5000 કરોડ રૂપિયા રીલિઝ, સહારાના 10 કરોડ રોકાણકારોને મળશે તેમના પૈસા પાછા

સહારા ગ્રુપની 4 ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની સ્કીમમાં રોકાણ કરનારા કરોડો રોકાણકારો માટે સારા સમાચાર છે. આ રોકાણકારોને તેમના ફસાયેલા નાણાં 9 મહિનામાં પાછા મળી જશે. સુપ્રીમ કોર્ટે બુધવારે રૂ. 5000 કરોડ જાહેર કર્યા છે. હવે આ નાણાં સહારા ગ્રુપની 4 સહકારી મંડળીઓના 10 કરોડ રોકાણકારોને પરત કરવામાં આવશે. પૈસા પરત કરવાનું કામ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ R. સુભાષ રેડ્ડીની દેખરેખ હેઠળ થશે. નિવૃત્ત જસ્ટિસ રેડ્ડી સેન્ટ્રલ રજિસ્ટ્રાર કોઓપરેટિવ સોસાયટીઝ સાથે પરામર્શ કરીને નાણાં પરત કરવાની પદ્ધતિ નક્કી કરશે.

સહારા ગ્રુપની ચાર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીઓની સ્કીમમાં કરોડો રોકાણકારોએ નાણાં રોક્યા હતા. આ ચાર મંડળીઓ સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ, સહારાયન યુનિવર્સલ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડ, હમારા ઇન્ડિયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ અને સ્ટાર્સ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ છે. સહારા જૂથની આ મંડળીઓ માર્ચ 2010 થી જાન્યુઆરી 2014 વચ્ચે મલ્ટી-સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી એક્ટ 2002 હેઠળ નોંધાયેલી હતી. બાદમાં, આ સોસાયટીઓમાં થાપણદારોએ મોટી સંખ્યામાં થાપણો પરત ન કર્યાની ફરિયાદ કરી હતી.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ M.R. શાહ અને C.T. રવિકુમારની બેન્ચે પોતાના આદેશમાં રોકાણકારોને 9 મહિનાની અંદર નાણાં પરત કરવા જણાવ્યું છે. સેબી-સહારા ખાતામાંથી 5,000 કરોડ સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફ કોઓપરેટિવ સોસાયટીઝને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ રજિસ્ટ્રાર સહારાની સહકારી મંડળીઓના રોકાણકારોને નાણાં પરત કરશે. નાણાંની વહેંચણીનું કામ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ R. સુભાષ રેડ્ડીની નજર અને દેખરેખ હેઠળ થશે. એડવોકેટ ગૌરવ અગ્રવાલ પણ આ કામમાં મદદ કરશે, તેઓ આ મામલે અમીકસ ક્યુરી છે. કોર્ટે ભૂતપૂર્વ ન્યાયાધીશને તેમની સેવાઓ માટે દર મહિને 15 લાખ રૂપિયા અને એમિકસ ક્યૂરીને 5 લાખ રૂપિયાનું માનદ વેતન નક્કી કર્યું છે.

સેબી-સહારા રિફંડ એકાઉન્ટ ઓગસ્ટ 2012માં અસ્તિત્વમાં આવ્યું, જ્યારે સુપ્રીમ કોર્ટે સહારા ગ્રૂપની બે કંપનીઓ- સહારા ઈન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન લિમિટેડ (SIRECL) અને સહારા હાઉસિંગ ઈન્ડિયા કોર્પોરેશન લિમિટેડ (SHICL)ને રિલીઝ કરેલા વૈકલ્પિક રીતે સંપૂર્ણપણે કન્વર્ટિબલ બોન્ડ્સ (OFCB)માં રોકાણકારોના નાણાં પરત કરવા કહ્યું. ઓર્ડર બાદ સહારાએ આ ખાતામાં રૂ. 15,000 કરોડથી વધુ જમા કરાવ્યા, વ્યાજ સાથે આ રકમ હવે વધીને રૂ. 24,000 કરોડ થઈ ગઈ છે.

રિફંડ પ્રક્રિયાની દેખરેખ માટે કોર્ટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ B.N. અગ્રવાલની નિમણૂક કરી હતી. ડિસેમ્બર 2022 સુધી, 138 કરોડ રૂપિયાની રકમ પરત કરવામાં આવી છે અને 23,937 કરોડ રૂપિયા હજુ પણ ખાતામાં બાકી છે. કેન્દ્ર સરકારની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સેન્ટ્રલ રજિસ્ટ્રાર કોઓપરેટિવ સોસાયટીએ જૂન 2022 સુધી 1.21 લાખ દાવાઓ મોકલ્યા છે. આ દાવા સહારા ગ્રુપની 4 કંપનીઓ માટે છે અને આ દાવાઓની કુલ કિંમત 375 કરોડ રૂપિયા હશે. જ્યારે, સહારા જૂથે દાવો કર્યો છે કે તેણે 4500 થી વધુ લોકોને ચૂકવણી કરી છે અને હવે 1.17 લાખ ક્લેમ ચૂકવવાના છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.