Foxconnએ વેદાંતાને આપ્યો મોટો ઝટકો, કારણ બતાવ્યા વિના આચનક તોડી ડીલ

દિગ્ગજ ભારતીય બિઝનેસમેન અનિલ અગ્રવાલની કંપની વેદાંતા લિમિટેડ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતને સેમીકંડક્ટર મેન્યૂફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં આગળ વધવાને ધ્યાનમાં લઈને તાઇવાનની કંપની Foxconn સાથે કરવામાં આવેલી ડીલ તૂટી ગઈ છે. વેદાંતા સાથે મળીને સેમીકંડક્ટર પ્લાન્ટ લગાવવા માટે આ કરાર કરવામાં આવ્યો હતો, જેનાથી હવે Foxconnએ પોતાના પગ પાછળ ખેચી લીધા છે. ગયા વર્ષે જ બંને કંપનીએ ગુજરાતમાં 19.5 અબજ ડોલર (લગભગ 1.5 લાખ કરોડ રૂપિયા)ના રોકાણ સાથે સેમીકંડક્ટર અને ડિસ્પ્લે પ્રોડક્શન પ્લાન્ટની જાહેરાત કરી હતી.Foxconnએ સોમવારે કહ્યું કે, તે વેદાંતા લિમિટેડ સાથે એક સંયુક્ત ઉદ્યમથી બહાર નીકળી રહી છે જેનાથી ભારતથી સેમીકંડક્ટર બનાવવા માટે સ્થાપિત કરવામાં આવ્યું હતું. ઈલેક્ટ્રોનિક્સ નિર્માતાએ આ ડીલને કોઈ કારણ બતાવ્યા વિના જ તોડી દીધી છે. કંપની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે Foxconnએ નક્કી કર્યું છે કે તે વેદાંતા સાથે જોઇન્ટ વેન્ચર પર કરવામાં આવેલી સમજૂતીને આગળ નહીં વધે. વેદાંતા સાથે ડીલ કેન્સલ થવાથી અનિલ અગ્રવાલના પ્લાનને મોટો ઝટકો લાગ્યો છે.

જો કે, કંપનીએ તેને એક સારો અનુભવ બતાવતા Foxconn ભારતના સેમીકંડક્ટર વિકાસની દિશાને લઈને આશાન્વિત છે. અમે સરકારની ‘મેક ઇન ઈન્ડિયા’ પહેલનું મજબૂતીથી સમર્થન કરતા રહીશું. તાઇવાની ઈલેક્ટ્રોનિક્સ નિર્માતાએ કહ્યું કે Foxconn હવે વેદાંતાની પૂર્ણ સ્વામિત્વવાળી એકાઈ સાથે Foxconn નામને હટાવવા માટે કામ કરી રહી છે. સેમીકંડક્ટર વિચારને વાસ્તવિકતામાં લાવવા માટે વેદાંતા સાથે એક વર્ષ કરતા વધુ સમય સુધી કામ કર્યું હતું, પરંતુ હવે આ કરારને સમાપ્ત કરવાનો પારસ્પરિક નિર્ણય લીધો હતો.

આ અગાઉ શુક્રવારે અનિલ અગ્રવાલની વેદાંત ગ્રુપ તરફથી કહેવામાં આવ્યું હતું કે, તેઓ જોઇન્ટ વેન્ચર હોલ્ડિંગ કંપનીની ટેકઓવર કરશે, જેણે Foxconn સાથે સેમીકંડક્ટર બનાવવા માટે કરાર કર્યો હતો. તે ડિસ્પ્લે ગ્રાસ મેન્યૂફેક્ચરિંગ વેન્ચરનું પણ વૉલકેન ઇન્વેસ્ટમેન્ટ પાસેથી ટેકઓવર કરશે. તાઇવાની કંપની Foxconnએ સેમીકંડક્ટર બનાવવાને લઈને વેદાંતા સાથે જોઇન્ટ વેન્ચરથી બહાર નીકળવાની જાહેરાત કરી, ત્યારબાદ આ બાબતે IT મંત્રીની તુરંત પ્રતિક્રિયા આવી.

IT મિનિસ્ટર રાજીવ ચંદ્રશેખરે એક ટ્વીટ કરીને કહ્યું કે, વેદાંતા સાથે પોતાના JVથી હટવાના Foxconnના આ નિર્ણયની ભારતના સેમીકંડક્ટર ફેબ લક્ષ્યો પર કોઈ અસર નહીં થાય. JV VFSLએ મૂળ રૂપે 28 NMના લાઇસન્સ માટે અરજી કરી હતી, તેઓ આ પ્રસ્તાવ માટે ઉપયુક્ત ટેક પાર્ટનર ન ભેગા કરી શક્યા. તો આ ડીલ સમાપ્ત થયા બાદ અનિલ અગ્રવાલના નેતૃત્વવાળી કંપની વેદાંતા તરફથી પણ એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. વેદાંતા મુજબ, તે સેમીકંડક્ટર પ્રોજેક્ટ માટે પ્રતિબદ્ધ છે અને ભારતના પહેલા સેમીકંડક્ટર પ્રોજેક્ટ માટે અન્ય પાર્ટનર્સ પણ શોધ્યા છે. કંપનીએ જલદી જ 28 NMનું લાઇસન્સ મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.