અદાણી ગ્રુપના શેરોમાં ભૂકંપ, 1 કલાકમાં 52000 કરોડ રૂપિયાનું ધોવાયા, જાણો કારણ

દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને એશિયાના બીજા નંબરના સૌથીધનિક ગૌતમ અદાણીની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ જ નથી લેતી. અમેરિકાની એક એજન્સીના અહેવાલને કારણે અદાણી ગ્રુપના શેરો શુક્રવારે શેરબજારાં ઉંધા માથે પટકાયા હતા અને એક જ કલાકમાં 52,000 કરોડ રૂપિયાનું ધોવાણ થઇ ગયું હતું.

ગૌતમ અદાણીના અદાણી ગ્રુપની મુશ્કેલીઓ ફરી એકવાર વધી શકે છે. સુપ્રિમ કોર્ટના આદેશ બાદ ભારતમાં શેરબજારના નિયમનકાર સેબી પહેલાથી જ અદાણી જૂથ સામે તપાસ કરી રહી છે. શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બહાર આવ્યા બાદ અમેરિકી એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે અદાણી ગ્રૂપમાં રોકાણ કરનારા અમેરિકન રોકાણકારોને આ જાહેરાતમાં જૂથે કઈ માહિતી શેર કરી છે. હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર વિદેશીઓ કંપનીઓ દ્રારા ગ્રુપ કંપનીઓના શેરોના ભાવમાં હેરફેર કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ અહેવાલને કારણે અદાણી ગ્રુપની કંપની ACCના શેરનો ભાવ 3 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝીસ 9 ટકા, અદાણી દ્રીન એનર્જિના ભાવમાં 3 ટકા , અદાણી પોર્ટસના ભાવમાં 5 ટકા, અદાણી પાવરના ભાવમાં 5 ટકા, અદાણી ટોટલ ગેસના ભાવામાં 4 ટકા, અદાણી ટ્રાન્સમિશન 8 ટકા, અદાણી વિલ્મર 3 ટકા, અબુંજા સીમેન્ટ 3 ટકા અને NDTVના શેરમાં 3 ટકાનો કડાકો બોલી ગયો છે. માત્ર એક જ કલાકમાં અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં 52,000 કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે.

ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, રિપોર્ટ બાદ ગ્રુપ અમેરિકન રોકાણકારો સાથે વાત કરી રહ્યું છે. અદાણી ગ્રૂપની કંપનીઓ પર વિદેશી કંપનીઓની મદદથી શેરમાં હેરાફેરી કરવાનો આરોપ છે. અમેરિકાની બ્રુકલિન અને ન્યૂયોર્ક અમેરિકન તપાસ એજન્સીઓ શોર્ટ સેલર હિંડનબર્ગ એટર્ની ઓફિસે આ ગ્રુપ કંપનીઓમાં રોકાણ કરનારા સંસ્થાકીય રોકાણકારો પાસેથી ઘણી માહિતી માંગી છે.

જો કે આ મામલે અદાણી ગ્રુપનું નિવેદન આવ્યું છે. અદાણી ગ્રૂપના પ્રવક્તાએ કહ્યું છે કે તેમની પાસે US રેગ્યુલેટર્સ દ્વારા રોકાણકારો પર કરવામાં આવેલી કાનૂની નોટિસ  વિશે કોઈ જાણકારી નથી.

મીડિયા રિપોર્ટમાં રોકાણકારોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ પ્રશ્નો અદાણી ગ્રુપમાં રોકાણ સાથે સંબંધિત છે. આ રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકાનું માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) પણ આવી જ તપાસ કરી રહ્યું છે.

અમેરિકી સત્તાવાળાઓ હાલમાં તપાસ કરી રહ્યા છે કે હિંડનબર્ગના અહેવાલ બાદ અદાણી ગ્રૂપે કયા અમેરિકી રોકાણકારોનો સંપર્ક કર્યો હતો અને તેનો હેતુ શું હતો.જોકે, માહિતી મેળવવા અને US એટર્ની પાસેથી પ્રશ્નો પૂછવાનો મતલબ એવો નથી કે કોઈપણ પ્રકારની કાનૂની કાર્યવાહી થવાનું બંધાયેલું છે. આ એજન્સીઓ ઘણી વખત તપાસ શરૂ કરે છે, પરંતુ તેમાંથી કોઈ નિષ્કર્ષ બહાર આવતો નથી.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.