100 કરોડનો ગોટાળો, TCSએ કંપનીના 4 અધિકારીને નોકરીમાંથી કાઢ્યા, જાણો શું કરતા

ખાનગી કંપનીમાં તગડો પગાર મેળવતા હોવા છતા 4 અધિકારીઓ કંપનીમાં નોકરી પર રાખવા માટે લાંચ લેતા હતા, આખરે કંપનીને ખબર પડી જતા બહારનો દરવાજો બતાવી દેવામાં આવ્યો છે.

દેશની સૌથી મોટી IT કંપની Tata Consultancy Services (TCS)માં લાંચ લઈને નોકરી આપવાનો મામલો સામે આવ્યો છે. લાંચ લેવાના આ મામલાના ખુલાસા બાદ કંપનીમાં ખળભળાટ મચી ગયો છે. એક અહેવાલ મુજબ, કેટલાક વરિષ્ઠ TCS એક્ઝિક્યુટિવ્સ તેમના ઉમેદવારોને નોકરી આપવાના બદલામાં સ્ટાફિંગ કંપનીઓ પાસેથી લાંચ લેતા હતા. રિપોર્ટ અનુસાર આ બધું ઘણા વર્ષોથી ચાલતું હતું. આ મામલાના ખુલાસા બાદ ટાટા ગ્રૂપની કંપની TCSએ તાત્કાલિક કાર્યવાહી કરી છે. કંપનીએ તેના રિસોર્સ મેનેજમેન્ટ ગ્રૂપ (RMG)માંથી ચાર અધિકારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા છે અને ત્રણ સ્ટાફિંગ ફર્મ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

અહેવાલ મુજબ, સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક વ્હિસલબ્લોઅરે કંપનીના CEO અને COOને પત્ર લખીને દાવો કર્યો હતો કે RMGના ગ્લોબલ વડા ES ચક્રવર્તી, કંપનીમાં ઉમેદવારોને નોકરી પર રાખવા માટે એ સ્ટાફીંગ ફર્મ પાસેથી લાંચ હતા, જે કંપની માટે સ્ટાફ હાયર કરવાનું કામ કરે છે.આ મામલો પ્રકાશમાં આવ્યા પછી, IT પ્રમુખે આરોપોની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી, જેમાં મુખ્ય માહિતી સુરક્ષા અધિકારી અજીત મેનનનો સમાવેશ થાય છે.

તપાસ પછી, TCS એ તેના રિક્રુટમેન્ટ પ્રમુખને રજા પર મોકલી દીધા અને RMGના 4 અધિકારીઓને નોકરી પરથી કાઢી મુક્યા.ઇએસ ચક્રવર્તીને ઓફિસ આવતા અટકાવવામાં આવ્યા હતા. આ સાથે ડિવિઝનના અન્ય અધિકારી અરુણ જીકેને પણ કંપનીએ સસ્પેન્ડ કરી દીધા હતા. રિપોર્ટમાં એક અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીએ કોન્ટ્રાક્ટરો સહિત 3 લાખ લોકોને નોકરી પર રાખ્યા છે. તેમણે એવો પણ અંદાજ લગાવ્યો હતો કે કૌભાંડમાં સામેલ લોકોએ કમિશન દ્વારા ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયા કમાયા હશે.

માર્ચ ત્રિમાસિક ગાળાના પરિણામમાં કંપનીએ જણાવ્યુ હતું કે કંપનીએ નાણાંકીય વર્ષ 2023માં 22,600 કર્મચારીઓને નોકરી આપી હતી. 31 માર્ચ 2023 સુધીમાં કંપનીમાં કુલ 6.14, 975 કર્મચારીઓ કામ કરી રહ્યા છે.ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં 6.13, 974 કર્મચારી હતા.

ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો પછી, કંપનીના ચીફ એચઆર ઓફિસર મિલિંદ લક્કડે કહ્યું હતું કે,છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં, અમારું ધ્યાન મોટા પાયા પર નવી પ્રતિભા લાવવા અને તેમને નવી તકનીકો પર તાલીમ આપીને ઉત્પાદક બનાવવા પર છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.