ઓપ્શન સેલ પર 25 ટકા STT વધારવા પર બજારમાં મુંઝવણ, નાણાં મંત્રાલયે કરી ચોખવટ

કેન્દ્ર સરકારે  ફાયનાન્સ બિલમાં શુક્રવારે સુધારો કર્યો તેને કારણે શેરબજારના લોકો કલાકો સુધી ગોથા ખાઇ રહ્યા હતા કે, સરકારે કેટલો ટેક્સ વધાર્યો તે સમજ નથી પડતી. આખરે શેરબજારમાં ભારે હોબાળા પછી નાણાં મંત્રાલય સામે આવ્યું હતું અને સ્પષ્ટતા કરી હતી એ પછી બજારના લોકોને વાત ગળે ઉતરી હતી.

ફાઇનાન્સ બિલ 2023માં કરાયેલા સુધારા મુજબ, જો ટર્નઓવર 1 કરોડ રૂપિયા છે, તો ઓપ્શનનાના વેચાણ પર STT હવે 2100 રૂપિયા થશે. પહેલા તેની કિંમત 1700 રૂપિયા હતી. જેના કારણે લોકોમાં અસમંજસનો માહોલ સર્જાયો હતો. કારણ કે સરકારે 2016માં જ STT 1700 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા કરી દીધો હતો.

કેન્દ્ર સરકારે 24 માર્ચે એટલે કે શુક્રવારે ફાયનાન્શિલ બિલ 2023માં સુધારો કરીને ફ્યૂચર એન્ડ ઓપ્શનના વેચાણ પર સિક્યોરિટી ટ્રાન્ઝેકશન ટેક્સ (STT) લગાવવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આની પર કેટલો ટેક્સ લાગશે તેની પર કલાકોની મથામણ પછી નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી હતી કે 1 કરોડ રૂપિયાથી વધારેના ટર્નઓવર પર STT વધારીને 6250 રૂપિયા કરવામાં આવ્યો છે. પહેલાં એ 5,000 રૂપિયા લાગતો હતો. એ હિસાબે ગણતરી કરો તો  STTમાં 25 ટકાનો વધારો થયો છે.

આજે જ્યારે ફાયનાન્શિલ બિલ 2023માં સુધારો કરવામાં આવ્યો તેના મુજબ જો તમારું ટર્નઓવર 1 કરોડ રૂપિયા છે તો ઓપ્શન સેલ પર STT 2100 રૂપિયા લાગશે. પહેલા આ 1700 રૂપિયા લાગતો હતો. આ વાતથી બજારમાં મુંઝવણની સ્થિતિ પેદા થઇ ગઇ હતી કે. કારણ કે, સરકારે વર્ષ 2016માં જ STT 1700 રૂપિયાથી વધારીને 5,000 રૂપિયા કરી દીધો હતો.

એ વચ્ચે જો ટર્નઓવર 1 કરોડ રૂપિયા હોય તો ફ્યૂચર સેલ પર 1200 રૂપિયા STT લાગશે જે પહેલાં 1,000 રૂપિયા હતો.

STTના વધારા પર પોતાની પ્રતિક્રિયા આપતા Zerodhaના ફાઉન્ડર નિખિલ કામતે ટ્વીટ કરીને કહ્યું હતું કે,  STT, એક્સચેન્જ ચાર્જ, સ્ટેમપ ડયૂટી, GST, બ્રોકરેજ અને તેમાં પાછો સેબીનો ચાર્જ અલગથી. એ પછી પણ જો કોઇ નફો કમાઇ છે તે સૌથી વધારે ઇન્કમ ટેક્સ ચૂકવે છે. એ પછી આપણને પરેશાની થાય છે કે ટ્રેડર્સ માટે પ્રોફિટેબલ રહેવાનું કેમ મુશ્કેલ છે.

સરકારે સિકયોરિટી ટ્રાન્ઝેકશન ટેક્સ પહેલી વખત 2004માં લગાવ્યો હતો. શેરબજારમાં અલગ- અલગ પ્રકારના વહેવાર પર આ ટેક્સ નાંખવામાં આવ્યો હતો. શેરબજારમાં થયેલા કોઇ પણ ટ્રાન્ઝેકશન જેમાં ઇક્વિટી અથવા ઇક્વિટી ડેરિવેટીવ્ઝ જેવા ફ્યૂચર એન્ડ ઓપ્શન સામેલ છે. તેની પર STT લાગે છે. આ બિલકુલ મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્ઝેકશનની જેમ જ લાગે છે.

About The Author

Related Posts

Top News

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.