એક્સચેન્જમાં ટ્રેડિંગ અટકે તો 15 મિનિટમાં આપવી પડશે સૂચના,SEBIએ કર્યા આ 6 ફેરફાર

હવે જો એક્સચેન્જમાં કોઇ પ્રકારે કામકાજ બાધિત થાય તો માર્કેટ પાર્ટિસિપેન્ટ્સ, ટ્રેડિંગ મેમ્બર્સ વગેરેને 15 મિનિટની અંદર તેની સૂચના આપવી પડશે. એટલું જ નહીં રેગ્યુલેટરને તાત્કાલિક તેની જાણકારી આપવી પડશે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે, SEBIએ સ્ટોક એક્સચેન્જમાં કોઇ પણ કારણે કામકાજ ઠપ્પ થવાની સ્થિતિમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરી છે. SEBIના સર્ક્યુલર અનુસાર, એક્સચેન્જમાં ગડબડ એટલે કે, આઉટેજનો મતલબ ટ્રેડિંગ બંધ થવાથી છે. તેમાં એક્સચેન્જમાં ટેક્નિકલ ગડબડીઓ એક્સચેન્જના કંટ્રોલની બહારના કારણ શામેલ છે. આવી સ્થિતિમાં એક્સચેન્જને માર્કેટ પાર્ટિસિપેન્ટ્સ, ટ્રેડિંગ મેમ્બર્સ અને અન્ય MIIને સૂચના આપવા માટે 15 મિનિટની ટાઇમ વિંડો આપવામાં આવી છે.

એક કે તેનાથી વધારે સેગમેન્ટમાં પ્રોબ્લેમ આવવાની સ્થિતિને આઉટેજ માનવામાં આવ્યું છે. જોકે, અન્ય અપ્રભાવિત સેગમેન્ટમાં ટ્રેડિંગ ચાલુ રહેશે. સાથે જ, અન્ય અપ્રભાવિત એક્સચેન્જ પોતાના દરેક માર્કેટ સેગમેન્ટમાં ટ્રેડ ચાલુ રાખી શકશે. પ્રભાવિત એક્સચેન્જને ટ્રેડિંગ શરૂ કરવા પહેલા દરેક માર્કેટ પાર્ટિસિપેન્ટ્સને 15 મિનિટ પહેલા સૂચના આપવી પડશે. જ્યારે, પ્રભાવી પ્રાઇઝ ડિસ્કવરી માટે પ્રીઓપનિંગ સેશન સામાન્ય પ્રીઓપનિંગ સેશનની જેમ હશે.

જો એક્સચેન્જ સામાન્ય ક્લોઝરથી 45 મિનિટ પછી પ્રોબ્લેમને દૂર નથી કરી શકતું તો પછી પ્રભાવિત એક્સચેન્જમાં એ દિવસે કોઇ ટ્રેડિંગ નહીં થશે. જોકે, અન્ય પ્રભાવિત એક્સચેન્જમાં વધારવામાં આવેલા સમય માટે કામકાજ ચાલુ રહેશે. જો પ્રોબ્લેમ ટ્રેડિંગના છેલ્લા કલાકમાં અને નિર્ધારિત ક્લોઝરથી 15 મિનિટ પહેલા થાય છે તો દરેક એક્સચેન્જો માટે ટ્રેડિંગનો સમય દોઢ કલાક સુધી વધારવામાં આવશે.

ગયા મહિનાના એક ન્યુઝ રિપોર્ટ અનુસાર, SEBI કોમોડિટી એક્સચેન્જ MCX તરફથી ટ્રેડિંગ ટેક્નોલોજીમાં કરવામાં આવેલા ફેરફાર પર પણ ચાંપતી નજર રાખી રહ્યું છે. આ કેસ મદ્રાસ હાઇકોર્ટમાં પણ પહોંચી ગયો છે. રોકાણકારોના એક સમૂહે કોર્ટને અનુરોધ કર્યો છે કે, SEBI MCX પર ટ્રેડિંગ માટે ઉપયોગ કરવામાં આવી રહેલા સોફ્ટવેરની તપાસ પર વિસ્તૃત રિપોર્ટ સોંપે. આ કેસમાં SEBIએ કોર્ટ પાસે જવાબની એફીડેવિટ દાખલ કરવા માટે સમય માંગ્યો હતો. તેની સાથે જ, કોર્ટે MCX, MCX ક્લિયરિંગ કોર્પોરેશન અને તેમના CEO અને ચીફ ટેક્નોલોજી ઓફિસરને નોટિસ પણ મોકલી હતી.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.