ગૌતમ અદાણીએ ચાલ બદલી, એક તરફ હંગામો થતો રહ્યો, બીજી તરફ નવી કંપની ઉભી કરી દીધી

હિંડનબર્ગના હંગામા પછી અદાણી ગ્રુપે પોતાની બિઝનેસની રણનીતિમાં બદલાવ કર્યો છે. અદાણીએ એક નવી કંપની બનાવી લીધી છે. અદાણી એન્ટરપ્રાઇઝીસે પોતાના બિઝનેસના વિસ્તરણની જાહેરાત કરી છે. કંપનીનું નામ પેલ્મા કોલિયરીજ રાખવામાં આવ્યું છે. 7 એપ્રિલે આ કંપનીની રચના કરવામાં આવી છે.

24 જાન્યુઆરી 2023ના દિવસે અમેરિકાની રિસર્ચ કંપની હિંડનબર્ગે અદાણી ગ્રુપની વિરુદ્ધમાં એક નેગેટીવ રિપોર્ટ બહાર પાડ્યો હતો. આ રિપોર્ટ બહાર આવ્યા પછી વિવાદ વધતો ગયો અને વિરોધીઓ હાવી થવા માંડ્યા હતા. સડકથી માંડીને સંસદ સુધી અદાણી સામે મોર્ચો ખોલી દેવામાં આવ્યો હતો. અદાણીની લોન, તેમના બિઝનેસ વિશે સવાલો  ઉઠવા માંડયા હતા. રોકાણકારોમાં પણ નારાજગી હતી.

અદાણી ગ્રુપના શેર, કંપનીનું માર્કેટ કેપ, ગૌતમ અદાણીની નેટવર્થ બધું ઉંધા માથે પટકાયું હતું. વિવાદ વધતો રહ્યો હતો, પરંતુ ગૌતમ અદાણીએ હાર માની નહોતી. એક તરફ વિવાદ ચાલતો રહ્યો અને બીજી તરફ અદાણીએ નવી કંપની ઉભી કરી દીધી.

અદાણીની ફલેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝીસે પોતાના બિઝનેસના વિસ્તરણની જાહેરાત કરી છે. કંપનીએ Coal Washery બિઝનેસમાં એન્ટ્રી કરી લીધી છે. અદાણી એન્ટરપ્રાઇઝીસે આ બિઝનેસ માટે એક સબસીડિયરી કંપની બનાવી છે, જેનું નામ છે પેલ્મા કોલિયરીઝ ( Pelma Collieries) રાખવામાં આવ્યું છે. મતલબ કે અદાણી એન્ટરપ્રાઇઝીસને કોલ વોસરી બિઝનેસનું સંચાલન પેલ્મા કોલિયરીઝ કરશે.

આ કંપનીની રચના 7 એપ્રિલ 2023ના રોજ થઈ હતી. તેની સ્થાપના રૂ. 10 લાખની પ્રારંભિક ઓથોરાઇઝડ શેર કેપિટલ સાથે સાથે રૂ. 5 લાખની પેઇડ અપ શેર કેપિટલથી કરવામાં આવી છે. આ કંપની કોલ હેન્ડલિંહ સિસ્ટમ હેઠળ કામ કરશે. કંપનીનું કામ કોલ વોશરી સાથે જોડાયેલું છે. મતલબ કે કોલસા સાથે જોડાયેલી ગંદકીને સાફ કરવાની એક પ્રક્રીયા છે.

અદાણી ગ્રુપ પર તમામ આરોપો લાગ્યા, કંપનીએ પોતાના તરફથી સ્પષ્ટતાઓ પણ કરી હતી. અદાણી પર હિંડનબર્ગના હુમલા પછી અદાણી ગ્રુપે રણનીતિમાં બદલાવ કર્યો છે.કંપનીએ પોતાનું દેવું ચૂકતે કરવા પર ફોકસ કર્યું છે. અદાણી ગ્રુપે નવા બિઝનેસ વધારવાને બદલે હાલના બિઝનેસ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું શરૂ કર્યું છે. રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખવા માટે અદાણીએ વિદેશોમાં રોડ શો કર્યા અને તેની હકારાત્મક અસર જોવા મળી અને અદાણી ગ્રુપના શેરો ફરી એકવાર ઉપર આવ્યા.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.