ભારતનો ગ્રોથ વધારે હોવા છતા મોન્ટેક સિંહ આલુવાલિયાએ ઉંચા ટાર્ગેટની વાત કેમ કરી

ભારત વિકસિત અને વિકાસશીલ દેશની સરખામણીમાં ઝડપથી આગળ વધી રહ્યું છે, પણ 1.4 લોકોની આકાંક્ષાઓને પૂરી કરવા માટે વધારેમાં વધારે ઝડપથી આગળ વધવાની જરૂર છે. યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહ આલુવાલિયાએ એક મીડિયા ઇન્ટર્વ્યુમાં આ વાત કરી છે. તેમણે કહ્યું કે, આપણી ઇનકમ અને આપણા લોકોની આશાઓને જોતા જીવન સ્તર, શિક્ષણ, સ્વાસ્થ્ય, ગ્રામીણ, શહેરી વિસ્તારોમાં રહેણી કરણીમાં સુધારો કરવો જોઇએ. એવામાં, જો આપણો ગ્રોથ ન વધશે તો આમ ન થશે.

આલુવાલિયાએ કહ્યું કે, આપણે ક્યાંકને ક્યાંક 7થી 8 ટકાની વચ્ચેનો લક્ષ્ય રાખવો જોઇએ. જોકે, આ આંકડો હાંસલ થશે કે નહીં તે આપણી નીતિઓ અને વૈશ્વિક પરિસ્થિતિઓ ઉપર નિર્ભર છે. ભારતની અર્થવ્યવસ્થા આ વર્ષે વિશ્વમાં સૌથી ઝડપથી વધતી મુખ્ય અર્થવ્યવસ્થા બનવાની તરફ અગ્રેસર છે. જોકે, વૈશ્વિક સ્તર પર મોનેટરી કડકાઇ વચ્ચે થોડી ધીમી પડી રહી છે. યુક્રેન રશિયા યુદ્ધથી સતત જોખમ અને ચીનમાં મહામારી ફરીથી વધવાના કારણે વિશ્વભરમાં આર્થિક ગતિવિધિઓ માટે જોખમ ઉભું થઇ રહ્યું છે.

આલુવાલિયાએ કહ્યું કે, ભારતમાં ઝડપ અને સમાવેશી વિકાસ, રાજકોષીય અનુશાસન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત નીતિઓ પર એક હદ સુધી સંમતિ છે. જોકે, તેમણે કહ્યું કે, તેના માટે સ્વાસ્થ્ય અને શિક્ષણ પર વધારે સરકારી ખર્ચ, જળવાયુ પરિવર્તન પર અનુસંધાન, રક્ષણ વ્યય, વ્યય પ્રબંધન, મૂળભૂત સ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવું, ઉંચો ગ્રોથ હાંસલ કરવા માટે બિઝનેસમાં ઉતરવા અને બહાર નીકળવું સરળ બનાવવા સહિત કેટલાક સુધારાની આવશ્યકતા છે. આલુવાલિયાએ કહ્યું કે, આપણે ચીન તરફ પણ જોઇ શકીએ છીએ. તેમણે ઘરેલુ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે ગયા દાયકામાં ઘણું બધું કર્યું છે.

આલુવાલિયાએ કહ્યું કે, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પાસે દુનિયાનું સૌથી મુશ્કેલ કામ છે. તેઓ સામાન્ય બજેટ તરફ ઇશારો કરી રહ્યા છે, જેને તેઓ આગામી અમુક સપ્તાહમાં રજૂ કરવા જઇ રહ્યા છે. તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિ તેમની પાસે ચાહે છે કે, સારા ખર્ચમાં ઘટાડો ન કરવામાં આવે અને દરેક જણની સલાહમાં સારા ખર્ચમાં દરેક પ્રકારની સબ્સિડી આવે છે. દરેક જણ સબ્સિડીમાં ઘટાડો કરવાના પક્ષમાં છે. પણ કોઇ ખુલીને તેનાથી છુટકારો મેળવવાની વાત નથી કરતા.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.