આ સરકારી કંપનીને ગુજરાત મેટ્રોનો ઓર્ડર મળ્યો, શેરનો ભાવ 6 મહિનામાં 140 ટકા વધ્યો

જાહેર ક્ષેત્રની એક કંપનીના શેરનો ભાવ છેલ્લાં 6 મહિનામાં અધધધ વધ્યો છે. આ શેરમાં રોકાણકાર કરનારાઓને બખ્ખાં થઇ ગયા છે. 6 મહિનામાં શેરનો ભાવ 140 ટકા જેટલો વધ્યો છે અને 3 વર્ષમાં 470 ટકા જેટલો ઉછળી ગયો છે. કંપનીએ તાજેતરમાં BSEને જાણ કરી છે કે, કંપનીને ગુજરાત મેટ્રો કોર્પોરેશન તરફથી મોટો ઓર્ડર મળ્યો છે.

સરકારી કંપની રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) એ જણાવ્યું છે કે તેને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન તરફથી મોટો ઓર્ડર મળ્યો છે. કંપનીને ગુજરાત મેટ્રો પાસેથી મળેલો આ પ્રોજેક્ટ રૂ. 166 કરોડનો છે. આ પ્રોજેક્ટ 22 મહિનામાં પૂરો કરવાનો છે. સરકારી કંપનીએ BSE ફાઇલિંગમાં જણાવ્યું છે કે રેલ વિકાસ નિગમ-ISC પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ JV ને લેટર ઑફ એક્સેપ્ટન્સ (LOA) મળ્યો છે. આ LOA એલિવેટેડ અને અંડર ગ્રાઉન્ડ વિભાગોમાં સરથાણાથી ડ્રીમ સિટી સુધીના બેલાસ્ટલેસ ટ્રેકની ડિઝાઇન, સપ્લાય ઇન્સ્ટોલેશન, પરીક્ષણ અને કમિશનિંગ માટે છે.

સરકારી કંપની RVNLના શેરની વાત કરીએ તો છેલ્લાં 6 મહિનામાં જ આ શેરે રોકાણકારોને 140 ટકા જેટલું રિટર્ન આપ્યું છે. મતલબકે 6 મહિનામાં શેરનો ભાવ 140 ટકા વધ્યો છે. 6જુલાઇએ BSEમાં શેરનો ભાવ 30.35 રૂપિયા હતો જે આજે એટલે કે 6જાન્યુઆરીએ 73 રૂપિયા પર પહોંચી ગયો છે. RVNLનો 52 સપ્તાહનો સૌથી ઉંચો ભાવ 84.15 રૂપિયા છે જ્યારે 52 સપ્તાહનો સૌથી નીચો ભાવ 29 રૂપિયા છે.

 આ તો થઇ છ મહિનાના રિટર્નની વાત, પરંતુ આ જાહેર ક્ષેત્રની કંપનીનો છેલ્લો 3 વર્ષનો રેકોર્ડ જોઇએ તો રોકાણકારોને 470 ટકા વળતર મળ્યું છે. કંપનીના શેરનો ભાવ 27 માર્ચ 2020ના દિવસે BSEમાં 12.80 રૂપિયા હતો, જે આજે 73 રૂપિયા પર છે. હવે વાત કરીએ કે એક વર્ષમાં કેટલું રિટર્ન મળ્યું. તો આ કંપનીના શેરે 1 વર્ષમાં 107 ટકા વળતર આપ્યું છે.

RVNLનું માર્કેટ કેપ 15,210 કરોડ રૂપિયા છે. જુલાઇ- સપ્ટેમ્બર 2022ના ત્રિમાસિક ગાળામાં કંપનીની કુલ આવક રૂપિયા 4908.90 કરોડ હતી અને આ સમયગાળામાં ચોખ્ખો નફો 298.58 કરોડ રૂપિયા હતો

કંપનીને તાજેતરમાં માલદીવ તરફથી 1544 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો હતો. . આ કોન્ટ્રાક માલદીવમાં UTF હાર્બર પ્રોજેક્ટ માટે છે. રેલ વિકાસ નિગમ લિમિટેડ એ રેલ્વે મંત્રાલય હેઠળની કેટેગરી-1 મીની રત્ન CPSE છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.