ચાર ધામ યાત્રામાં મહિલાઓના ટુંકા વસ્ત્રો પર આવી જશે પ્રતિબંધ, જાણો શું થયું છે

ચારધામની યાત્રા એ પિકનિક માટે નથી, પણ ધાર્મિક આસ્થા માટે છે. યુવતીઓ અને મહિલાઓ ટુંકા વસ્ત્રો પહેરીને તીર્થ યાત્રાએ ન આવે, તીર્થસ્થાનોની ગરિમાના ઉલ્લંઘનને કારણે કુદરતી આફતો આવે છે. આવી ચિંતા વ્યકત કરીને સાધુ સંતોએ ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામીને દરમિયાનગીરી કરવા અપીલ કરી છે.

દેવભૂમિ ઉત્તરાખંડમાં ચાર ધામ સહિત તમામ ધાર્મિક સ્થળોમાં ફેલાયેલી અશ્લીલતાથી સાધુ-સંતો ચિંતિત છે. તેમણે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને દરમિયાનગીરી કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે દેવભૂમિ ઉત્તરાખંડની છબી ખરડાઈ રહી છે. આથી ચાર ધામ યાત્રામાં આવતા શ્રદ્ધાળુઓ પાસેથી રજીસ્ટ્રેશન સમયે સોગંદનામું ભરાવવામાં આવે.

સાધુ-સંતોએ યાત્રિકોને મર્યાદામાં વસ્ત્રો પહેરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે ખાસ કરીને છોકરીઓ અને મહિલાઓએ મર્યાદાનું પાલન કરવું પડશે. સોગંદનામું ભરવા છતાં ટૂંકા કપડામાં ચાર ધામના દર્શન કરવા આવતા ભક્તો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તેમણે માંગણી કરી છે.

જૂના અખાડાના મહામંડલેશ્વર અને હિન્દુ રક્ષા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી પ્રબોધાનંદ ગિરીએ હરિદ્વારમાં પત્રકારોને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે દેવભૂમિ ઉત્તરાખંડ ધર્મ અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર છે. ચાર ધામ યાત્રા પર આવતા ભક્તોએ આખા ઉત્તરાખંડને પર્યટનના દૃષ્ટિકોણથી નહીં પણ તીર્થયાત્રાના દૃષ્ટિકોણથી જોવું જોઈએ. ભક્તોને અપીલ કરવામાં આવે છે કે તેઓ દેવભૂમિ પર આવતા સમયે તેમના કપડાની કાળજી રાખે અને તીર્થક્ષેત્રોની મર્યાદાનું પાલન કરે.

સંતોએ કહ્યું છે કે ચાર ધામમાં લોકો પિકનિક માટે આવવું એ ચિંતાનો વિષય છે. પિકનિક માટે આવવાના કારણે દેવભૂમિ ઉત્તરાખંડની છબી કલંકિત થઈ રહી છે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડમાં તીર્થસ્થાનોની ગરિમાના ઉલ્લંઘનને કારણે કુદરતી આફતો આવે છે. આવી સ્થિતિમાં આપત્તિઓથી બચવા માટે ઉત્તરાખંડ સરકારે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ તેવી માગણી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હરિદ્વાર, ઋષિકેશ અને દેહરાદૂન જિલ્લામાં મંદિરના પ્રશાસકોએ યોગ્ય વસ્ત્રો ન પહેરીને આવનારા ભક્તોને ભગવાનના દર્શનથી વંચિત રાખવાનો નિર્ણય લીધો છે.

ચારધામ યાત્રા એટલે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા છે. આ યાત્રા 22 એપ્રિલ 2023થી શરૂ થઈ છે. દર વર્ષે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી શિયાળાની ઋતુમાં 6 મહિના માટે બંધ રહે છે.ગંગોત્રી ધામના દરવાજા 22 એપ્રિલે બપોરે ખોલવામાં આવ્યા હતા. આ વખતે ચાર ધામમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.