હીરાનગરી સુરતમાં રૂ500ના ચલણનો દુકાળ! 2000ની નોટ કારણ છે, જાણો કેટલી જમા થઈ?

ભારતીય રિઝર્વ બેંકે 19 મેના રોજ સાંજે જાહેરાત કરી હતી કે તે ચલણમાંથી રૂ. 2,000ની નોટો પાછી ખેંચી રહી છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આ જાહેરાત પછી હીરાના વ્યવસાય માટે પ્રખ્યાત સુરતની બેંકોમાં 800 કરોડની 2000ની નોટો પહોંચી ગઈ છે. આ એક્સચેન્જને કારણે ત્યાંના બજારોમાં 500ની નોટોની અછત સર્જાઈ છે. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, બેંકિંગ ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે, જો બજારમાં 500 રૂપિયાની નોટનું સર્ક્યુલેશન સમયસર વધાર્યું નહીં તો સ્થિતિ વધુ બગડી શકે એવી શક્યતા છે.

કેન્દ્રની PM નરેન્દ્ર મોદીની સરકારે 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરી હતી, જેમાં તે સમયની 500 અને 1000ની નોટોને ચલણમાંથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી 500ની નવી નોટો બહાર પાડવામાં આવી હતી, જ્યારે 1000ની નોટને બદલે 2000 રૂપિયાની નોટ ચલણમાં અમલમાં આવી. RBIના તાજેતરના નિર્ણય બાદ હવે ₹2000ની નોટ પણ બજારોમાં જોવા નહીં મળે. જો કે, RBIએ કહ્યું છે કે, 2000ની નોટ 30 સપ્ટેમ્બર સુધી લીગલ ટેન્ડર એટલે કે કાયદેસર રહેશે અને વ્યવહાર માટે સ્વીકાર કરવામાં આવશે.

RBIએ માહિતી આપી છે કે, 2 હજાર રૂપિયાની નવી નોટોનું પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે અને તેને ધીમે-ધીમે પાછી ખેંચી લેવામાં આવશે. સામાન્ય લોકો પોતાની પાસે રાખેલી 2000ની નોટો 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં બદલાવી શકશે. જો કે, બેંકોમાં એક સમયે 2000ની માત્ર 10 નોટો જ બદલી શકાશે. તમે RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં જઈને 2000ની નોટો પણ બદલી શકો છો અને તેના બદલે અન્ય મૂલ્યનું ચલણ લઈ શકો છો. નોટ બદલવા માટે કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં.

નિષ્ણાતોના મતે RBI દ્વારા ચલણમાંથી 2000ની નોટો પાછી ખેંચી લેવાનું સૌથી મોટું કારણ તેના દ્વારા સરળતાથી કાળું નાણું એકઠું કરવાનું અને નકલી ચલણ એટલે કે નકલી નોટોનો ધંધો જણાવવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં, જેટલી મોટી કરન્સી હશે, તેટલી જ સરળતાથી કાળું નાણું અને નકલી ચલણ આસાનીથી છુપાવી શકાય છે. ઉદાહરણ તરીકે, જો 100, 500ની નોટોમાં 20000 રૂપિયા છુપાવવાના હોય તો 100ની 200 નોટ અને 500ની 40 નોટની જરૂર પડશે, જ્યારે માત્ર 2000ની નોટ માટે ફક્ત 10 નોટની જ જરૂર પડશે. એટલા માટે હવે 2000ની નોટ બંધ કરવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.