BharatPeના કેસ મુદ્દે દિલ્હી HCએ અશનીર ગ્રોવરને આપી આ મોટી સલાહ

દિલ્હી હાઇ કોર્ટે પેમેન્ટ એપ BharatPeના સહ સંસ્થાપક અશનીર ગ્રોવરને સલાહ આપી કે તેઓ એકબીજા પ્રત્યે વિનમ્ર રહે. અશનીર ગ્રોવર હવે કંપનીથી અલગ થઇ ચૂક્યા છે. ન્યાયાધીશ નવીન ચાવલાએ પૂર્વ મેનેજમેન્ટ ડિરેક્ટર (MD) અશનીર ગ્રોવર અને તેમના પરિવારના સભ્યોને માનહાનિકારક નિવેદન આપતા રોકવા માટે BharatPe તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા સોશિયલ મીડિયાને જવાબદાર ઠેરવ્યું. તેની સાથે જ કોર્ટે અલગ અલગ પક્ષોના વકીલોને પોત પોતાના ગ્રાહકોને પરામર્શ આપવા કહ્યું.

વાદી કંપની તરફથી વરિષ્ઠ એડવોકેટે કહ્યું કે, અશનીર ગ્રોવરનો કેસ લંબિત થવા છતા તેઓ આપત્તિજનક નિવેદન આપી રહ્યા છે. તેના પર અશનીર ગ્રોવરના વકીલે કહ્યું કે, બંને તરફથી છિંતાકાશી, આરોપ અને માનહાનિ કરવામાં આવી છે અને દાવો કર્યો કે વાદી તરફથી અહીં સુધીની જાણકારી લીક કરવામાં આવી રહી છે. કોર્ટે ટિપ્પણી કરી કે, વાસ્તવમાં સોશિયલ મીડિયાના કારણે આ સ્થિતિ થઇ છે. અમે અહી શું કરી રહ્યા છીએ? બંનેએ એક બીજા પ્રત્યે વિનમ્રતા રાખવી જોઇએ. તમે અલગ થઇ ચૂક્યા છો, કેસ પર પક્ષ રાખો.

કોર્ટે અશનીર ગ્રોવરના વકીલને કહ્યું કે, તેમને (અશનીર ગ્રોવરને) સલાહ આપો. જો કંઇક છે તો તમે માનનીય (રાજીવ નાયર જે BharatPe તરફથી રજૂ થયા હતા)ને કહો કે તેમના ગ્રાહકે એમ કહ્યું છે. તેઓ પોતાના ગ્રાહકને સલાહ આપશે. અશનીર ગ્રોવરના વકીલે કહ્યું કે, તેમના ગ્રાહકે મધ્યસ્થતા માટે અરજી દાખલ કરી છે અને કંપની દ્વારા પોતાના અધિકારિઓના સમર્થન હેતુ કથિત માનહાનિનો કેસ દાખલ કરી શકાય છે, જ્યારે તેમણે હંમેશાં કંપનીના વખાણ કર્યા છે.

ન્યાયાધીશ નવીન ચલાએ અશનીર ગ્રોવર અને બચાવ પક્ષને BharatPe દ્વારા દાખલ કરવામાં આવેલી મધ્યસ્થ અરજીઓ પર પોતાની પ્રતિક્રિયા નોંધાવવા માટે 3 અઠવાડિયાનો વધુ સમય આપ્યો છે. કોર્ટે અશનીર ગ્રોવર અને તેમની પત્ની દ્વારા દાખલ કરાયેલી એક અરજી પર નોટિસ જાહેર કરી અને પક્ષકારોને કેસમાં લેખિત નિવેદન નોંધાવવા માટે કહ્યું. કોર્ટે ગયા વર્ષે ડિસેમ્બરમાં આરોપીઓને સમન્સ મોકલ્યા હતા. સોમવારે સુનાવણી દરમિયાન BharatPe તરફથી વરિષ્ઠ એડવોકેટ રાજીવ નાયરે કોર્ટ સામે કહ્યું કે, ગ્રોવર કેસ દાખલ કર્યા છતાં ફીનટેક કંપની વિરુદ્ધ નિવેદન આપી રહ્યા છે. ગ્રોવરે હાલમાં જ પબ્લિશ કરેલી પોતાની બૂકમાં કાયદાકીય વ્યવસાયની તુલના પરોસ્ટિટ્યુશન સાથે કરી છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.