કાશીના આ કુંડ પર શ્રાદ્ધ કરતા જ પિતૃઓ માટે ખુલી જાય છે મુક્તિના દ્વાર

હિંદુ ધર્મમાં પિતૃની પૂજાને ખૂબ જ વધારે મહત્વ આપવામાં આવ્યું છે અને આ પૂજા માટે દર વર્ષે અશ્વિન માસમાં પિતૃપક્ષના 15 દિવસ ખૂબ જ વધારે અગત્યના માનવામાં આવે છે. પંચાગ અનુસાર, આ વર્ષે પિતૃપક્ષ 29 સપ્ટેમ્બર 2023 શુક્રવારથી લઇ 14 ઓક્ટોબર 2023 શનિવાર સુધી રહેશે. પિતૃપક્ષમાં શ્રાદ્ધ માટે ભારતમાં ઘણાં તીર્થ છે. પણ કાશી નગરી જેને મોક્ષની નગરી માનવામાં આવે છે, ત્યાં સ્થિત પિશાચ મોચન કુંડનું ખૂબ જ વધારે મહત્વ માનવામાં આવે છે. જાણો આ કુંડનું શું મહત્વ છે અને અહીં કયા પ્રકારે શ્રાદ્ધ કરવામાં આવે છે.

કાશીના આ કુંડ પર શ્રાદ્ધનું મહત્વ

હિંદુ માન્યતાઓ અનુસાર, કાશી કે પછી વારાણસીમાં સ્નાન અને ધ્યાનની સાથે દાન વગેરેનું ઘણું મહત્વ છે. પણ આ પ્રાચીન નગરીમાં પિતૃઓની પૂજાનું પણ ખાસ મહત્વ માનવામાં આવે છે. એજ કારણ છે કે દર વર્ષે પિતૃપક્ષ આવતા જ કાશીમાં સ્થિત પિશાચ મોચન કુંડમાં અચાનકથી શ્રાદ્ધ કરનારાઓની ભીડ વધી જાય છે. હિંદુ માન્યતા અનુસાર, કાશીના પિશાચ મોચન કુંડમાં ત્રિપિંડી શ્રાદ્ધ કરાવવાથી ભટકતી આત્માઓને શાંતિ મળી જાય છે. માન્યતા છે કે, અહીં પર કરવામાં આવતા ત્રિપિંડી શ્રાદ્ધથી ભટકતી આત્મા અને પિતૃઓની મુક્તિનો માર્ગ ખુલી જાય છે અને તેઓ વૈકુંઠ ધામ પહોંચી જાય છે.

કોના માટે કરવામાં આવે છે ત્રિપિંડી શ્રાદ્ધ

હિંદુ માન્યતાઓ અનુસાર, જે લોકોનું અકાળ મૃત્યુ થઇ જાય છે તેમને મોટે ભાગે મોક્ષની પ્રાપ્તિ માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે અને તેઓ પ્રેત એટલે કે યોનિમાં ભટકતા રહે છે. એવામાં પિતૃઓને પ્રેત યોનિમાંથી મુક્તિ આપીને તેમને મોક્ષ અપાવવા માટે કાશીના પિશાચ મોચન કુંડ પર વિશેષ કરીને ત્રિપુંડી શ્રાદ્ધ કરાવવામાં આવે છે. ખાસ વાત એ છે કે, ત્રિપિંડી શ્રાદ્ધ માત્ર કાશીના પિશાચ મોચન કુંડ પર કરવામાં આવે છે. જેને કરવા પર પિતૃ આત્માઓ પ્રેત યોનિમાંથી મુક્ત થઇ જાય છે અને તેમનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

આ પૂજાથી મળે છે પિતૃઓને મુક્તિ

હિંદુ માન્યતાઓ અનુસાર, કાશીના પિશાચ મોચન તીર્થ પર એક પીપળાનું વૃક્ષ છે. જેમાં ભટકતી આત્માઓને પીપળાના ઝાડમાં કીલ થોકીને બેસાડવામાં આવે છે. સાથે જ અહીં પર પિતૃઓની પૂજા કરતા સમયે એક સિક્કો પણ મૂકાવવામાં આવે છે જેથી તેઓ દરેક પ્રકારના દેવા અને બાધાઓથી મુક્ત થઇને શ્રીલોક પર પ્રસ્થાન કરે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.