કોઈપણ ચાર્જ ચૂકવ્યા વગર બાળકો ફ્લાઇટમાં પરિવાર સાથે બેસી શકશે! DGCAનો નિર્ણય

On

દેશમાં હવાઈ મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. હાલમાં જો આપણે ઘરેલુ હવાઈ મુસાફરી પર નજર કરીએ તો, ભારત વિશ્વનું ત્રીજું ઉડ્ડયન બજાર બની ગયું છે. આવી સ્થિતિમાં સરકારે હવાઈ મુસાફરોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. હવે, પ્લેનની ટિકિટમાં જબરદસ્તી ભોજનનો ચાર્જ સામેલ કરવામાં આવશે નહીં. એટલું જ નહીં, જો કોઈ ગ્રુપમાં 12 વર્ષ સુધીનું બાળક હોય તો તેને પરિવાર સાથે સીટ આપવા માટે પસંદગીનો સીટ ચાર્જ લેવામાં આવશે નહીં.

કેન્દ્ર સરકારના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) તરફથી મળેલી માહિતી અનુસાર, હવે એર ટ્રાન્સપોર્ટ સર્ક્યુલરમાં ફેરફાર કરવામાં આવ્યા છે, આ સાથે જ નિર્ધારિત એરલાઇન્સની સેવાઓ અને ફી પણ અનબંડલ કરવામાં આવી છે. જેનો અર્થ છે કે, એરલાઇન મુસાફરોને ભોજન, નાસ્તા, પીણાં વગેરે માટે ચાર્જ નહીં કરી શકશે. આનો અર્થ એ છે કે જો તમે વિસ્તારા અથવા એર ઈન્ડિયા જેવી સંપૂર્ણ સેવા કેરિયર સાથે મુસાફરી કરી રહ્યાં છો, તો તમે ઈચ્છો તો ભોજન અથવા નાસ્તાના ચાર્જીસ ન ચૂકવો તો પણ ચાલશે, ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી બજેટ ફ્લાઈટમાં પહેલાથી જ આવી વ્યવસ્થા છે.

સુધારેલા DGCAના પરિપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, એરલાઈન્સ તેમના માતા-પિતા અથવા વાલી સાથે મુસાફરી કરતા બાળકો પાસેથી સીટ શેર કરવા માટે કોઈ પસંદગીનો સીટ ચાર્જ વસૂલ કરી શકશે નહીં. હવે 12 વર્ષ અને તેનાથી ઓછી ઉંમરના બાળકોને કોઈપણ ફી લીધા વિના તેમના માતાપિતા અથવા વાલીની બાજુમાં સીટ ફાળવવાની રહેશે. અગાઉ એવું જોવામાં આવ્યું હતું કે, એરલાઈન્સ માતા-પિતા અથવા વાલી સાથે મુસાફરી કરતા બાળકોને તેમની સાથે બેસવા માટે, સીટ ફાળવવા માટે કેટલીક ફી વસૂલતી હતી.

છેલ્લા 10 વર્ષોમાં દેશમાં હવાઈ સેવાનું જબરદસ્ત વિસ્તરણ થયું છે. 2014માં જ્યારે નરેન્દ્ર મોદી PM બન્યા ત્યારે દેશમાં કુલ ડોમેસ્ટિક પેસેન્જરોની સંખ્યા લગભગ 60 મિલિયન હતી. હવે તે વધીને લગભગ 143 મિલિયન થઈ ગઈ છે. એ જ રીતે, આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યામાં પણ વધારો થયો છે, પરંતુ તે  તેટલી ઝડપથી નથી થઇ. વર્ષ 2024માં, આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યા 43 મિલિયન હતી, જે હવે વધીને 64 મિલિયન થઈ ગઈ છે.

ભારતીય જનતા પાર્ટીના સાંસદ GVL નરસિમ્હા રાવે તાજેતરમાં કહ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં વિમાનોની સંખ્યામાં 80 ટકાનો વધારો થયો છે. 10 વર્ષ પહેલા દેશમાં કુલ 400 એરક્રાફ્ટ હતા. હવે આ સંખ્યા વધીને 723 થઈ ગઈ છે. એ જ રીતે એરપોર્ટની સંખ્યા પણ 74થી વધીને 150 થઈ ગઈ છે.

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati