FD ધારકોને મોટો ફટકો, TDSના નવા નિયમથી થશે નુકસાન

જો તમે પણ ફિક્સ ડિપોઝિટથી કમાણી કરો છો તો આ સમાચાર તમને ચોંકાવી શકે છે. ફિક્સ્ડ ડિપોઝિટથી થતી કમાણી હવે ઘટી શકે છે. FDને સામાન્ય રીતે સુરક્ષિત રોકાણ તરીકે જોવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ટેક્સ કપાત બાદ તમારો આ નફો ઓછો થઇ શકે છે. જો નહીં, તો ચાલો તમને જણાવીએ કે આ માટે શું છે નિયમ...

ધરી લો કે તમને ફિક્સ્ડ અથવા ટર્મ ડિપોઝિટ પર 7 અથવા 8 ટકા વળતર મળી રહ્યું છે. તો હવે TDSનો નવો નિયમ આવ્યા બાદ તમારું વળતર ઘટી જશે.

અમિત ગુપ્તા, MD, SAG ઇન્ફોટેકના જણાવ્યા અનુસાર, ફિક્સ્ડ ડિપોઝિટથી તમને થયેલી આવક, એટલે કે તમારા રિટર્નમાંથી મળેલી આવક પર TDS એટલે કે 10% ટેક્સ ડિડક્શન સર્વિસ ચાર્જ વસૂલવામાં આવશે. આ ટેક્સ કપાત વ્યક્તિની કુલ આવક અને ટેક્સ સ્લેબના હિસાબે કાપવામાં આવશે. બીજી તરફ, જે લોકો ઉચ્ચ ટેક્સ સ્લેબના વર્તુળમાં આવે છે, તેઓ આવકવેરા ફાઇલિંગ દરમિયાન આ ટેક્સ કપાતનો દાવો કરી શકતા નથી.

ફંડ્સ ઈન્ડિયાના મે મહિનાના રિપોર્ટ પ્રમાણે, SBI, PNB, HDFC અને ICICI બેંકો 6 મહિનાની થાપણો પર સરેરાશ 5% વ્યાજ દર ઓફર કરી રહી છે. જ્યારે, ટેક્સ કપાત પછી, તે 3.49% થઈ રહ્યો છે. એ જ રીતે 5 વર્ષની ડિપોઝીટ પર 6.75% વ્યાજ મળતું હતું. જે હવે ટેક્સ કપાત બાદ 4.9% થઈ ગઈ છે.

ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ હંમેશા ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તેના પર બેંક કે બજાર ડૂબવાની કોઈ અસર નથી. આમાં, તમારા પૈસા મર્યાદિત સમય માટે સુરક્ષિત રહે છે. જ્યારે, જો જરૂરી હોય તો તમે આ પૈસા ઉપાડી પણ શકો છો.

જો તમારી આખા વર્ષની આવક રૂ. 5 લાખ છે. જો તમારી આવક રૂ.1500/-થી ઓછી હોય તો તમે ફોર્મ 15G/15H સબમિટ કરી શકો છો. જેથી તમારી આવક ટેક્સના દાયરામાં આવતી ન હોવાને કારણે બેંક કોઈપણ TDS કાપે નહીં.

તમે તમારી FD બેંકને બદલે પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકો છો. પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ FDમાં કોઈ TDS કાપવામાં આવતો નથી.

તમે તમારા પરિવારના સભ્યો જેવા કે પત્ની, માતા-પિતા વગેરેના નામે રોકાણ કરી શકો છો. વ્યક્તિના ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ પર તેમના ટેક્સ સ્લેબના આધારે કર લાદવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે FDમાં રૂ.300,000 રોકાણ કરવા માંગો છો જે 10% વ્યાજ આપે છે, તો વ્યાજ રૂ.30000 થશે અને રૂ.3000 TDS કાપવામાં આવશે. હવે આ સમગ્ર રકમ તમારા નામે જમા કરાવવાને બદલે તમે રૂ.75,000 તમે તમારા પિતા, તમારી માતા, તમારા જીવનસાથી અને તમારા નામ પર જમા કરાવી શકો છો (જે મળીને રૂ. 3 લાખ થશે), એક ફિક્સ ડિપોઝીટ પર વ્યાજ રૂ.7500 થશે. જે રૂ.10,000ની મર્યાદાથી નીચે છે, તેથી તેના પર કોઈ TDS કાપવામાં આવશે નહીં. પરંતુ આમ કરવાથી, આવકવેરા વિભાગ આવકવેરા અધિનિયમ, 1961ની ક્લબિંગ જોગવાઈ હેઠળ તમારા જીવનસાથી/પરિવારના સભ્યોની આવકને તમારી આવક સાથે ક્લબ કરી શકે છે. આ કરતા પહેલા CAની સલાહ લેવી જોઈએ.

જો તમે વિવિધ શાખાઓ અને બેંકોમાં FD ખોલો છો, તો તમે આના દ્વારા ટેક્સ બચાવી અથવા ઘટાડી શકો છો. ઉદાહરણ તરીકે જો તમે રૂ.20,0000નું રોકાણ કરો છો. રોકાણ કરવા માંગો છો અને વ્યાજ દર 10% છે, તમને રૂ.20000નું વ્યાજ મળશે. કારણ કે આ રકમ રૂ.10000થી વધુ છે, તો બેંક તેના પર TDS કાપશે. પરંતુ જો તમે 3 અલગ-અલગ બેંકોમાં FD કરાવો છો, તો તમને દરેક બેંકમાં 3333 વ્યાજ મળશે. કારણ કે દરેક રકમ (રૂ. 3333) રૂ.10000ની મર્યાદા કરતાં ઓછી છે, તેથી બેંક તેના પર TDS કાપશે નહીં.

તમે વર્ષના યોગ્ય સમયે રોકાણ કરી શકો છો. જો તમે નાણાકીય વર્ષના અંતમાં અથવા વર્ષના મધ્યમાં FD કરાવો છો, તો TDS બે વર્ષમાં ફેલાઈ જશે. તેમાંથી તે વર્ષનું વ્યાજ રૂ.10,000 કરતાં ઓછું હશે અને આવા કિસ્સામાં કોઈ TDS કાપવામાં આવશે નહીં.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.