મોદી સરકારમાં સત્તાના દલાલોની ટોળકીનો સફાયો કરી દેવાયો છે: નિર્મલા સીતારમણ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે એક ન્યૂઝ ચેનલ ઈન્ટરવ્યુમાં ડ્રાફ્ટ બજેટ પર નિખાલસતાથી પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. નાણામંત્રીએ કહ્યું કે પહેલા દલાલો સત્તાના ગલિયારામાં ફરતા હતા. આ દલાલોને સંપૂર્ણ રીતે હટાવવાનું કામ મોદી સરકારે કર્યું છે. તેમણે કહ્યું કે મોદી સરકાર પહેલા ડ્રાફ્ટ બજેટ પર દલાલોનું દબાણ રહેતું હતું, પરંતુ હવે બજેટ દેશના લોકોના હિતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. હવે બજેટ તૈયાર કરતી વખતે દલાલોના વ્યકિતગત સ્વાર્થ પર ફોકસ રાખવામાં આવતું નથી. દેશનું અંદાજ પત્ર દરેક વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. કોઇ પણ વર્ગ નિરાશ ન થાય તેનું બજેટમાં ધ્યાન રાખવામાં આવે છે. નાણાં મંત્રીએ કહ્યું કે, PM મોદીએ નીતિ નિર્માણ માટે એક પારદર્શક સિસ્ટમ તૈયાર કરી છે, એ સિસ્ટમને કારણે સત્તાના દલાલો ગાયબ થઇ ગયા છે.

જ્યારે સીતારમણને પૂછવામાં આવ્યું કે બંગાળના CM મમતા બેનર્જિએ બજેટને નકામું અને દિશાહીન ગણાવ્યું છે, તો તમે આના પર શું કહેશો? આ સવાલના જવાબમાં સીતારમણે કહ્યું કે, બજેટ કોઈ ખાસ માટે ઉત્સાહ પેદા કરવા માટે નથી પરંતુ લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા અને તેમના પ્રશ્નોના ઉકેલ માટે તૈયાર કરવામાં આવે છે. આ એક ગંભીર દસ્તાવેજ છે.  તેમણે કહ્યું કે,વિપક્ષી નેતાઓએ સામાન્ય માણસ પાસેથી શીખવું જોઈએ અને યોગ્ય હોમવર્ક કર્યા પછી વિચારો વ્યક્ત કરવા જોઈએ.

નિર્મલા સીતારમણને સવાલ પુછવામાં આવ્યો કે કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે બજેટ પર ટીપ્પણી કરી હતી કે બજેટમાં ગરીબોની કોઇ ચર્ચા કરવામાં આવી નથી. તો નાણાં મંત્રીએ કહ્યુ કે, જો કોંગ્રેસ નેતાએ 100 વખત તેનો ઉલ્લેખ કર્યો હોત તો શું થાત? શું તેઓ ગરીબી દૂર કરી શક્યા હોત? કોંગ્રેસની આ આદત છે કે તે અધિકારની વાત કરે છે પણ કશું આપતી નથી. બીજી તરફ PM મોદીનું નેતૃત્વ અંતિમ  માઈલ સુધી લોકોને સુવિધા આપવામાં વિશ્વાસ રાખે છે.

જ્યારે નાણા મંત્રીને પુછવામાં આવ્યું કે વિદેશી રોકાણકારોએ અદાણીને કારણે ભારતના બજારમાંથી 2 બિલિયન ડોલર ખેંચી લીધા છે, તો શું આને કારણે દેશને નુકશાન નથી?  આના જવાબમાં નિર્મલા સીતારમણે કહ્યું કે, આ આંકડાઓ વિશેનો અભ્યાસ કર્યા પછી જ હું કહી શકીશ. તેમણે કહ્યું કે LIC અને SBIએ અદાણી વિવાદમાં પોતાનો પક્ષ રજૂ કરી જ દીધો છે. સીતારમણને પુછવામાં આવ્યું કે વિપક્ષ  અદાણી વિવાદમાં JPC તપાસની માંગ કરી રહ્યું છે. તો નાણાં મંત્રીએ કહ્યું કે, આ વિશે હું કોઇ ટીપ્પણી કરવા માંગતી નથી. અદાણીનો કેસ જોવા માટે રેગ્યુલેટર્સ છે.

નિર્મલા સીતારમણે  લઘુમતી મંત્રાલય અને મનરેગાના બજેટ ઘટાડા વિશે બોલતા કહ્યું હતું કે પહેલા બજેટમાં ફંડ વિખરાયેલું રહેતું હતું, પરંતુ હવે તેને એક જગ્યાએ એકઠું કરવામાં આવ્યું છે. જેને કારણે વધારે લોકોને ફાયદો થશે. સાથે દરેકને ઘર અને ઘર જળ યોજનામાં પણ મનરેગા હેઠળ કામ કરવાની તક મળશે, જેનાથી તેમની આવક વધશે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.