ઉછળેલા અદાણીના શેરમાં આ વ્યક્તિની ચાંદી થઇ ગઇ, 2 દિવસમાં 3100 કરોડની કમાણી

છેલ્લાં કેટલાંક સમયથી અદાણી ગ્રુપના શેરોમાં  મોટા કડાકાને કારણે ગૌતમ અદાણી ઉપરાંત દેશભરના રોકાણકારોનો પરસેવો પડી ગયો હતો. પરંતુ આ સપ્તાહમાં અચાનક એવી બાજી પલટાઇ કે અદાણી ગ્રુપના બધા શેરો રોકેટ ગતિ એ ઉછળી ગયા. અદાણી ગ્રુપ કંપનીઓના શેરોના આ ઉછાળામાં મારા તમારા જેવા નાના રોકાણકારોને તો મામલી જ ફાયદો થયો છે, પરંતુ એક NRI ઇન્વેસ્ટર્સને તો માત્ર બે જ દિવસમાં ચાંદી –ચાંદી થઇ ગઇ છે. આ મહાશયે અદાણીના શેરોમાં રોકાણ કરીને બે જ દિવસમાં 3100 કરોડ રૂપિયાનો નફો કરી લીધો છે. આને કહેવાય નસીબ.

અદાણી ગ્રુપની કંપનીના શેરોમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને તગડો નફો રળીને ચર્ચામાં આવેલા આ NRIનું નામ છે રાજીવ જૈન. રાજીવ જૈને અદાણી ગ્રુપ કંપનીના 4 શેરો, અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પોર્ટ્સ, અદાણી ગ્રીન એનર્જિ અને અદાણી ટ્રાન્સમિશનમાં 15,446 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. માત્ર 2 જ દિવસમાં રાજીવ જૈનને 3102 કરોડ રૂપિયાનો નફો થઇ ગયો છે.

હિંડનબર્ગ રિસર્ચના અહેવાલને પગલે એક મહિનાના લાંબા કડાકા બાદ અદાણીના શેરમાં આ અઠવાડિયે આક્રમક તેજી જોવા મળી છે. આ સપ્તાહની શરૂઆતમાં, 92 બિલિયન ડોલરનું ફંડ GQG પાર્ટનર્સે એમ કહીને રોક્યું હતું કે તેમને અદાણી ગ્રુપમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાઓ દેખાઇ રહી છે.

રાજીવ જૈનની માલિકીની GQG પાર્ટનર્સે સંકટોથી ઘેરાયેલા અદાણી ગ્રુપના શેરોમાં 15,446 કરોડ રૂપિયાનો જોખમી દાવ ખેલ્યો હતો. જૈનની કંપનીએ અદાણી ગ્રુપની 4 કંપનીઓની હિસ્સેદારી ખરીદી હતી. આ જોખમે જૈનની કંપનીને માત્ર 2 જ દિવસમાં 20 ટકા જેટલો માતબર નફો કરાવી આપ્યો. 20 ટકા મતલબ 3102 કરોડ રૂપિયાનો નફો.

રાજીવ જૈને ગુરુવારે બ્લોક ડીલમાં અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર 1,410.86 રૂપિયાના ભાવે ખરીદ્યો હતો. એ પછી શેરના ભાવમાં 33 ટકાનો જંગી ઉછાળો આવી ગયો છે. જેમાં તેમને નિફ્ટી સ્ટોક પર 1813 કરોડ રૂપિયાનો ફાયદો થયો. એ જ રીતે રાજીવ જૈને અદાણી પોર્ટસ રૂપિયા 596.20, અદાણી ગ્રીન એનર્જિ રૂપિયા 504.6  અને અદાણી ટ્રાન્સમિશનનો શેર 668.4 રૂપિયામાં ખરીદ્યો હતો.

જો કે રાજીવ જૈનને અદાણીના શેરોમાં તો ફાયદો થયો, પરંતુ તેમની પોતાની કંપનીના શેરનો ભાવ 3 ટકા ગબડી ગયો. GQG પાટર્નસનો શેર ઓસ્ટ્રેલિયાના શેરબજારમાં લિસ્ટેડ છે. આ સોદામાં, અદાણી ગ્રૂપના પ્રમોટર એકમ એસબી અદાણી ફેમિલી ટ્રસ્ટે રોકડ મેળવવા માટે તેના હિસ્સાનો એક ભાગ વેચ્યો હતો. આનો ઉપયોગ દેવું ચૂકવવા માટે થઈ શકે છે.

રાજીવ જૈને અદાણી ગ્રુપની કંપનીમાં રોકાણ કરતી વખતે કહ્યું હતું કે, તેમની પાસે એસ્સેટ જેમ કે એરપોર્ટ, બંદરો અને ઉર્જા અસ્કયામતો "અદભૂત," "ન બદલી શકાય તેવી" અને સારી કિંમતે ઉપલબ્ધ છે. તેમણે ધ ઓસ્ટ્રેલિયન ફાઇનાન્સિયલ રિવ્યુને જણાવ્યું હતું કે તેમની ટીમ પાંચ વર્ષથી અદાણી કંપનીઓ પર નજીકથી નજર રાખી રહી હતી. પરંતુ કંપનીનું વેલ્યુએશન ઊંચું હતું. જૈને કહ્યું, હિંડનબર્ગનો પોતાનો દ્રષ્ટિકોણ હોય શકે છે, અને અમારી પાસે અમારો વિચાર છે અને અમે હિંડનબર્ગના રિપોર્ટથી અસંમત છીએ અને આ જ બજારની રણનીતિ છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.