જાણો કોણ છે માયા ટાટા, જે બની શકે છે ટાટા ગ્રુપની ઉત્તરાધિકારી

ટાટા ગ્રુપ દેશના અગ્રણી ઔદ્યોગિક ગૃહોમાંનું એક છે. તે સોયથી લઈને વહાણ સુધીની દરેક વસ્તુ બનાવવામાં નિષ્ણાત છે. તેમની ઘણી કંપનીઓ અલગ-અલગ નામે અલગ-અલગ પ્રકારના બિઝનેસ કરી રહી છે.

અબજોની બજાર કિંમત ધરાવતા આ જૂથનો આગામી વારસ કોણ હશે તે લગભગ નક્કી થઈ ગયું છે. રતન ટાટાની નિવૃત્તિ પછીથી જ આ અંગે અટકળો શરૂ થઈ ગઈ હતી. આ ગ્રુપની કમાન એક મહિલાના હાથમાં જવાની છે, જેનું નામ છે માયા ટાટા. આવો આજે અમે તમને આ સાથે જોડાયેલી તમામ માહિતી જણાવીએ...

ટાટા ગ્રુપની વારસદાર માયા ટાટા આ ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ રતન ટાટાની ભત્રીજી છે. તે તેના સાવકા ભાઈ નોએલ ટાટા અને તેની પત્ની આલુ મિસ્ત્રીની પુત્રી છે. 34 વર્ષની માયા ટાટા ગ્રુપમાં ઘણા મહત્વના હોદ્દા પર છે. તેઓ લાઈમ લાઈટથી દૂર રહે છે. ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી તેમના મામા છે.

થોડા સમય પહેલા તે ટાટા મેડિકલ સેન્ટર ટ્રસ્ટની બોર્ડ મીટિંગમાં જોવા મળી હતી. માયા ટાટા, લેહ અને નેવિલ ટાટા આ ટ્રસ્ટના બોર્ડ મેમ્બર છે. રતન ટાટાના માર્ગદર્શન હેઠળ માયા ટાટાને આગળ લઈ જવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માયા ટાટા ટાટા ગ્રુપની કમાન સંભાળશે.

માયા ટાટાએ UKની બેયસ બિઝનેસ સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. આ પછી, તેમણે ટાટા કેપિટલની પેટાકંપની ટાટા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ દ્વારા બિઝનેસના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. અહીં તેણે કોર્પોરેટ જગતમાં પોતાની ક્ષમતા સાબિત કરી. માયાએ ફંડના રોકાણકારો અને કંપનીના પોર્ટફોલિયોના વિસ્તરણમાં મદદ કરી.

આ પછી તેણે ટાટા ડિજિટલમાં પ્રવેશ કર્યો. અહીં માયાએ N ચંદ્રશેકરનના નેતૃત્વમાં ટાટા ડિજિટલ માટે રૂ. 1,000 કરોડની રકમ મેળવી. ટાટાના ડિજિટલ વિશ્વને આગળ લઈ જવામાં માયાની મોટી ભૂમિકા છે. તેમના આગમન પછી, ભારતની પ્રખ્યાત શોપિંગ એપ Tata Neu લોન્ચ કરવામાં આવી હતી. અહીંથી ખબર પડી ગઈ કે માયા નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બિઝનેસ વધારવામાં કેટલી સક્ષમ છે.

માયા ટાટાના માર્ગદર્શક રતન ટાટા છે. તેમની સફળતામાં રતન ટાટાના માર્ગદર્શનની પણ ભૂમિકા હતી. તે જે રીતે વ્યવસાયને સમજે છે અને દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહી છે, તે દર્શાવે છે કે તેની નસોમાં લોહી ને બદલે વ્યવસાય જ દોડી રહ્યો છે. જે ટાટા પરિવારના સભ્યોનો પરંપરાગત વારસો રહ્યો છે.

એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, માયા ટાટાના નેતૃત્વમાં અબજ ડોલરનું ટાટા ગ્રૂપ નવા શિખરો સર કરશે અને નવી ઊંચાઈઓને સ્પર્શશે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.