7 લાખ પર નો ટેક્સ? નવી અને જૂની ટેક્સ સિસ્ટમમાં કન્ફ્યૂઝ છે? તો સમજો આખું ગણિત

નાણા મંત્રી નિર્મલા સીતારમને સામાન્ય બજેટ 2023માં પગારદારો માટે ટેક્સ સ્લેબમાં બદલાવની સાથોસાથ મોટી ટેક્સ રાહતની જાહેરાત કરી દીધી છે. હવે 7 લાખ સુધી કોઈ ટેક્સ આપવો નહીં પડશે. આ ઉપરાંત, જૂના 7 ટેક્સ સ્લેબને ઘટાડીને હવે 5 કરી દેવામાં આવ્યા છે. જોકે, નવી ટેક્સ વ્યવસ્થામાં એક ઝોલ છે. 7 લાખ સુધીની આવક સુધી તો ટેક્સ નથી આપવાનો પરંતુ, ત્યારબાદની રકમને લઈને ગફલત છે. નાણા મંત્રીએ પોતાના ભાષણમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, નવી ટેક્સ વ્યવસ્થામાં 7 લાખ સુધી કોઈ ટેક્સ નહીં લાગશે. પરંતુ, તેમણે જૂની ટેક્સ વ્યવસ્થાને પણ લાગૂ રાખી છે.

નાણા મંત્રીએ કહ્યું કે, હજુ સુધી જૂની અને નવી ટેક્સ વ્યવસ્થામાં 5 લાખ સુધી ટેક્સ નથી આપવાનો. નાણા મંત્રીએ કહ્યું કે, નવી ટેક્સ વ્યવસ્થામાં આ છૂટને 5 લાખથી વધારીને 7 લાખ સુધી કરવામાં આવી છે. નવી ટેક્સ વ્યવસ્થામાં 7 લાખ સુધીની આવક ધરાવતા લોકોએ શૂન્ય ટેક્સ આપવાનો રહેશે. નાણા મંત્રીએ આ સાથે જ જૂની ટેક્સ વ્યવસ્થામાં પણ બદલાવની જાહેરાત કરી દીધી છે. જૂની ટેક્સ વ્યવસ્થામાં 2.5 લાખની છૂટને વધારીને 3 લાખ રૂપિયા કરી દેવામાં આવી. બીજી તરફ, હવે નવી ટેક્સ વ્યવસ્થા જ બાઈ ડિફોલ્ટ ઈન્કમ ટેક્સ ભરતી વખતે તમારી સામે આવશે. જોકે, ટેક્સ પેયર્સને એ છૂટ હશે કે તે જૂની ટેક્સ વ્યવસ્થા પણ પસંદ કરી શકે છે. આ સાથે જ નાણા મંત્રીએ ઈન્કમ ટેક્સના 7 સ્લેબને ઘટાડીને 5 કરી દીધા છે. પરંતુ, અહીં તમને જણાવી દઈએ કે, નવી ટેક્સ વ્યવસ્થામાં તમે 80C અંતર્ગત મળનારી છૂટનો લાભ ના લઈ શકો.

નવો ટેક્સ સ્લેબ

7 લાખ સુધીની આવક પર ટોઈ ટેક્સ નથી

7 લાખ કરતા વધુ આવક માટે ટેક્સ સ્ટ્રક્ચર

ઈન્કમ

ટેક્સ

0-3 લાખ

કોઈ ટેક્સ નહીં

3-6

5%

6-9

10%

9-12

15%

12-15

20%

15 લાખથી ઉપર

30%

હવે સમજો સમીકરણ

નવી ટેક્સ વ્યવસ્થામાં જેની આવક 7 લાખ રૂપિયા સુધી છે તેમણે કોઈ ટેક્સ નહીં આપવો પડશે. પરંતુ, જો તમારી આવક 7 લાખ રૂપિયા કરતા એક રૂપિયો પણ વધુ છે તો તમારે 3 લાખ સુધી તો કોઈ ટેક્સ નથી આપવાનો. પછી ત્યારબાદ બાકી 4 લાખ રૂપિયા પર તમારે 5 ટકા ટેક્સ આપવો પડશે. એટલે કે તમે પહેલાવાળા ટેક્સ સ્લેબમાં આવી જશો. તેને આ રીતે સમજો. 7 લાખ કરતા વધુ આવક થઈ તો તમારે 6 લાખ સુધી 15 હજાર રૂપિયા ટેક્સ આપવો પડશે. એટલે કે તમે 5 ટકા ટેક્સ બ્રેકેટમાં આવશો. પછી 9 લાખ સુધી તમારી આવક છે તો તમારે 45 હજાર રૂપિયા ટેક્સ આપવો પડશે. 12 લાખ સુધીની આવક ધરાવતા વ્યક્તિએ 90 હજાર ટેક્સ આપવો પડશે. 15 લાખ કરતા વધુ આવક છે તો 1.50 લાખ ટેક્સ આપવો પડશે. 15 લાખ કરતા વધુ આવક છે તો 1.5 લાખ ઉપરાંત, બાકીની આવકના 30% ટેક્સ આપવો પડશે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.