દેશના ભાગલા બંધ કરવા જોઇએ અને સાથે કામ કરવું જોઇએઃ નાદીર ગોદરેજ

બિલિયોનેર ઇન્ડસ્ટ્રીયલીસ્ટ નાદીર ગોદરેજે કહ્યું કે, આપણે દેશના ભગલા બંધ કરવા પડશે. તેમણે સરકાર અને ઉદ્યોગ જગતને આ માટે કોશિશ કરવાની અપીલ કરી. નાદીર ગોદરેજ જાણીતી કંપની ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર છે. તેમણે કહ્યું કે, અમારુ પ્રદર્શન આર્થિક મોર્ચે ઘણું સારું છે. ફાઇનાન્શિયલ એન્ક્લુઝન અને એજ્યુકેશન જેવા વેલફેર જેવા પગલા પણ ઉઠાવાઇ રહ્યા છે. દેશની એકતા માટે આપણે કામ કરવાની જરૂર છે.

આ સપ્તાહની શરૂઆતમાં એક બુક લોન્ચના મોકા પર મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, મારું માનવું છે કે, દેશની એકતાને બનાવી રાખવાની કોશિશ કરવાની જરૂર છે અને દેશના ભગલા બંધ કરવા પડશે. મને લાગે છે કે, આ જરૂરી છે અને મને લાગે છે કે, સરકાર પણ આ વાત સમજે છે કે ગ્રોથ માટે આ જરૂરી છે. આપણે તેના પર ફોકસ કરવો પડશે.

ઇન્ડસ્ટ્રીએ પણ વધુ કોશિશ કરવાની જરૂર છે, આ સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે, હા, બિલકુલ, ઇન્ડસ્ટ્રીઝે પણ જેટલું બને તેટલું ઇનક્લુઝિવ થવાની જરૂર છે અને સરકારને પણ આ વિશે વધારે કામ કરવાની જરૂર છે. ગોદરેજની આ ટિપ્પણીને મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે, સામાન્ય રીતે ટોપ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ્સ સામાજિક અને રાજકીય વાતો પર બોલવાથી દૂર રહે છે.

આ પહેલા 2019માં દિવંગત ઉદ્યોગપતિ રાહુલ બજાજે કહ્યું હતું કે, બદલાની કાર્યવાહીના ડરથી ઇન્ડસ્ટ્રીયલિસ્ટ્સ ખુલીને બોલવાથી બચે છે. નાદીર ગોદરેજના મોટા ભાઇ આદી ગોદરેજે પણ 2019માં કહ્યું હતું કે, વધતી અસહિષ્ણૂતા અને હેટ ક્રાઇમના કારણે ગ્રોથ પર ગંભીર અસર પડી શકે છે. આદી ગોદરેજ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન રહી ચૂક્યા છે.

નાદીર ગોદરેજે એક કવિતાના રૂપમાં પોતાની વાત સામે રાખી. આ કવિતામાં કેટલાક મુદ્દાને સામે લવાયા છે. તેમણે કહ્યું કે, તેઓ ચાહશે કે, લોકો ખુલીને પોતાની વાત કરે અને સરકારના લાંબા હાથ વિરોધ કરવા વાળી અવાજને દબાવી ન શકે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, અમને તેની ગુંજાઇશ બનાવવાની જરૂર છે કે, જેમાં લોકો ખુલીને બોલી શકે, જ્યાં વિચારોની જીત થાય, કારણ કે, તેઓ ખરા છે અને તેમની પાછળ કોઇ તાકાત નથી હોતી.

ગોદરેજે કહ્યું કે, આપણા વિચારો માનવતાવાદી હોવા જોઇએ. અમારા માટે ખુશીઓ મનાવવાના કેટલાક કારણો છે, પણ કેટલીક વખત અમને ડર લાગે છે કે, વાતો ખરી દિશામાં નથી જઇ રહી અને આપણે પાછળ જઇ રહ્યા છીએ. આપણને મજબૂત સંસ્થાઓની જરૂર છે. તેને બનાવવામાં લાંબો સમય લાગે છે, જ્યારે તેમને તોડવામાં સમય નથી લાગતો, બિઝનેસિઝને પણ આ સમજવું પડશે કે, ફક્ત પ્રોપિટ કમાવાનું આપણું લક્ષ્ય ન હોવું જોઇએ. આપણે સામાજિક અધિકાર અને આર્થિક ગ્રોથ માટે પણ કામ કરવાની જરૂર છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.