એન્જિનિયરની કમાલ.. સિમેન્ટ અને ઈંટ વિના બનાવ્યું ઘર, ગરમીમાં નથી રહેતી AC જરૂર

દરેક વ્યક્તિની ઈચ્છા પોતાના સપનાનું ઘર બનાવવાની હોય છે, જેથી તે પોતાના પરિવાર સાથે ખુશીથી રહી શકે. આ દરમિયાન ડુંગરપુરના એક પરિવારે પર્યાવરણના સંતુલનનું ધ્યાન રાખતા અનોખુ ઘર બનાવ્યું છે. આ ઘરમાં કોન્ક્રિટ અને સિમેન્ટની જગ્યા નથી, પરંતુ ઇકો ફ્રેન્ડલી છે. જનજાતિ ક્ષેત્રમાં એક એવું ઘર પહેલા કદાચ જ ક્યારેય જોયું હશે, જ્યાં દરેક વસ્તુને રિસાઈકલ કરીને ફરી ઉપયોગ કરી લેવામાં આવ્યો છે. ડુંગરપુર શહેરના રહેવાસી સિવિલ એન્જિનિયર આશિષ પંડા અને તેની પત્ની મધુલિકાએ આ ખાસ ઘર બનાવ્યું છે.

મધુલિકા વ્યવસાયે સોફ્ટવેર ડેવલપર છે. તેની સાથે તે સમાજસેવાનું પણ કામ કરે છે, જ્યારે ઘરના પાયાથી લઈને બહાર અને અંદર સુધી બધુ પર્યાવરણને અનુકૂળ છે. ઓરિસ્સા સાથે સંબંધ ધરાવનારા 40 વર્ષીય આશિષે જણાવ્યું કે, શાળાનો અભ્યાસ કરવા સુધી તેનું જીવન મદ્રાસમાં વીત્યું. ત્યારબાદ તેને બિટ્સ પિલાનીથી એન્જિનિયરિંગ કર્યું. ત્યારબાદ તે માસ્ટર્સના અભ્યાસ માટે અમેરિકા જતો રહ્યો. તેણે અમેરિકામાં એક વર્ષ કામ પણ કર્યું. મધુલિકાએ કહ્યું કે, આશિષ ભલે અલગ-અલગ જગ્યાએ રહે, પરંતુ પોતાના કૉલેજના સમયથી જ અમે નક્કી કરી લીધું હતું કે અમે રાજસ્થાન જ ફરીશું.

તેણે આગળ કહ્યું કે, કૉલેજના દિવસોથી જ મારો સામાજિક વિષયો તરફ અને આશિષનો ઝુકાવ પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ તરફ હતો. વર્ષ 2008માં દેશ-વિદેશમાં ઘણી જગ્યાએ રહ્યા બાદ આ દંપતી રાજસ્થાન આવતી રહી. આશિષના જણાવ્યા મુજબ, એ બંને એ નક્કી કરી ચૂક્યા હતા કે કોઈ મોટા મેટ્રો શહેરમાં રહેવું નથી. હંમેશાંથી જ પ્રકૃતિની નજીક રહેવા માગતા હતા. એટલે થોડા મહિના અલગ-અલગ ગામોમાં રહીને પણ જોયું. તો મધુલિકાએ કહ્યું કે, વર્ષ 2010માં ડુંગરપુરમાં જ અમારી દીકરીનો જન્મ થયો અને ત્યારબાદ અમે અહી વસવાનો નિર્ણય લીધો.

આશિષ અને મધુલિકાએ ઘરના નિર્માણ માટે બધા લોકલ મટિરિયલનો ઉપયોગ કર્યો છે. જેમ કે બલવાડાના પથ્થર અને પટ્ટીઓ, ઘૂઘરાના પથ્થર અને ચૂનાનો ઉપયોગ, ઘરની બધી દીવાલો પથ્થરથી બનાવવામાં આવી છે અને તેની ચિનાઈ, પ્લાસ્ટર અને છતની ગિટ્ટીમાં ચૂનાનો ઉપયોગ કર્યો છે. તેમાં ગરમીના દિવસોમાં પણ AC અને પંખાની જરૂરિયાત નથી હોતી. એ સિવાય ઘરની છત, છજ્જાના પગથિયાના નિર્માણ વગેરે માટે પટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મજેદાર વાત એ છે કે, આ આખા ઘરમાં ક્યાંય પણ સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ આશિષ અને મધુલિકાએ જણાવ્યું કે, રાજસ્થાનમાં જેટલા પણ જૂના મહેલ, હવેલીઓ અને ઘર બનેલા છે બધામાં પથ્થર, ચૂના અને માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોઈ પણ છતોમાં સિમેન્ટ અને સ્ટીલનો ઉપયોગ થયો નથી. છતા આ ઇમારતો વરસોથી સુરક્ષિત ઊભી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.