4 વર્ષમાં દરેક ટુ વ્હીલર અને થ્રી વ્હીલર ઇલેક્ટ્રિક થઇ જશેઃ અમિતાભ કાંત

આવનારો સમય ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો જ માનવામાં આવી રહ્યો છે. ધીમે ધીમે ઇલેક્ટ્રિક ગાડીઓના વેચાણમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. પણ, નીતિ આયોગના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર અમિતાભ કાંતનું માનવું છે કે, આગામી ચાર વર્ષોમાં ભારતમાં દરેક ટુ વ્હીલર અને થ્રી વ્હીલર ગાડીઓને ઇલેક્ટ્રિક કરવાનો લક્ષ્ય લઇને ચાલવું જોઇએ. નીતિ આયોગના CEO અમિતાભ કાંતે આ વાત ઓટોમોટિવ કમ્પોનેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા એટલે કે, ACMAના વાર્ષિક કાર્યક્રમમાં કહી. નીતિ આયોગના અમિતાભ કાંતનું માનવું છે કે, ગ્રીન મોબિલિટીનો સમય આવવા જઇ રહ્યો છે અને આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ, ભારતનું ફોકસ શેર્ડ, કનેક્ટેડ અને ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટેશન મૂવમેન્ટ પર હોવું જોઇએ.

કાંતનું માનવું છે કે, ભારતના ઇલેક્ટ્રિફિકેશનની યાત્રા ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વિશે છે. તેનું કારણ એ છે કે, ભારતમાં વેચાનારી દરેક ગાડીઓમાં 80 ટકા હિસ્સો ટુ વ્હીલર અને થ્રી વ્હીલરનો છે. એવામાં નીતિ આયોગના CEO અમિતાભ કાંતે પહેલા 100 ટકા ઇલેક્ટ્રિફિકેશનની વાત કહી છે. અમિતાભ કાંત અનુસાર, આ લક્ષ્ય આગામી ચાર વર્ષમાં એટલે કે, વર્ષ 2026 સુધીમાં પુરો થઇ જવો જોઇએ. ઇલેક્ટ્રિક વ્હીકલની કિંમતમાં 40-45 ટકા હિસ્સો બેટરીનો હોય છે અને અમિતાભ કાંત અનુસાર, પાછલા કેટલાક વર્ષોમાં આ ઓછું થયું છે કે, જેના કારણે EVનું વેચાણ વધ્યું છે. આવનારા કેટલાક વર્ષોમાં તેને 100 ડૉલર પ્રતિ કિલોવોટની નીચે લાવવાનો લક્ષ્ય છે.

વાહન ડીલરોના સંગઠન ફાડા અનુસાર, પાછલા નાણાંકીય વર્ષ, 2021-22માં ટુ વ્હીલર ઇલેક્ટ્રિક વાહનનોનું રીટેલ વેચાણ 2,31,338 યૂનિટ રહ્યું, જે 2021-21ના 41,046 યૂનિટના આંકડાની સરખામણીમાં પાંચ ગણું વધારે છે. જ્યારે, સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટો મેન્યુફેક્ચરર્સ (SIAM) અનુસાર, નાણાંકીય વર્ષ 2021-22માં ટુ વ્હીલર વાહનોનું ઘરેલુ વેચાણ 1,34,66,412 યૂનિટ્સ રહ્યું અને થ્રી વ્હીલર ગાડીઓનું વેચાણ 2,60,995 યૂનિટ્સ રહ્યું.

તેની સાથે સાથે ઇલેક્ટ્રિક ફોર વ્હીલર્સ અને ઇલેક્ટ્રિક કોમર્શિયલ વ્હીકલ્સનું પણ વેચાણ ધીમે ધીમે ગતિ પકડી રહ્યું છે. તેમના કહેવા અનુસાર, ઇલેક્ટ્રિફિકેશન માટે ઇલેક્ટ્રિક વ્હીકલ્સના ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવું જોઇએ. તેના માટે સરકાર ઘણી બધી કંપનીઓ સાથે મળીને ચાર્જિંગ સ્ટેશનના વિકાસ માટે ઘણી બધી યોજનાઓ પર કામ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.