જયંતિ ચૌહાણે પિતાનો બિસલેરીનો બિઝનેસ સંભાળી લીધો, ટાટા સાથે ડીલ રદ્દ

PC: aajtak.in

બોટલ બંધ પાણીની કંપની બિસલેરી છેલ્લા ઘણા સમયથી સમાચારોમાં છે. ગયા વર્ષે નવેમ્બરમાં કંપનીને વેચવાની તૈયારી ચાલી રહી હતી. કંપનીના માલિક રમેશ ચૌહાણ પોતાની કંપની બિસ્લેરીને વેચવા માંગતા હતા. કારણ આપવામાં આવ્યું હતું કે, તેમની પાસે કંપનીને સંભાળવાવાળું કોઈ ઉત્તરાધિકારી નથી. તેમની એકમાત્ર પુત્રી જયંતિ ચૌહાણ આ પાણીના ધંધામાં વધુ રસ લેતી નથી, તેથી તેઓ પોતાનો ધંધો વેચવા માંગતા હતા. 82 વર્ષીય રમેશ ચૌહાણે આ માટે Tata સાથે વાતચીત પણ શરૂ કરી હતી, પરંતુ હવે તેમના પર બ્રેક લગાવી દેવામાં આવી છે. ટાટા અને બિસ્લેરી સોદાના મૂલ્યાંકન પર વાટાઘાટો કરી શક્યા ન હતા. ટાટા સાથેની ડીલ કેન્સલ કર્યા બાદ બિસલેરી ફરી સમાચારમાં છે.

આ ડીલ રદ્દ થયા બાદ એક મોટી વાત સામે આવી છે. આ સમાચાર બિસ્લેરી માટે જીવન દાન સમાન છે. જે કંપની અત્યાર સુધી વેચવાના મૂડમાં હતી તેને હવે તેનો અસલી ઉત્તરાધિકારી મળી ગયો છે.

બિસલેરી ઈન્ટરનેશનલના ચેરમેન રમેશ ચૌહાણની પુત્રી જયંતિ ચૌહાણ હવે બોટલ બંધ પાણીની કંપનીના વડા બનશે. અહીં જણાવી દઈએ કે, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (TCPL) સાથે અધિગ્રહણની વાતચીત પૂર્ણ થયા બાદ કંપનીએ જયંતિને નેતૃત્વ સોંપવાનો નિર્ણય કર્યો છે. બિસ્લેરીના ચેરમેન રમેશ ચૌહાણે મીડિયાને કહ્યું છે કે જયંતિ અમારી પ્રોફેશનલ ટીમ સાથે કંપની ચલાવશે અને હવે અમે અમારો બિઝનેસ વેચવા માંગતા નથી.

42 વર્ષની જયંતિ ચૌહાણ હાલમાં બિસ્લેરી ઈન્ટરનેશનલના વાઇસ-ચેરપર્સન છે, જે તેના પિતા દ્વારા પ્રમોટ કરવામાં આવતી અને ઉત્પાદિત કંપની છે. આ બાબતની જાણકારી ધરાવતા લોકોએ કહ્યું કે, તે ચીફ એક્ઝિક્યુટિવ એન્જેલો જ્યોર્જના નેતૃત્વમાં પ્રોફેશનલ મેનેજમેન્ટ ટીમ સાથે કામ કરશે.

જયંતિ ચૌહાણે પોતાનું બાળપણ દિલ્હી, મુંબઈ અને ન્યુયોર્ક જેવા શહેરોમાં વિતાવ્યું છે. હાઇસ્કૂલ પછી, તેણે લોસ એન્જલસમાં FIDM (ફેશન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન એન્ડ મર્ચેન્ડાઇઝિંગ) ખાતે ઉત્પાદન વિકાસનો અભ્યાસ કર્યો. જયંતીએ લંડન કોલેજ ઓફ ફેશનમાંથી ફેશન સ્ટાઇલીંગ અને ફોટોગ્રાફીનો અભ્યાસ પણ કર્યો છે. જયંતિએ ઘણા અગ્રણી ફેશન હાઉસમાં ઈન્ટર્ન તરીકે પણ કામ કર્યું છે. તેણે લંડન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝ (SOAS)માંથી અરબી પણ શીખી છે.

24 વર્ષની ઉંમરે, જયંતિ ચૌહાણે તેના પિતા સાથે બિસ્લેરીની દિલ્હી ઓફિસમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેના શરૂઆતના દિવસોમાં, જયંતીએ બિસ્લેરીના પ્લાન્ટ રિનોવેશન અને પ્રોસેસ ઓટોમેશન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે કંપનીના માનવ સંસાધન વિભાગ (HR) તેમજ વેચાણ અને માર્કેટિંગ ટીમમાં નોંધપાત્ર ફેરફારો કર્યા. વર્ષ 2011માં જયંતિ દિલ્હીથી મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી. હિમાલયની વેદિકા નેચરલ મિનરલ વોટર, ફિજી ફ્રુટ ડ્રિંક્સ અને બિસ્લેરી હેન્ડ પ્યુરીફાયર બિઝનેસ જેવી બિસ્લેરીની નવી બ્રાન્ડને ચલાવવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp