ઇન્ફોસિસે પોતાના કર્મચારીઓની લીધી પરીક્ષા, ફેલ થયેલા આટલા લોકોને કાઢી નાખ્યા

આર્થિક મંદીના કારણે આખી દુનિયામાં કંપનીઓ છંટણી કરી રહી છે. ગૂગલ, માઇક્રોસોફ્ટ, અમેઝોન જેવી મોટી ટેક કંપનીઓ બાદ હવે ભારતની દિગ્ગજ IT કંપની ઇન્ફોસિસે પણ છંટણી કરી છે. ઇન્ફોસિસે પોતાના 600 કરતા વધુ કર્મચારીઓએ કાઢી દીધા છે. રિપોર્ટ્સ મુજબ કંપનીએ ફ્રેશર્સ માટે એક ઇન્ટરનેશનલ ફ્રેશર એસેસમેન્ટ (FA) રાખ્યું હતું. જો કે, કંપની તરફથી અત્યાર સુધી કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. બિઝનેસ ટૂડેના રિપોર્ટ મુજબ, ઑગસ્ટ 2022માં કંપનીમાં જોઇન્ટ કરવામાં આવેલા એક ફ્રેશરે જણાવ્યું કે, મેં ગયા વર્ષે ઑગસ્ટમાં ઇન્ફોસિસમાં કામ કરવાની શરૂઆત કરી હતી અને મને SAP-ABAP સ્ટ્રીમ માટે ટ્રેનિંગ આપવામાં આવી હતી.

તેણે કહ્યું કે, મારી ટીમના 150 લોકોએ ફ્રેશર એસેસમેન્ટની પરીક્ષા આપી હતી, જેમાંથી 60 લોકો પાસ થયા હતા. બાકી અમને બધાને 2 અઠવાડિયા માટે ટર્મિનેટ કરી દેવામાં આવ્યા હતા. ગત બેચ (જુલાઇ 2022માં અનબોર્ડ માટે કરવામાં આવેલા ફ્રેશર્સ) માટે 150 ફ્રેશર્સમાંથી 85 ફ્રેશર્સને ટર્મિનેટ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ્સ મુજબ ઇન્ફોસિસે ઇન્ટરનલ પરીક્ષામાં ફેલ થનારા અત્યાર સુધી 600 કરતા વધુ કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે.

બે અઠવાડિયા પહેલા ફ્રેશર્સમાં ફેલ થનારા 208 ફ્રેશર્સને કાઢી મૂકવામાં આવ્યા હતા. થોડા મહિનાઓને મળાવીને 600 કરતા વધુ કર્મચારીઓને નોકરીથી હાથ ધોવા પડ્યા છે. કાઢવામાં આવેલા કર્મચારીઓનો દાવો છે કે, જુલાઇ 2022 પહેલા કંપનીમાં સામેલ થનારા નવા લોકોને ઇન્ટરનલ ટેસ્ટમાં ફેલ થયા બાદ ટર્મિનેટ કરવામાં આવ્યા નથી. તો કંપનીના એક રિપ્રેઝન્ટેટિવનું કહેવું છે કે ઇન્ટરનલ ટેસ્ટમાં ફેલ થયા બાદ કર્મચારીઓને હંમેશાં ટર્મિનેટ કરવામાં આવે છે.

આ ડેવલપમેન્ટ ઓફર લેટર પ્રાપ્ત થયા બાદ 8 મહિનાથી કંપનીમાં સામેલ થવાની પ્રતિક્ષા કરી રહેલા ફ્રેશર્સની પૃષ્ટભૂમિમાં આવ્યું છે. એક વ્યક્તિએ જણાવ્યું કે, ભલે મારી પાસે ભારતની ટોપ IT કંપની ઇન્ફોસિસની નોકરીની ઓફર છે, પરંતુ મને મારું ભવિષ્ય સુરક્ષિત નજરે પડી રહ્યું નથી. લાંબી વેઇટિંગના કારણે પહેલાથી જ મારા રિઝ્યુમમાં એક વર્ષનો ગેપ થઇ ગયો અને મારી આવક પણ નથી. ઇન્ફોસિસે ઓનબોર્ડિંગની સમય સીમા પર પશુ જ સ્પષ્ટ કહ્યું નથી. ઉલ્લેખનીય છે કે 2 અઠવાડિયા પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે વિપ્રોએ ઇન્ટરનલ ટેસ્ટમાં ફેલ થનારા 800 ફ્રેશર્સને કાઢી દીધા છે. જો કે, કંપનીનું કહેવું છે કે તેણે 452 કર્મચારીઓને ટર્મિનેટ કર્યા છે.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.