BP, ડાયાબિટીસ નહીં, આ રોગની દવા જન ઔષધિની દુકાનો પર સૌથી વધુ વેચાય છે

જન ઔષધિ કેન્દ્રો પર લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે. લોકો હવે આ કેન્દ્રોમાંથી દવાઓ ખરીદી રહ્યા છે. બહારની સરખામણીએ અહીં દવાઓ પાંચથી છ ગણી સસ્તી મળે છે. છેલ્લા એક વર્ષમાં જન ઔષધિ સ્ટોર્સે કુલ 1236 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જ્યાં આઠ વર્ષ પહેલા આ જેનરિક દવાની દુકાનોમાંથી દવાઓનું વેચાણ માત્ર 12 કરોડ રૂપિયા હતું, તે હવે વધીને 1236 કરોડ રૂપિયા થઈ ગયું છે.

જરૂરી નથી કે કોઈ વસ્તુ મોંઘી હોય તો સારી જ હોય. સસ્તી વસ્તુઓ ખરાબ હશે. આ વિચાર સાથે સસ્તી જન ઔષધિ દવાઓ શરૂ કરવામાં આવી. દેશભરમાં જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા હતા, જ્યાં જેનરિક દવાઓ બજાર કરતાં ઓછી કિંમતે ઉપલબ્ધ છે. છેલ્લા એક વર્ષમાં જન ઔષધિ સ્ટોર્સે કુલ 1236 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ આંકડા દર્શાવે છે કે, જન ઔષધિ પર લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે. જ્યાં આઠ વર્ષ પહેલા આ જેનરિક દવાની દુકાનોમાંથી દવાઓનું વેચાણ માત્ર 12 કરોડ રૂપિયા હતું તે હવે વધીને 1236 કરોડ રૂપિયા થઈ ગયું છે.

જન ઔષધિ કેન્દ્રોના વેચાણમાં ઉછાળો આવ્યો છે. ગયા વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો, દેશના દુકાનદારોએ જન ઔષધિ દ્વારા 247 કરોડ રૂપિયાની વધારાની કમાણી કરી હતી અને છેલ્લા એક વર્ષમાં જન ઔષધિ સ્ટોર્સે કુલ રૂ. 1236 કરોડનો બિઝનેસ કર્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા 10,000 સુધી પહોંચી ગઈ છે. અહીં તમને જણાવી દઈએ કે, સરકાર આ કેન્દ્રો દ્વારા કંટ્રોલ રેટ પર દવાઓનું વેચાણ કરે છે. આ કેન્દ્રો દ્વારા લોકોને પોસાય તેવા ભાવે 1800 દવાઓ અને 250થી વધુ તબીબી ઉપકરણો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ દવાઓ બજાર કરતા 50 થી 90 ટકા સસ્તી છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલ મુજબ, આ દવા કેન્દ્રો પર એન્ટી એસિડિટી દવાઓ સૌથી વધુ વેચાય છે. પેન્ટોપ્રાઝોન અને ડોમ્પેરીડોનના સરેરાશ 10.86 લાખ યુનિટ વેચાય છે. આ બંને દવાઓ એસિડિટી અને ગેસ માટે વપરાય છે. બીજી તરફ, બ્લડ પ્રેશરની દવા ટેલમીસર્ટનનું વેચાણ 9.32 લાખ અને અમલોડિપિનનું વેચાણ 8.55 લાખ છે. આંકડા મુજબ, દેશના 756 માંથી 651 જિલ્લાઓમાં 9484 જન ઔષધિ કેન્દ્રો પર દરરોજ 10 લાખથી વધુ લોકો દવાઓ ખરીદી રહ્યા છે. આ દવાઓ બ્રાન્ડેડ દવાઓ કરતાં પાંચથી છ ગણી સસ્તી છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.