શું થશે મુકેશભાઇના ચીનમાં બનતા Jiobookનું ,મોદી સરકારે લેપટોપની આયાત બેન કરી છે

JioBook લેપટોપની વાયરલ થિયરી દાવો કરે છે કે મોદી સરકારે મુકેશ અંબાણીને ફાયદો પહોંચાડવા માટે લેપટોપની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ આ ખોટું છે કારણ કે JioBook લેપટોપ ચીનમાં બનેલું છે. આનાથી અંબાણીને ફાયદો નહીં થાય.

JioBookને લઈને અનેક પ્રકારની થિયરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક થિયરી દાવો કરી રહી છે કે મુકેશ અંબાણીને ફાયદો પહોંચાડવા માટે મોદી સરકારે JioBookને ફાયદો પહોંચાડવા માટે લેપટોપની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. કારણ કે જો લેપટોપ પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો તેનો સીધો ફાયદો મુકેશ અંબાણીને મળશે.

રિલાયન્સે હાલમાં જ JioBook લોન્ચ કર્યું છે. Jioના ટેગના ઉમેરા સાથે, ઘણા લોકો તેને મેડ-ઇન-ઇન્ડિયા લેપટોપ સમજવાની ભૂલ કરે છે. પરંતુ,આ લેપટોપનું મેન્યુફેક્ચરિંગ ચીનમાં કરવામાં આવ્યું છે. આ સિવાય JioBookનું વેચાણ પણ રિલાયન્સ જિયો દ્વારા નહીં પરંતુ રિલાયન્સ રિટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

3 ઓગસ્ટે, ભારત સરકારે લેપટોપ, ટેબલેટ અને ઓલ-ઇન-વન પર્સનલ કોમ્પ્યુટરની આયાત પર કેટલાક નિયંત્રણો લાદ્યા છે. હવેથી કંપનીઓએ લેપટોપ, પર્સનલ કોમ્પ્યુટર અને ટેબલેટ જેવા ઉપકરણોની આયાત કરવા માટે લાયસન્સ મેળવવું પડશે. મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારતમાં આવા ઉત્પાદનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.કેટલાંક લોકોનો દાવો છે કે સરકારના આ નિર્ણયથી મુકેશ અંબાણીને ફાયદો થશે.

પરંતુ આ દાવાઓમાં બિલકુલ સત્યતા નથી. કારણ કે Jiobook લેપટોપ દેશમાં બની રહ્યું નથી. વાસ્તવમાં, JioBook લેપટોપનું ઉત્પાદન પણ ચીનમાં થાય છે. એમેઝોન પર વર્તમાન ઉત્પાદન વિગતો અનુસાર, JioBook લેપટોપ ચીનની હુનાન ગ્રેટવોલ કોમ્પ્યુટર સિસ્ટમ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. એટલે કે એ મેડ ઇન ચાઇના પ્રોડક્ટ છે. આવી સ્થિતિમાં, લેપટોપ પ્રતિબંધથી અંબાણીને ફાયદો થવાને બદલે નુકસાન થશે, કારણ કે JioBookના મોટા પાયે ઉત્પાદનનો ઓર્ડર કંપની દ્વારા આપવામાં આવ્યો હશે.

લેપટોપ પ્રતિબંધની અસર સેમસંગ, એચપી, લેનોવો કંપનીઓ તેમજ Jioને થશે. આવી સ્થિતિમાં, એ કહેવું સંપૂર્ણપણે ખોટું છે કે સરકારે Jio ને ફાયદો પહોંચાડવા માટે લેપટોપ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. હાલમાં કેન્દ્ર સરકારે લેપટોપ કંપનીઓને ત્રણ મહિનાનો સમય આપ્યો છે. આ દરમિયાન આ કંપનીઓએ ભારતમાં જ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાના રહેશે. કારણ કે 1 નવેમ્બરથી સમગ્ર દેશમાં લેપટોપ આયાત કરવાનો નિર્ણય લાગુ કરવામાં આવશે. ઉપરાંત, આ ત્રણ મહિના દરમિયાન લેપટોપના સપ્લાયને અસર થશે નહીં. આવી સ્થિતિમાં લેપટોપની કિંમતમાં વધારો થવાની શક્યતા નથી.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.