 સુધીમાં નહીં સ્વીકારશે તો 30 જાન્યુઆરી 2023થી મોટું આંદોલન શરૂ કરવામાં આવશે અને આદિવાસીઓ ઉપવાસ આંદોલન શરૂ કરશે. પાંચ રાજ્યોના આદિવાસી પારસનાથ પર્વત પર આંદોલન માટે ભેગા થશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.