અદાણીના સંકટ પર મજા લેનારાને આનંદ મહિન્દ્રાનો જવાબ, આ 5 વાત ગણાવી

અમેરિકાની રિસર્ચ કંપની હિંડનબર્ગના રિપોર્ટ પછી દેશના બિઝનેસ સેક્ટરમાં હંગામો મચી ગયેલો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રુપ દશકોથી શેરોમાં મેન્યુપ્લેશન અને હિસાબમાં ગરબડ કરી રહ્યું છે. આ રિપોર્ટ પછી અદાણી ગ્રુપના શેરોમાં મોટા કડાકા બોલી ગયા અને માર્કેટ કેપમાં 100 અરબ ડોલરનું ધોવાણ થઇ ગયું.શેરબજારમાં તાજેતરના ઘટાડાને કારણે માર્કેટ કેપની દ્રષ્ટ્રિએ દુનિયાના ટોપ 5માંથી ભારતનું નામ નિકળી ગયું છે અને ભારત છઠ્ઠા નંબરે પહોંચી ગયું છે. એવામાં સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે શું ભારત આ પડકારોને પાર કરી શકશે? શું ભારતની આર્થિક તાકાત બનાવીન મહત્વાકાંક્ષાને ઝટકો લાગશે? આ બધા સવાલાનો જવાબ દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક ટ્વીટ કરીને આપ્યો છે.

પદ્મ વિભૂષણથી સન્માનિત આનંદ મહિન્દ્રાએ એક ટ્વીટમાં લખ્યું છે કે મેં ભૂકંપ, દુકાળ, મંદી, યુદ્ધ અને આતંકવાદી હુમલાઓ બધાના સમય જોયા છે. હું માત્ર એટલું જ કહીશ કે ભારત સામે ક્યારેય શર્ત લગાવતા નહીં. એ રીતે મહિન્દ્રાએ અદાણીના સંકટ પર હસનારા અને દેશની આર્થિક પોલીસી સામે સવાલ ઉભા કરનારા લોકોને જડબાતોડ જવાબ આપી દીધો છે. ટ્વીટર પર મહિન્દ્રાના એક કરોડથી વધારે ફોલોઅર્સ છે.

ગૌતમ અદાણીની હાલત દિવસે ને દિવસે કફોડી થઇ રહી છે એવા સમયે કોઇ ઉદ્યોગપિત તેમના સમર્થનમાં આવીને બોલે એ સારી વાત છે. જે ભારતના ઉદ્યોગોની તાકાત બતાવે છે. મહિન્દ્રાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે Never, Ever Bets Against India.

જો કે આ પહેલીવાર નથી બન્યુ કે જ્યારે ગ્લોબલ મીડિયાએ ભારતની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હોય. પરંતુ ભારત દર વખતે પડકારોનો સામનો કરીને વધારે મજબુત થઇને બહાર આવ્યું છે.એનું તાજું જ ઉદાહરણ કોરોના મહામારી છે. કોરોના મહામારીથી દુનિયા હજુ બહાર આવી શકી નથી, પરંતુ ભારત કોરોનાને માત કરીને પુરી રીતે બહાર આવી ગયું છે. ભારતની ઇકોનોમી દુનિયામાં ઝડપથી આગળ વધી રહી છે અને  IMFએ તો ભારતને ગ્લોબલ ઇકોનોમીનો ચમકતો સિતારો કહ્યો છે.

એ જ રીતે જ્યારે વર્ષ 2008માં મુંબઇમાં આતંકી હુમલો થયો હતો ત્યારે પણ ભારત સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં 160 લોકોના મોત થયા હતા અને 300થી વધારે ઇજાગ્રસ્ત થયા હતા. આખો દેશ શોકમાં હતો, પરંતુ બીજા જ દિવસથી લોકો પોતાના કામે લાગી ગયા હતા. આ ભારતની તાકાત છે. દુનિયાને હંમેશા ભારતે જવાબ આપ્યો છે.<

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.