દરેક સરકારી બેંકોના ખાનગીકરણ માટે 10 વર્ષની યોજના બનાવે સરકારઃ ડી સુબ્બારાવ

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર ડી સુબ્બારાવ દરેક સકારી બેન્કોના ખાનગીકરણ માટે સરકારને 10 વર્ષનો એક પ્લાન કે રૂપરેખા તૈયાર કરવા પર વિચાર કરવા કહી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ રૂપરેખા બેન્કિંગ ઇન્ડસ્ટ્રી સંબંધિત દરેક સ્ટેક હોલ્ડર્સને એક જરૂરી અનુમાન જડારી કરાવશે. સુબ્બારાવે આગળ કહ્યું કે, સરકારી બેન્કોના ખાનગીકરણ માટે મોટો અપ્રોચ અપનાવવાની જરૂર નથી, પણ સાથે જ આ મુદ્દાને ધ્યાન પર રાખવાની પણ જરૂર છે.

ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, આદર્શ રૂપથી અમારી પાસે દરેક સરકારી બેન્કોનું ખાનગીકરણ કરવા માટે કદાચ 10 વર્ષની સમયસીમામાં એક રૂપરેખા હોવી જોઇએ. તેનાથી દરેક સ્ટેકહોલ્ડર્સ કે હિતધારક સ્થિતિનું અનુમાન લગાવી શકાશે. સુબ્બારાવે કહ્યું કે, સરકારે સરકારી બેન્કોને કંપનીનું રૂપ આપવા વિશે પણ વિચારવું જોઇએ તે સમાન રિઝર્વ બેન્ક વિનિમયના દાયરામાં આવી જાય.

સુબ્બારાવ અનુસાર, સરકારી બેન્કોના ખાનગીકરણથી ભારતીય અર્થવ્યવસ્થા પર બે તરફથી અસર પડશે. તેમણે કહ્યું કે, સરકારી બેન્ક, સામાજિક ઉદ્દેશોને ચલાવવાના દાયિત્વથી મૂક્ત થઇને ખાનગી બેન્કો હેઠળ નફાને વધારવાનો પ્રયાસ કરશે. તેનાથી બેન્કિંગ સિસ્ટમની કુલ ક્ષમતા અ દક્ષતામાં સુધારો થશે.

તેમણે કહ્યું કે, જોકે, તેનાથી નાણાંકીય સમાવેશન અને ખેતી વાડી જેવા પ્રાઇમરી સેક્ટરને લોન આપવા જેવા સામાજિક ઉદ્દેશો અમુક હદ સુધી પ્રભાવિત થઇ શકે છે. નાણાંકીય વર્ષ 2021-22માં કેન્દ્રીય બજેટમાં, સરકારી બેન્કોના ખાનગીકરણની ઘોષણા કરી હતી અને સરકારી સ્વામિત્વ વાળી કંપનીઓમાં રણનીતિક વિનિવેશ નીતિને મંજૂરી આપી હતી. સરકારી થિંક ટેન્ક નીતિ આયોગ પહેલેથી ખાનગીકરણ અને વિનિવેશ માટે બનેલા સચિવોના કોક ગ્રુપને બે સરકારી બેન્કો અને એક વીમા કંપનીના ખાનગીકરણનો વિચાર આપી ચૂક્યા છે. વર્ષ 2020માં સરકારે 10 સરકારી બેન્કોને ચાર મોટી બેન્કોમાં વિલય કરી દીધો, જેનાથી સરકારી બેન્કોની સંખ્યા ઘટીને હવે 12 થઇ ગઇ છે.

સરકાર અન્ય સેક્ટરો જેવા કે, ડિફેન્સ, માઇનિંગ સેક્ટર્સમાં પણ વિનિવેશ માટે વિચાર કરી રહી છે. આ માટે કેન્દ્ર સરકારમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે યુનિયન બજેટમાં ડિસઇનવેસ્ટમેન્ટ માટેના પ્રસ્તાવો રજૂ કર્યા હતા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.