ગુજરાતનું આ ભવાની માતાનું મંદિર ભગવાન કૃષ્ણ અને રૂક્ષમણીજીના પ્રેમનું પ્રતિક છે

સૌરષ્ટ્રમાં મહુવામાં અરબી સમુદ્રના કાંઠે આવેલું ભવાની માતાજીનું મંદિર ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષમણીજીના અતૂટ પ્રેમ સંબંધની સાક્ષી છે. મહુવાના આ ભાવનાની માતાજીના મંદિરની સાથે એક ઐતિહાસિક દંતકથા પણ જોડાયેલી છે.

ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષમણીજીના પ્રેમની સાથે જોડાયેલી ભવાની માતાની મંદિરની કથાની શરૂઆત માતાજીના મંદિરથી થોડા દૂર આવેલા કતપર ગામમાંમાંથી શરૂ થાય છે. વર્ષો પહેલા કતપર ગામ કુંદનપુર તરીકે ઓળખવામાં આવતું હતું. કુંદનપુરના રાજા ભીષ્મકને પાંચ પત્ર અને એક પુત્રી હતું. પુત્રીની નામ રૂક્ષમણી હતી.

રૂક્ષમણીજીના મોટા ભાઈ રુક્મયે રૂક્ષમણીજીના વિવાહ શિશુપાલની સાથે નક્કી કર્યા હતા. રૂક્ષમણીજીને શિશુપાલ પસંદ ન હોવાથી તેમને દ્રારકાના નાથ ભગવાન શ્રી કૃષ્ણને સંદેશો મોકલાવ્યો હતો કે, તમે ભવાની માતાના મંદિર આવીને મારું હરણ કરીને તમારી સાથે લઇ જાવ. રૂક્ષમણીજીના કહેવાથી ભગવાન કૃષ્ણ ભવાની માતાની મંદિરે આવ્યા હતા અને રૂક્ષમણીજીનું હરણ કરીને તેમને દ્રારકા લઇ ગયા હતા અને દ્રારકામાં તેમની સાથે લગ્ન કર્યા હતા. ભગવાન કૃષ્ણને રૂક્ષમણીજીનું હરણ ભવાની માતાના મંદિરેથી કર્યું હોવાથી આ મંદિરને ભગવાન કૃષ્ણ અને રૂક્ષમણીજીનાં પ્રેમનું પ્રતિક કહેવામાં આવે છે. આ દંતકથાના કારણે આજેપણ અપરિણી કન્યાઓ તેમને મનગમતા વરની પ્રાપ્તિ કરવા માટે માતાજીની પૂજા-અર્ચાના કરે છે.

ભવાની માતાનું આ મંદિર મહુવાથી પાંચ કિલોમીટરના અંતરે અરબી સમુદ્રની સપાટીથી 150 ફૂટ ઉપર આવેલું છે. પર્યટકની સ્થળની દૃષ્ટિએ પણ ભવાની માતાના મંદિર અને તેની આસપાસના કુદરતી વાતાવરણ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.