બમણી જંત્રી ગુજરાતના વિકાસ માળખાને તોડી નાંખશે,CMને આવેદન અપાશે: ક્રેડાઇ

ગુજરાત સરકારે 12 વર્ષ પછી જંત્રીના ભાવમાં વધારો કર્યો છે અને તે પણ સીધો બમણો. સરકારના આ નિર્ણયથી રાજ્યના ડેવલપર્સમાં નારાજગી જોવા મળી રહી છે. આ બાબતે મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત સરકારે શનિવારે એકાએક જંત્રી બમણી કરવાનો નિર્ણય જાહેર કરતા બિલ્ડરોમાં નારાજગી જોવા મળી રહી છે. Confederation of Real Estate Developers' Associations of India (CREDAI), ગુજરાતના પ્રમુખે કહ્યું છે કે ગુજરાત સરકારનો આ નિર્ણય ગુજરાતના વિકાસ માળખાને તોડી પાડશે. આ બાબતે સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદન પત્ર આપવામાં આવશે. ક્રેડાઇના પ્રમુખનું કહેવું છે કે સરકારના આ નિર્ણયને કારણે ગ્રાહક અને ડેવલપર્સ વચ્ચે મુશ્કેલી ઉભી થવાની સંભાવના છે. સરકારે આમાં થોડી છુટછાટ આપવી જોઇએ.

CREDAI, ગુજરાત અને Gujarat Institute of Housing and Estate Developers (GIHAD)ના પ્રમુખ તેજસ જોષીએ કહ્યુ કે, સરકારના આ નિર્ણયનો ક્રેડાઇ વિરોધ નથી કરતું, જંત્રી જે રીતે બમણી કરી નાંખવામાં આવી છે તેમાં કોઇ તર્ક દેખાતો નથી. ઘણી ટી.પી સ્કીમમાં મકાનની કિંમત બમણી થઇ જશે. આને કારણે ગુજરાતનું ગ્રોથ માળખું તુટી જશે. જોશીએ કહ્યુ કે,  ટ્રેડ FSI, પરચેઝ FSI અને N.A પ્રીમિયમમાં મોટી અસર ઉભી થશે.તેજસ જોષીએ કહ્યુ કે બિલ્ડર્સ સાથે ચર્ચા કરીને સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદન પત્ર આપવામાં આવશે.

CREDAI, ગુજરાતના ઉપપ્રમુખ સુજીત ઉદાણીએ કહ્યું કે,12 વર્ષથી જંત્રી વધી નથી એટલે જંત્રી તો ચોક્કસ વધવી જ જોઇએ, પણ આમ એકાએક જંત્રી જાહેર કરી દેવી યોગ્ય નથી. સાયન્ટિફિકલ સરવે કર્યો હોય, જાહેરનામું બહાર પાડ્યું હોય, આ ફિલ્ડના લોકોનો અભિપ્રાય લેવાયો હોય તો વાત બરાબર છે. આ તો સીધી અચાનક બમણી જંત્રીની જાહેરાત જ કરી દેવામાં આવી. બમણો ભાવ વધારો યોગ્ય નથી. કોઇક જગ્યાએ 15થી 20 કે કોઇક જગ્યાએ 50 ટકા કે કોઇક જગ્યાએ 3 ગણો ભાવ વધારો કરવાની જરૂરત હતી. આ તો બધા માટે જ ડબલ.

CREDAI, ગુજરાતના સેક્રેટરી વિરલ શાહે કહ્યું હતું કે, સરકાર અમલીકરણ કરવામાં થોડો સમય આપે તેવી અમારી વિનંતી છે. શાહે કહ્યું કે જે ડીલ ચાલે છે અથવા જે વ્યવહાર પુરા થવાના છે તેમાં મુશ્કેલી ઉભી થશે, કારણકે પ્રોજેક્ટ કોસ્ટ વધી જશે. ભાવ વધી જશે અને પ્રજાના માથે મોટો બોઝ આવશે.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.