લાઉડસ્પીકરનો અવાજ ધીમો, નમાઝનું પ્રસારણ નહીં, રમજાન પહેલા આ આ દેશનું ફરમાન

ભારતમાં મસ્જિદોમાં વગાડતા લાઉડસ્પિકર સામે વિવાદ થાય છે અને મિડલ ઇસ્ટના એક દેશે રમજાન મહિનામાં મસ્જિદોમાં લાઉડસ્પિકર ધીમેથી વગાડવા માટેનો આદેશ આપ્યો છે.

આગામી 22 માર્ચથી મુસ્લિમના પવિત્ર રમજાન માસની શરૂઆત થવાની ધારણા છે, રમજાન મહિનામાં મુસલમાનો રોજા રાખે છે,બંદગી કરે છે.  હવે સાઉદી અરબે રમજાન મહિનામાં નિયમો અને પ્રતિબંધોનું એક ફરમાન જારી કર્યું છે. જેમાં મસ્જિદોમાં લાઉડસ્પીકરોનો અવાજ સીમિત રાખવા,દાન પર રોક મુકવા અને મસ્જિદની અંદર નમાઝ પર પ્રસારણ પર  પ્રતિબંધનો સમાવેશ થાય છે.

સાઉદી અરબના ઇસ્લામિક બાબતોના મંત્રી શેખ અબ્દુલ લતીફ બિન અબ્દુલ અઝીઝે શુક્રવારે 10 સૂચનાઓ સાથેનો એક સર્ક્યુલર જારી કર્યો છે જેનો રહેવાસીઓએ રમજાનના પવિત્ર મહિનામાં આ સૂચનાનું પાલન કરવું પડશે.

મંત્રીએ બહાર પાડેલા સર્કયૂલરમાં કહેવામાં આવ્યું છે કે, મસ્જિદોમાં નમાઝ અદા કરનારાઓ માટે ભોજનનું આયોજન કરવા માટે દાન એકત્રિત કરવા,મસ્જિદની અંદરના બદલે મસ્જિદના પ્રાંગણમાંના વિસ્તારોમાં રોજાના ભોજન તૈયાર કરવા પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. આ ભોજન પણ ઇમામ એટલે કે જે ઇસ્લામી પુજા સેવાનું નેતૃત્વ કરતા હોય છે અને મુએઝીન એટલે કે એક અધિકારી કે જે મસ્જિદમાં દિવસમાં પાંચ વખત દૈનિક નમાઝ ની જાહેરાત કરે છે તેમની દેખરેખ હેઠળ તૈયાર થવું જોઈએ.

મંત્રાલયની સૂચનામાં એ પણ ફરજિયાત કરવામાં આવ્યું છે કે આ બંને અધિકારી ઇમામ અને મુએઝીન ઇમરજન્સી સિવાય આખો મહિનો હાજર રહેશે. તેમણે એ સુનિશ્ચિત કરવું પડશે કે સાંજની નમાઝ તરબી અને રાત્રિની નમાઝ તહજ્જુદ પુરતા સમયે થાય,જેથી કરીને નમાઝીઓને અસુવિધા ન થાય અને રમઝાનના છેલ્લા દસ દિવસોમાં મસ્જિદમાં ઇતિકાફ અથવા એકાંતની ખાતરી થાય.<

મસ્જિદોની અંદર નમાઝ અને બંદગી કરનારા લોકો માટે ફોટોગ્રાફી અને કેમરોના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બાળકોને પણ મસ્જિદની અંદર લાવવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મત્રાલયનું માનવું છે કે ફોટોગ્રાફી અને બાળકોને લાવવાને કારણે બંદગીમાં ખલેલ પડી શકે છે.

છેલ્લાં કેટલાંક વર્ષથી જારી નિયમોમાં નમાઝ દરમિયાન લાઉડસ્પીકરોનો અવાજ ધીમો રાખવાનું કહેવામાં આવ્યું છે. મંત્રાલયની સૂચનામાં મસ્જિદ વિશેના પુસ્તકો વાંચવા માટે નમાઝિઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

આ વિવાદાસ્પદ પ્રતિબંધોએ વિશ્વભરના મુસ્લિમો તરફથી પ્રતિક્રિયા આવી છે, ઘણા વિવેચકોએ આને સાઉદી સરકાર દ્વારા લોકોના જીવનમાં ઇસ્લામના પ્રભાવને મર્યાદિત કરવાના પ્રયાસો તરીકે ગણાવ્યું છે.

સાઉદીની ચેનલ અલ સૌદિયા સાથે એક ટેલિફોનિક ઇન્ટરવ્યૂમં મંત્રાલયના પ્રવક્તાએ ચિંતા જાહેર કરતા કહ્યું કે, મંત્રાલય મસ્જિદાં રોજા ખોલવાથી નથી રોકી રહ્યું, બલ્કે એને વ્યવસ્થિત કરી રહ્યું છે, જેથી એક જવાબદાર વ્યકિત હાજર રહે અને એ વાત સુનિશ્ચિત કરે કે મસ્જિદની સ્વચ્છતા અને પવિત્રતા બનાવી રાખવામાં સુવિધા રહે.

મંત્રાલયના પ્રવક્તાએ એવો પણ દાવો કર્યો હતો કે બંદગીના સમયે ફિલ્માંકન અને પ્રસારણ પરનો પ્રતિબંધનો હેતુ પ્લેટફોર્મને શોષણથી બચાવવાનો છે અને તે ઈમામ, ઉપદેશકો અથવા વ્યાખ્યાતાઓના અવિશ્વાસને કારણે જારી કરવામાં આવ્યો ન હતો, પરંતુ કોઈપણ ભૂલોને ટાળવા માટે, ખાસ કરીને જો તે અજાણતાં થયેલી ભૂલો માટે.

About The Author

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.