આ પવિત્ર શક્તિપીઠમાં પ્રગટી રહી છે વાટ અને તેલ વગર જ્યોત

જ્યારે પણ દેશના હિમાચલ પ્રદેશની વાત કરવામાં આવે છે ત્યારે પહાડ-નદી અને ઝરણાઓનું ચિત્ર સામે આવે છે. આ સિવાય સૌદર્યની દ્રષ્ટિએ પણ હિમાચલ ખૂબ જ વૈવિધ્ય ધરાવે છે. હિમાચલ પ્રદેશમાં આવેલું જ્વાલાદેવી મંદિર દેશના સૌથી મહત્ત્વના ધાર્મિક સ્થાન પૈકી એક છે. આ મંદિર 51 શક્તિપીઠમાંથી એક છે. હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલું આ મંદિર કાલીધાર પહાડી વચ્ચે આવેલું છે.

એક ધાર્મિક માન્યતા અનુસાર જ્યારે ભગવાન વિષ્ણુંએ પોતાના ચક્રથી માતા સતીના મૃતદેહના ટુકડા કરી નાંખ્યા હતા. ત્યારે માતાની જીભ અહીં પડી હતી. અહીં દરરોજ પ્રજ્વલિત રહેતી જ્વાલા માતાની જીભ દર્શાવે છે. અહીં દર્શન કરવા આવતા દરેક શ્રદ્ધાળુઓની મનોકામના માતા પૂર્ણ કરે છે. અહીં નવ જ્યોતિ વગર તેલ કે વાટ વગર પ્રગટી રહી છે. અહીં આવેલા આ મંદિરમાં કોઈ પ્રકારની મૂર્તિ નથી. પણ માતાજી અહીં જ્યોત સ્વરૂપે બીરાજમાન છે. જ્યોતની ભક્તો પૂજા કરી રહ્યા છે. 9 જ્યોત માતાજીના નવ જુદા જુદા સ્વરૂપ દર્શાવે છે. પ્રથમ જ્વાલા મહાકાલીની છે. જે ભક્તોને તમામ પ્રકારની મુશ્કેલીથી બચાવે છે.

બીજી જ્યોત માતા મહામાયાની છે. જેને ભક્તો અન્નપૂર્ણાથી ઓળખે છે. જે ઘરમાં અન્નપૂર્ણાના આશીર્વાદ હોય એ ઘરમાં ક્યારેય ધાન ખૂટતું નથી. ત્રીજી જ્યોત માતા ચંડીની છે. જેનાથી અસુરી શક્તિનો નાશ થાય છે. ચોથી જ્યોત માતા હિંગળાજ ભવાનીની છે. જેના આશીર્વાદથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. પાંચમી જ્યોત માતા વિન્ધ્યવાસિનીની છે. જેને મુક્તિ આપનારી માતા કહે છે. છઠ્ઠી જ્યોત માતા લક્ષ્મીની છે. જેની કૃપાથી ક્યારેય આર્થિક મુશ્કેલીઓ આવતી નથી. સાતમી જ્યોત સરસ્વતિ માતાની છે. જેના આશીર્વાદથી મુર્ખ પણ ચતુર બની જાય છે. આઠમી જ્યોત માતા અંબાની છે જેના આશીર્વાદથી જીવનમાં સુખની વૃદ્ધિ થાય છે. નવમી અને અંતિમ જ્યોત માતા અંજનીની છે. જે બધાની મનોકામના પૂરી કરે છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.