આ બજેટમાં મધ્યમ વર્ગને મળશે મોટી રાહત? FMએ કહ્યું, હું પણ મિડલ ક્લાસથી આવું છું

આવતા મહિનાની પહેલા તારીખે એટલે કે 1 ફેબ્રુઆરી, 2023ના દિવસે નાણા મંત્રી નિર્મલા સીતારમણ દેશનું કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરશે. દર બજેટની જેમ  આ વખતે પણ મધ્યમ વર્ગને અપેક્ષા છે કે બજેટમાં તેમના માટે કઇ ખાસ જાહેરાત થાય.

સામાન્ય લોકો ખાસ કરીને મધ્યમ વર્ગ અત્યે મોંઘવારીની આગમાં ભડકી રહ્યો છે. આવતા મહિને કેન્દ્રીય બજેટ આવવાનું છે. શું નાણા મંત્રી નિર્મલા સીતારમણ આ વર્ષના બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપવાના છે?  આ ચોક્કસ તો કહી શકાય તેમ નથી, પરંતુ આજે તેમના નિવેદનમાં એક ઇશારો જરૂર સામે આવ્યો છે. રવિવારે નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, તેઓ મધ્યમ વર્ગની મુશ્કેલીથી વાકેફ છે. જો કે સાથે તેમણે એ વાત પણ યાદ અપાવી કે વર્તમાન સરકારે મધ્યમ વર્ગ પર કોઇ નવો ટેક્સ નાંખ્યો નથી.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ લોકસભામાં 2023-24નું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ વચ્ચે એવી અપેક્ષા છે કે સરકાર આવકની મર્યાદા વધારશે અને મધ્યમ વર્ગના કરદાતાએ ઉપરાંત અન્ય લોકોને પણ રાહત આપશે.

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સાથે જોડાયેલા સાપ્તાહિક પંચજન્ય દ્રારા આયોજિત એક સમારંભમાં નાણા મંત્રીએ કહ્યું કે, હું પણ મધ્યમ વર્ગમાંથી જ આવું છુ, એટલા માટે મધ્યમ વર્ગના દબાણને સારી રીતે સમજી શકું છું. તેમની મુશ્કેલીઓથી વાકેફ છું. તેમણે કહ્યું કે વર્તમાન મોદી સરકારે મધ્યમ વર્ગ માટે કોઇ નવો ટેક્સ નાંખ્યો નથી અને 5 લાખ રૂપિયા સુધીની આવકને કરમૂક્ત રાખી છે.

નાણા મંત્રીએ કહ્યું કે સરકારે ઇઝ ઓફ લિવિંગને પ્રોત્સાહન આપવા માટે 27 શહેરોમાં મેટ્રો રેલ નેટવર્કને વિકસિત કરવા અને 100 સ્માર્ટ સિટી બનાવવા જેવા અનેક પગલાં લીધા છે. નાણા મંત્રીએ આશ્વાસન આપ્યું કે સરકાર મધ્યમ  વર્ગ માટે હજુ વધારે કરી શકે છે કારણકે મધ્યમ વર્ગની વસ્તી વધી રહી છે અને હવે ખાસ્સી મોટી થઇ ગઇ છે.

નાણા મંત્રી સીતારમણે કહ્યું કે સરકાર 2020 થી દરેક બજેટમાં મૂડી ખર્ચ પરના ખર્ચમાં વધારો કરી રહી છે. તેમણે કહ્યું કે વર્તમાન નાણાકીય વર્ષ માટે તેમાં 35 ટકાનો વધારો કરીને રૂ. 7.5 લાખ કરોડ કરવામાં આવ્યો છે કારણ કે તેની અર્થવ્યવસ્થા પર ગુણાત્મક અસર પડે છે. બેન્કિંગ સેક્ટર અંગે તેમણે જણાવ્યું હતું કે, સરકારની 4R વ્યૂહરચના છે જેમા, માન્યતા, પુનઃમૂડીકરણ, રિઝોલ્યુશન અને રિફોર્મ્સ એ જાહેર ક્ષેત્રની બેંકો  ના પુનરુત્થાનમાં મદદ કરી છે.

તેમણે કહ્યું કે,સરકારે જાહેર ક્ષેત્રની બેંકો માટે મૂડી પર્યાપ્તતાને ટેકો આપવા અને તેમના ડિફોલ્ટને રોકવા માટે અભૂતપૂર્વ રૂ. 2.11 લાખ કરોડનો પુન: મૂડીકરણ કાર્યક્રમ અમલમાં મૂક્યો હતો. જાહેર ક્ષેત્રની બેંકોમાં2020-21 દરમિયાન જંગી વસૂલાત, NPAsમાં ઘટાડો અને તેમના બોન્ડ પોર્ટફોલિયોમાં વિન્ડફોલ ગેઇનને કારણે 2020-21 દરમિયાન રૂ. 31,820 કરોડના સંયુક્ત ચોખ્ખા નફા સાથે આગળ વધી હતી.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.