મહાકાલના દર્શન પછી અનિલ અંબાણીએ કહ્યું 14 વર્ષનો વનવાસ પૂરો, કરી મોટી શરૂઆત

મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીએ મહાકાલ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને એ પછી તેઓ ઇંદોરપહોંચ્યા હતા. અહીં તેમણે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ શરૂ કરી છે. અનિલ અંબાણી પહેલાં અવારનવાર મહાકાલના દર્શને આવતા હતા.

અનિલ અંબાણીએ મધ્ય પ્રદેશમાં આવેલા મહાકાલ મંદિરમાં હિન્દુ વિધિથી પૂજા કરી હતી. તેઓ પૂજા કરવા માટે ધોતી પહેરીને મંદિર પહોંચ્યા હતા. તેમણે મહાકાલની પૂજા કરીને આશીર્વાદ લીધા છે. આ પછી તે ઈન્દોર જવા રવાના થઈ ગયા હતા.અનિલ અંબાણી ઈન્દોરમાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ શરૂ કરી રહ્યા છે. આ માટે ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન અને તેમની પત્ની જયા બચ્ચન પહોંચ્યા છે. મુંબઈ પછી ઈન્દોરમાં આ હોસ્પિટલની બીજી બ્રાન્ચ છે.

હોસ્પિટલની શરૂઆત કરવા માટે અનિલ અંબાણી અને તેમની પત્ની ટીના અંબાણી ઇંદોર પહોંચી ગયા છે. એ પહેલાં અનિલ અંબાણી કંપનીના અધિકારીઓ સાથે મહાકાલના આશીર્વાદ લેવા ઉજ્જૈન પહોંચ્યા હતા.

મહાકાલ મંદિરના પૂજારીએ અનિલ અંબાણીને પૂછ્યું કે તમે આઠ-નવ વર્ષ પછી મંદિરમાં પૂજા માટે આવ્યા છો. તેના પર અનિલ અંબાણીએ કહ્યું કે, આઠ-નવ નહીં, 14 વર્ષ પછી મહાકાલ મંદિરમાં આવ્યો છું. હવે વનવાસ પૂરો થયો. પૂજા દરમિયાન અનિલ અંબાણી મહાકાલની ભક્તિમાં મગ્ન જોવા મળ્યા હતા. તેમણે ગર્ભગૃહમાં મહાકાલનો અભિષેક પણ કર્યો હતો.

અનિલ અંબાણીએ પૂજા દરમિયાન મહાકાલ મંદિરની અંદર પંડિતો સાથે વાત કરી હતી. મીડિયા સાથે વાત કરતા મંદિરના પૂજારીએ કહ્યું કે અનિલ અંબાણી બાબા મહાકાલના દરબારમાં આવ્યા હતા. ઇંદોરમાં હોસ્પિટલ ખોલવા માટે ભગવાન મહાકાલને પ્રાર્થના કરી છે. પૂજારીએ કહ્યું કે મને તેમની સૌથી સારી વાત ગમી કે તેમણે બાબાના દરબારમાં કહ્યું કે મારી હોસ્પિટલ ખાલી રહે. મતલબ કે અનિલ અંબાણી એવં ઇચ્છે છે કે દરેક વ્યક્તિ સ્વસ્થ રહે અને કોઇને હોસ્પિટલના દાદર ન ચઢવા પડે. અનિલ અંબાણીએ કહ્યું કે હું બાબા મહાકાલનો ભક્ત છું.

મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં અનિલ અંબાણીએ દુધથી અભિષેક કર્યો હતો. એ દરમિયાન મંદિરના પુજારીઓએ મંત્રોચ્ચાર કર્યા હતા. મહાકાલ મંદિરના અનેક પુજારીઓએ પૂજા અર્ચના કરાવી હતી. અનિલ અંબાણીએ આરતી પણ કરી હતી.

મહાકાલ મંદિર પ્રબંધન સમિતિ દ્વારા અનિલ અંબાણીને ભગવાન ભોલેની તસવીર અર્પણ કરવામાં આવી છે. આ પછી અનિલ અંબાણી કપાળ પર ત્રિપુંડ સાથે જમીન પર બેઠેલા જોવા મ્ળ્યા હતા. મંત્રોચ્ચાર વચ્ચે તેઓ ભગવાનની આરાધનામાં મગ્ન હતા.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.