શું તમને PM નરેન્દ્ર મોદીના કારણે મળી છે સફળતા?, ગૌતમ અદાણીએ આપ્યો આ જવાબ

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માત્ર તેમની નેટવર્થ અથવા એમ કહો કે, રોકાણના કારણે લાઈમલાઈટમાં રહેતા નથી. તેમનું નામ PM નરેન્દ્ર મોદી સાથે પણ અનેક પ્રસંગોએ જોડવામાં આવ્યું છે. 2014થી, વિપક્ષે અનેક પ્રસંગો પર આરોપ લગાવ્યો છે કે, PM મોદી ગૌતમ અદાણી પ્રત્યે દયાળુ છે. દરેક મોટા પ્રોજેક્ટ તેમને જ આપવામાં આવી રહ્યા છે. હવે પહેલીવાર ગૌતમ અદાણીએ આ તમામ પ્રશ્નો પર એક ચેનલ સાથે વાત કરી છે. તેમના તરફથી એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે, તેમની સફળતા કોઈ એક સરકારના કારણે નથી, પરંતુ ઘણી સરકારોએ તેમાં યોગદાન આપ્યું છે.

ઈન્ડિયા ટુડે ગ્રુપના ગ્રૂપ એડિટોરિયલ ડિરેક્ટર (પ્રકાશન) રાજ ચેંગપ્પા સાથેની વાતચીતમાં ગૌતમ અદાણીએ કહ્યું છે કે, PM નરેન્દ્ર મોદી અને હું એક જ રાજ્યમાંથી આવીએ છીએ, તેથી મારા પર આવા પાયાવિહોણા આક્ષેપો કરવા સરળ બની જાય છે. હું મારી ઔદ્યોગિક યાત્રાને ચાર ભાગમાં વહેંચી શકું છું. ઘણા લોકોને જાણીને નવાઈ લાગશે કે, રાજીવ ગાંધી PM હતા ત્યારે મારી સફર શરૂ થઈ હતી, જ્યારે તેમણે એક્ઝિમ પોલિસીનો પ્રચાર કર્યો હતો અને ઘણી વસ્તુઓ પહેલીવાર OGL લિસ્ટમાં આવી હતી.આનાથી મારું એક્સપોર્ટ હાઉસ શરૂ થયું હતું. જો તે ન હોત તો મારી શરૂઆત આવી ન હોત. બીજી તક 1991માં આવી જ્યારે નરસિમ્હા રાવ અને મનમોહન સિંહે આર્થિક સુધારા શરૂ કર્યા.

તેઓ વધુમાં કહે છે કે, મારી સાથે ઘણા લોકોને તેનો લાભ મળ્યો. આ વિશે પહેલા પણ ઘણું લખાઈ ચૂક્યું છે. ત્રીજી તક 1995માં આવી જ્યારે કેશુભાઈ પટેલ ગુજરાતના CM બન્યા. ત્યાં સુધી માત્ર મુંબઈથી દિલ્હી સુધી NH-8 વિકસાવવામાં આવી હતી. તેમની દૂરંદેશી અને નીતિમાં ફેરફારથી મને મુંદ્રા ખાતે મારું પહેલું બંદર બનાવવાની તક મળી. ચોથી તક 2001માં આવી જ્યારે CM નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિકાસની દિશા બતાવી. તેમની નીતિઓને કારણે ગુજરાતમાં અવિકસિત વિસ્તારોના વિકાસની સાથે આર્થિક પરિવર્તન પણ આવ્યું. તેનાથી ઉદ્યોગ અને રોજગારનો વિકાસ થયો.

આજે PM નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ જ કામ કરી રહ્યા છે. મારી વિરૂદ્ધ આવી વાતો કહેવામાં આવે છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. આ બધું પાયાવિહોણું અને અમારી પ્રગતિ સામે પક્ષપાત છે. સત્ય તો એ છે કે અમારી સફળતા કોઈ એકના કારણે નથી પરંતુ ત્રણ દાયકામાં અનેક સરકારોના નીતિ પરિવર્તનને કારણે છે.

હવે આ પ્રશ્નનો પર તો અદાણી દ્વારા બેફામ જવાબ આપી જ દેવામાં આવ્યો, જ્યારે તેમને તેમની સફળતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ટૂંકમાં કહ્યું કે, ગૌતમ અદાણી લોકતાંત્રિક ભારતની ઉપજ છે અને તે ક્યારેય હાર માની લેવાની અદાણી સંસ્કૃતિનો ભાગ નથી. હવે જ્યારે અદાણીએ અપાર સફળતા હાંસલ કરી જ છે, વર્ષ 2022 તો તેમના માટે ઘણી રીતે ખાસ રહ્યું છે. જ્યારે ગૌતમ અદાણીને પૂછવામાં આવ્યું કે વર્ષ 2022 તેમના માટે કેવું રહ્યું, તો તેમણે કહ્યું કે, 2022 ઘણા કારણોસર ખાસ હતું. અમારો અદાણી વિલ્મરનો IPO સફળ રહ્યો અને આ સાથે અદાણી વિલ્મર અમારા જૂથની સાતમી લિસ્ટેડ કંપની બની ગઈ છે.

તેણે કહ્યું કે, તેઓ એક યોજના પ્રમાણે કામ કરે છે. પહેલા બિઝનેસ મોડલ હેઠળ કંપની શરૂ કરે છે, પછી કંપનીને નફાકારક બનાવે છે અને પછી તેને શેરબજારમાં લિસ્ટ કરાવે છે. આ IPO પણ તેનું જ ઉદાહરણ છે.

અહીં જાણકારી માટે તમને જણાવી દઈએ કે, આજે 60 વર્ષીય ગૌતમ અદાણી, જેને દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ટાયકૂન કહેવામાં આવે છે, તેમણે માત્ર 16 વર્ષની ઉંમરે બિઝનેસમાં હાથ અજમાવવા માટે મુંબઈ જવું પડ્યું હતું. વર્ષ 1978માં તેઓ મુંબઈ ગયા અને હીરાનો ધંધો શરૂ કર્યો, પરંતુ લગભગ ત્રણ વર્ષ પછી 1981માં તેઓ ગુજરાત પાછા ફર્યા અને તેમના ભાઈની પ્લાસ્ટિક ફેક્ટરીમાં કામ કરવા લાગ્યા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.