યોગિની એકાદશી ક્યારે છે? આ દિવસે આ 3 ઉપાયો કરવાથી સમસ્યા દૂર થઇ શકે છે

અષાઢ કૃષ્ણ પક્ષની એકાદશીને યોગિની એકાદશી કહેવાય છે. આ એકાદશી પાપોના પ્રાયશ્ચિત માટે વિશેષ મહત્વની માનવામાં આવે છે. જયોતિષના જાણકારોનું કહેવું છે કે, આ દિવસે ધી હરિ, ભગવાન શિવનું ધ્યાન, ભજન અને કીર્તન કરવાથી તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે. યોગિની એકાદશીના દિવસે વ્રત રાખવાથી અને આધ્યાત્મિક સાધના કરવાથી સમસ્યાઓનો અંત આવે છે. આ વખતે યોગની એકાદશી 14 જૂને ઉજવવામાં આવશે.યોગિની એકાદશી પર સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ ચઢાવવાનું પણ મહત્ત્વ છે.

જાણકારોનું કહેવુનં છે કે સૂર્યદેવને જળ અર્પિત કર્યા પછી પીળા વસ્ત્રો ધારણ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો. શ્રી હરિને પીળા ફૂલ, પંચામૃત અને તુલસી દળ અર્પણ કરો. શ્રી હરિ અને મા લક્ષ્મીના મંત્રોનો જાપ કરો. કોઈ ગરીબ વ્યક્તિને પાણી, અનાજ, કપડાં, ચંપલ અને છત્રીનું દાન કરો. આ દિવસે માત્ર પાણી અને ફળ લઈને જ વ્રત રાખો. સવારે અને સાંજે એમ બે વાર પૂજા કરવામાં આવે છે. માનસિક સમસ્યાઓથી છુટકારો મેળવવો હોય તો યોગિની એકાદશીનું વ્રત રાખવું. દિવસ-રાત માત્ર પાણી જ ગ્રહણ કરો. ભગવાન શિવની યથાશક્તિ પૂજા કરો. ઓછું બોલો અને ગુસ્સો ન કરો.

જો તમારે તાત્કાલિક નોકરીની જરૂર હોય તો આ દિવસે લાલ રંગનું એક આસન લો, એ આસનની ચારેબાજુ એકમુખી દિવો સળગાવો. આસન પર બેસીને સંકટમોચન હનુમાનષ્ટકનો પાઠ કરો.હનુમાનજીને નોકરી મેળવવા માટે પ્રાર્થના કરો, તમારું કામ થઇ જશે.યોગિની એકાદશીના દિવસે ઉપવાસ રાખો. સવાર અને સાંજ શ્રી હરિની ઉપાસના કરો. આ એકાદશીએ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો ઉત્તમ ગણાશે. ભગવદ ગીતાના અગિયારમાં અધ્યાયનો પાઠ પણ કરી શકો છે.યોગિની એકાદશીના દિવસે પીપળાનો છોડ વાવો અને ગરીબોને, કપડા, અનાજ, પૈસાનું દાન કરો.

યોગિની એકાદશીની તિથિનો પ્રાંરંભ 13 જૂને સવારે 9-28 થી થશે અને 14 જૂન સવારે 8-28 વાગ્યે તિથી સમાપ્ત થશે. યોગિની એકાદશી પારણા 15 જૂને સવારે 5-22 8વાગ્યે થશે.

એવું માનવામાં આવે છે કે યોગિની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના તમામ કષ્ટોનો અંત આવે છે અને વ્યક્તિને રોગોથી મુક્તિ મળે છે. જો તમારે સ્વસ્થ અને સ્વસ્થ રહેવું હોય તો યોગિની એકાદશીનું વ્રત અવશ્ય રાખો. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી 88 હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. તેમજ યોગિની એકાદશીનું વ્રત રાખવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.