અયોધ્યામાં ઉજવાશે ભવ્ય રામ જન્મોત્સવ, જાણો કયા કયા આયોજન થવાના છે

આગામી દિવસોમાં 22 માર્ચથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઇ રહી છે ત્યારે અયોધ્યાના રામ મંદિરમાં રામ જન્મ મહોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્રી નવરાત્રીના આ પવિત્ર તહેવારમાં અયોધ્યા રામ નામથી ગૂંજી ઉઠવાનું છે.

ઉત્તર પ્રદેશમાં આવેલા અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભવ્ય રામમંદિરમાં નવરાત્રી દરમિયાન મોટા પાયે આયોજનની તડામાર તૈયારી ચાલી રહી છે. 10 દિવસ સુધી અયોધ્યાની ધરતી પર થનારા આ કાર્યક્મમાં શું શું થવાનું છે તે જાણવામાં તમને રસ પડશે.  આગામી 21 માર્ચથી 30 માર્ચ એમ 10 દિવસ સુધી રામ જન્મ મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરી રહેલ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ નવરાત્રી દરમિયાન 21 થી 30 માર્ચ દરમિયાન અયોધ્યામાં 10 દિવસીય 'રામ જન્મ મહોત્સવ'નું આયોજન કરશે. રામ મંદિર ટ્રસ્ટે મંગળવારે મોડી સાંજે તેના ટ્વિટર હેન્ડલ પરથી તહેવારનું સત્તાવાર પોસ્ટર પણ બહાર પાડ્યું છે. ટ્રસ્ટના એક અધિકારીએ જણાવ્યું કે રમતગમતની સ્પર્ધાઓમાં 'રન ફોર રામ' મેરેથોન રેસ, કુસ્તી, કબડ્ડી, બોટ રેસ, તલવારબાજી, સાયકલ રેસ અને ગ્રામીણ વિસ્તારોમાં લોકપ્રિય કેટલીક અન્ય રમતોનો સમાવેશ થશે.

ટ્રસ્ટના અધિકારીએ કહ્યું કે ઉત્સવમાં દરેક દિવસે સાંજે ધાર્મિક સભાનું આયોજન કરવામાં આવશે. જેમાં મહાકાવ્ય શ્રીરામચરિત માનસની વાર્તા પર આધારિત નાટકો ભજવાશે, ભારતીય સંગીત વાદ્યોની સાથે સંગીત મય પ્રસ્તુતિ અને કવિ સંમેલનના આયોજન પણ થશે. કવિ સંમેલનમાં ભગવાન રામની સ્તુતિના પાઠ કરવામાં આવશે.

રામ જન્મ મહોત્સવનું જે આયોજન થવાનું છે તે તારીખ વાર જાણો

22 માર્ચ નવરાત્રીના પહેલા દિવસે શૈલપુત્રી પુજા, બીજા દિવસે બ્રહ્મચારિણી પુજા, ત્રીજા દિવસે મા ચંદ્રઘંટા પુજા, ચોથા જિવસે માં કુષ્માંડા પુજા, પાંચમા દિવસે મા સ્કંદમાતા પુજા, છ્ઠા દિવસે મા કાત્યાયની પુજા, સાતમા દિવસે મા કાલરાત્રી પુજા, આઠમા દિવસે મા મહાગૌરી પુજા, 9મા દિવસે મા સિદ્રિદાત્રી પુજા થશે.

આ પહેલા, યોગી સરકારે ચૈત્ર નવરાત્રિ પર શક્તિપીઠો અને મંદિરોમાં વિશેષ કાર્યક્રમો માટે તમામ જિલ્લાઓને એક લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી હતી. નવરાત્રી દરમિયાન રાજ્યના તમામ મંદિરોમાં અખંડ રામાયણ અને દુર્ગા સપ્તશતીના પાઠ કરવામાં આવશે. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. આ માટે તમામ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ અને વિભાગોના કમિશનરોને સૂચનાઓ આપવામાં આવી છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.