અદાણી ગ્રુપે અબુ ધાબીની કંપનીને 3260 કરોડ રૂપિયા પરત આપી દીધા

હિંડનબર્ગના રિપોર્ટને કારણે અદાણી ગ્રુપની સ્થિતિ કફોડી બની જવા પામી છે એવા સમયે ગ્રુપ તરફથી એક પોઝિટિવ સમાચાર સામે આવ્યા છે. અદાણી ગ્રુપે અબુ ધાબીની એક કંપનીને 3260 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે. આ કંપનીએ અદાણી એન્ટરપ્રાઇઝીસના FPOમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા હતા. અદાણી ગ્રુપે બુધવારે જાહેરાત કરી હતી કે અદાણી એન્ટરપ્રાઇઝીસનો FPO પાછો ખેંચી લેવામાં આવે છે અને રોકાણકારોના પૈસા પરત કરવામાં આવશે. અદાણીએ તાત્કાલિક રોકાણકારોનો પૈસા પરત કરી દીધા હતા.

અબુ ધાબી સ્થિત ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપનીએ ગુરુવારે પુષ્ટિ કરી હતી કે અદાણી એન્ટરપ્રાઇઝીસે હવે  20,000 કરોડ રૂપિયાના ફોલો-અપ ઓફરિંગ (FPO)માં રોકાણ કરેલા ભંડોળનું ટ્રાન્સફર પૂર્ણ કર્યું છે. સોમવારે IHCએ જાહેરાત કરી હતી કે તેણે અદાણી એન્ટરપ્રાઇઝના FPOમાં 400 મિલિયન ડોલર (3,260 કરોડ)નું રોકાણ કર્યું છે. અદાણી ગ્રૂપના શેરોમાં કડાકાને પગલે અદાણીએ બુધવારે FPO પાછો ખેંચી લીધો હતો.

 અમેરિકાની રિસર્ચ કંપની હિંડનબર્ગે 24 જાન્યુઆરીએ અદાણી ગ્રુપની સામે આરોપો મુકતો એક રિસર્ચ રિપોર્ટ જાહેર કર્યો હતો. 1,000 પાનાના રિપોર્ટમાં આ રિસર્ચ કંપનીએ અનેક આરોપો મુક્યા હતા. જેને કારણે અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં કડાકા બોલી ગયા હતા.

જે દિવસે હિંડનબર્ગનો રિસર્ચ રિપોર્ટ જાહેર થયો તે જ દિવસે અદાણી એન્ટરપ્રાઇઝીસનો FPO ખુલ્યો હતો. કંપની 3100ના ભાવે ફોલોઓન પબ્લિક ઓફરીંગ (FPO) લાવી હતી. રિપોર્ટને કારણે શેરોના ભાવો તુટી ગયા અને તેની સાથે અદાણી એન્ટરપ્રાઇઝીસના શેરનો ભાવ પણ તુટી ગયો હતો.

 અદાણી એન્ટરપ્રાઇઝીસનો  FPO 31 જાન્યુઆરી બંધ થયો હતો અને શરૂઆતના દિવસોની મુશ્કેલી બાદ ઇશ્યૂ આમ તો પુરો ભરાઇ ગયો હતો. પરંતુ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ બુધવારે મોડી રાત્રે એક વીડિયો જારી કરીને જાહેરાત કરી હતી કે અદાણી એન્ટરપ્રાઝીસનો FPO પાછો ખેંચી લેવામાં આવે છે. ગૌતમ અદાણીએ કહ્યું કે, અમને લાગે છે કે ભલે ઇશ્યૂ ભરાઇ ગયો છે, પરંતુ ઇથિકલી રોકાણકારોનું હીત અમારા માટે સર્વોપરી છે.

FPOમાં 20,000 કરોડ કરતા વધારે રોકાણ આવ્યું હતું, જે અદાણી ગ્રુપે બધા રોકાણકારોને પરત કરી દીધું છે. અબુધાબીની કંપની ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સે આ વાતની ખાત્રી પણ કરી છે. અદાણી એન્ટરપ્રાઇઝીસના શેરનો ભાવ શુક્રવારે 1274 રૂપિયા પર આવી ગયો છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.