BharatPeના પૂર્વ MD અશનીર અને તેની પત્ની પર FIR દાખલ, 81 કરોડ રૂપિયા...

દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ 10 મે (બુધવાર)ના રોજ BharatPe ના પૂર્વ પ્રબંધ નિદેશક અશનીર ગ્રોવર અને તેની પત્ની માધુરી જૈન ગ્રોવર વિરુદ્ધ છેતરપિંડીના આરોપમાં FIR દાખલ કરાવી છે. અશનીર ગ્રોવર અને તેની પત્ની ઉપરાંત, દીપક ગુપ્તા, સુરેશ જૈન અને શ્વેતાંક જૈન સહિત પરિવારના સભ્યો વિરુદ્ધ પણ FIR દાખલ કરાવવામાં આવી છે. આ FIR 81 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડીના આરોપમાં દાખલ કરાવવામાં આવી છે.

તેમા સામેલ પક્ષો વિરુદ્ધ ગંભીર આપરાધિક અપરાધોની આઠ ધારાઓ અંતર્ગત FIR દાખલ કરાવવામાં આવી છે. જેમા 409 (લોક સેવક, અથવા બેંકર, વેપારી અથવા એજન્ટ દ્વારા વિશ્વાસનું આપરાધિક ઉલ્લંઘન), 420 (છેતરપિંડી અને બેઈમાનીથી સંપત્તિની ડિલીવરી માટે પ્રેરિત કરવું), 467 (બહુમૂલ્ય સુરક્ષા, વારસાઈ વગેરેની છેતરપિંડી), 120B (આપરાધિક ષડયંત્ર) અને અન્ય ધારાઓ સામેલ છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, FIRમાં કહેવામાં આવ્યું છે કે, ઈઓડબ્લ્યૂને ફરિયાદ મળી છે અને કથિત વ્યક્તિઓ વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરવામાં આવી. ફરિયાદ અને અત્યારસુધીની કરવામાં આવેલી તપાસમાં ધારા 406/ 408/ 409/ 420/ 467/ 468/ 471/ 120B IPC (ભારતીય દંડ સંહિતા) અંતર્ગત પ્રથમ દ્રષ્ટિમાં દંડનીય અપરાધનો મામલો બને છે.

ગત છ મહિના દરમિયાન અશનીર ગ્રોવરનું નામ પાંચ કેસોમાં સામેલ રહ્યું છે. જાન્યુઆરી, 2022માં નાણાકીય અનિયમિતતાઓના આરોપ સામે આવ્યા બાદ તે BharatPe સાથે કાયદાકીય લડાઈમાં ફસાયા છે. ગ્રોવરને ગત વર્ષે માર્ચમાં કંપનીમાંથી કાઢી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2022માં દિલ્હી સ્થિત ફિનટેક યૂનિકોર્ને ગ્રોવર અને તેના પરિવાર વિરુદ્ધ દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખામાં એક આપરાધિક ફરિયાદ દાખલ કરાવી હતી, જેમા 81.28 કરોડ રૂપિયાની છેતરપિંડી, વિશ્વાસનું આપરાધિક ઉલ્લંઘન, ષડયંત્ર, દગો અને પુરાવા નષ્ટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

તે જ મહિને BharatPeએ દિલ્હી હાઈકોર્ટમાં એક દીવાની કેસ પણ દાખલ કરાવ્યો હતો, જેમા અશનીર ગ્રોવર અને તેના પરિવાર દ્વારા વિવિધ મદોમાં થયેલા નુકસાનને લઇને 88.67 કરોડ રૂપિયા કરતા વધુની વસૂલીની માંગ કરવામાં આવી હતી.

BharatPe માં સિંગાપોરમાં મધ્યસ્થતાનો દાવો દાખલ કરવામાં આવ્યો હતો જેથી અશનીર ગ્રોવરને આપવામાં આવેલા પ્રતિબંધિત શેરો (1.4 ટકા) ને પાછા લઈ શકાય અને તેને કંપનીના સંસ્થાપકના હોદ્દાનો ઉપયોગ કરવાથી રોકી શકાય. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં કોલાડિયાએ ડિસેમ્બર 2018માં ટ્રાન્સફર કરવામાં આવેલા શેરોને પોછા લેવા માટે અશનીર ગ્રોવર પર કેસ દાખલ કર્યો હતો.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.