પોર્ટ-એરપોર્ટ પછી આ સેક્ટરમાં ગૌતમ અદાણી એન્ટ્રી કરશે, આ કંપની ખરીદવાની યોજના

અમેરિકાની હિંડનબર્ગ રિસર્ચ કંપનીના રિપોર્ટ પછી મુશ્કેલીમાં મુકાનાર ગૌતમ અદાણી હવે નવા સેક્ટરમાં ઝંપલાવી રહ્યા છે.  24 જાન્યુઆરી 2023ના દિવસે હિંડનબર્ગે અદાણી ગ્રુપની વિરુદ્ધમાં જાહેર કરેલા રિપોર્ટને કારણે ગૌતમ અદાણીની નેટવર્થ અને અદાણી ગ્રુપ કંપનીઓના શેરો ઉંધા માથે પછડાયા હતા. હવે 6 મહિના પછી ગૌતમ અદાણી ફરી જોરમાં આવી રહ્યા છે અને પોર્ટ- એરપોર્ટ પછી આ સેક્ટરમાં ધૂમ મચાવવા જઇ રહ્યા છે.

અદાણી ગ્રુપ વધુ એક મોટી ડીલ કરવા જઇ રહી છે. પહેલેથી જ પોર્ટ અને એરપોર્ટ પર પોતાનો દબદબો ધરાવનારા ગૌતમ અદાણી હવે રેલવે સેક્ટર તરફ પોતાનો રૂખ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ગૌતમ અદાણી ઓનલાઇન ટ્રેન ટિકીટ બુકીંગ પ્લેટફોર્મ ખરીદવાની તૈયારી કરી રહ્યા છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે રેલેવે  સેક્ટરમાં પણ ધૂમ મચાવવાની તૈયારી કરી રહ્યા છે. અત્યારના સમયમાં દેશના સૌથી મોટા પોર્ટ અને એરપોર્ટ ઓપરેટ કરનાર અદાણી ગ્રુપ હવે ઓનલાઇન ટિકીટ બુકીંગ પ્લેટફોર્મમાં 100 ટકા હિસ્સેદારી ખરીદવાની તેયારી કરી રહ્યું છે.

અદાણી ગ્રુપની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝીસ રેલ ટિકીટ બુકીંગ સેગમેન્ટમાં મોટું રોકાણ કરવા જઇ રહી છે. અદાણી ગ્રુપે રેલવે સેક્ટરમાં પોતાનો સિક્કો જમવાવાની મોટી શરૂઆત રેલવે ઓનલાઇન બુકીંગથી કરી છે.

ગૌતમ અદાણીની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટપ્રાઇઝીસ સ્ટાર્ક એન્ટરપ્રાઇઝીસ (SEPL)માં 100 ટકા હિસ્સેદારી ખરીદવા જઇ રહી છે. સ્ટાર્ક એન્ટરપ્રાઇઝીસ ઓનલાઇન ટ્રેન બુકીંગ પ્લેટફોર્મનું સંચાલન કરે છે. જો કા આ ડીલ કેટલામાં થઇ છે તે વિશેની જાણકારી હજુ સુધી સામે આવી નથી. આ ડીલ હેઠળ હવે ટ્રેનમેન અદાણી ગ્રુપની સબ્સિડિયરી કંપની અડાણી ડિજિટલ લેબનો હિસ્સો બનશે. અદાણી ડિજિટલ લેબ, એ ગૌતમ અદાણીનો ફ્યૂચર બિઝનેસ પ્લાન છે.

ઓનલાઇન ટ્રેન ટિકીટ બુકીગં માટે IRCTC સૌથી મોટું પ્લેટફોર્મ છે. હવે આ સેક્ટરમાં અદાણીના પગપેસારાને કારણે પડકારો વધશે. ટ્રેનમેન પ્લેટફોર્મ IRCTCનું સત્તાવાર ઓનલાઇન ટિકીટ બુકીંગ પ્લેટફોર્મ છે. જેની શરૂઆત IIT પાસ આઉટ વિનીત ચિરાનીયા અને કરન કુમારે કરી હતી. કંપનીની હેડ ઓફિસ ગુરુગ્રામમા છે.

અમેરિકાની રિસર્ચ કંપની હિંડનબર્ગના રિપોર્ટ હુમલા પછી અદાણી માટે આ ડીલ ખાસ્સી મહત્ત્વપૂર્ણ છે. હિંડનબર્ગના રિપોર્ટને કારણે અદાણી ગ્રુપને મોટો ફટકો પડ્યો હતો. આ રિપોર્ટ પછી અદાણી ગ્રુપે તેની અનેક યોજનાઓને અટકાવી દીધી હતી. એવામાં આ નવી ડીલ ગૌતમ અદાણી માટે બૂસ્ટર સાબિત થશે.>

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.