8 મહિના પાણીમાં ડૂબી જાય છે આ મંદિર, વર્ષમાં દર્શન માટે માત્ર 4 મહિના જ ખૂલે છે

મહારાષ્ટ્રના પૂણેમાં ઉપસ્થિત વાઘેશ્વર મંદિર ભક્તો માટે ખૂલી ગયું છે. મોટી સંખ્યામાં ભક્ત ભગવાનના દર્શન કરવા મંદિર પહોંચી રહ્યા છે. આ મંદિર ખૂબ જ ઐતિહાસિક અને પવના ડેમની અંદર બન્યું છે. તેનું કારણ મંદિર 8 મહિના સુધી પાણીમાં ડૂબી રહે છે અને માત્ર 4 મહિના પાણીથી બહાર રહે છે. આ અનોખા મંદિરને જોવા માટે મહારાષ્ટ્રના ખૂણે ખૂણાથી લોકો પહોંચી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ, પવના ડેમનું નિર્માણ વર્ષ 1965માં થયું હતું. વર્ષ 1971થી તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ત્યારથી આ ઐતિહાસિક મંદિર પાણીમાં ડૂબેલું છે. પવના ડેમના પરિસરમાં બનેલું આ મંદિર ઉનાળામાં 3-4 મહિના પાણી ઓછું થયા બાદ જ નજરે પડે છે. આ વર્ષે માર્ચના અંત સુધીમાં આ મંદિર પાણીથી બહાર આવી ગયું હતું. કહેવામાં આવે છે કે, આ મંદિરનું નિર્માણ હેમાડપંથી શૈલીમાં લગભગ 700-800 વર્ષ અગાઉ થયું હતું. સંશોધનકર્તાઓનો દાવો છે કે, મંદિરનું નિર્માણ અગિયારમી સદી સુધી હોવું જોઈએ કેમ કે મંદિર નિર્માણમાં પથ્થર અરસપરસ જોડાયેલા હતા. તેના પર કેટલાક શિલાલેખ પણ મળ્યા છે.

મંદિરનું આખું નિર્માણ પથ્થરથી કરવામાં આવ્યું છે. વર્તમાનમાં આ મંદિરનો માત્ર ખોલ બચ્યું છે. મંદિર જૂનું હોવાના કારણ તેના મોટા ભાગના ભાગ જર્જરિત થઈ ચૂક્યા છે. આસપાસની દીવાલોના નિશાન અત્યારે પણ ઉપસ્થિત છે. સંશોધનકર્તાઓનો દાવો છે. મંદિરનું શિખર નષ્ટ થઈ ગયું છે અને માત્ર સભા ભવન બચેલું છે. આ મંદિરના ચારેય તરફ દરારો આવી ગઈ છે. કહેવામાં આવે છે કે કોંકણ સિંધુદુર્ગ અભિયાનને પૂરું કર્યા બાદ છત્રપતિ શિવાજી મહારાજે વાઘેશ્વરના મંદિરનો પ્રવાસ કર્યો હતો. અત્યારે આ મંદિરને જોવા માટે મહારાષ્ટ્રના ખૂણે ખૂણાથી ભક્ત આવી રહ્યા છે. આ ઐતિહાસિક મંદિરનું પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે.

દેવભૂમિ કહેવાતા હિમાચલ પ્રદેશમાં પણ એક એવું મંદિર આવેલું છે. અહીં કાંગડા જિલ્લામાં કેટલાક એવા મંદિર છે જે વર્ષના 8 મહિના પાણીમાં ડૂબીને રહે છે. એમ ત્યાં પોંગ ડેમના કારણે થાય છે, જેનું પાણી ચડતું-ઉતરતું રહે છે. પોંગ ડેમના મહારાણા પ્રતાપ સાગર તળાવમાં ડૂબેલા આ મંદિરોને બાથૂ મંદિરના નામથી ઓળખવામાં આવે છે. સ્થાનિક લોકો તેને બાથૂ કી લડી કહે છે. આ મંદિર 70ના દશકમાં આ ડેમના પાણીમાં ડૂબી ગયા હતા.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.