LICના ચેરમેને અદાણી ગ્રુપ વિશે આપ્યું મોટું નિવેદન, ગૌતમ અદાણી માટે રાહત

અદાણી ગ્રુપની કંપનીમાં ચાલી રહેલી આલોચના વચ્ચે LICએ ઓકટોબર-ડિસેમ્બર 2022ના ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કર્યા છે. પરિમામ જાહેર કરવાની સાથે LICના ચેરમેને અદાણી ગ્રુપ માટે મહત્ત્વનું નિવેદન પણ આપ્યું છે, જે ગૌતમ અદાણીને મુશ્કેલીમાં થોડી રાહત આપી શકે તેવું છે. LICએ આ ત્રિમાસિક ગાળામાં 8334.2 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે. જે ગયા વર્ષે આ સમાન ગાળામાં માત્ર 235 કરોડ રૂપિયાનો નફો હતો. જો કે આની પહેલાના એટલે સપ્ટેમ્બર 2022ના રોજ પુરા થતા ત્રિમાસિક ગાળામાં LICનો ચોખ્ખો નફો 15, 952 કરોડ રૂપિયા હતો. તેની સરખામણીએ જોઇએ તો આ ક્વાર્ટરમાં નફો ઘટ્યો છે.

LICના ચેરમેન  એમ. આર કુમારે પરિણામ જાહેર થયા પછી નિવેદન આપતા કહ્યુ હતું કે, LIC અદાણી ગ્રુપમાં કરેલું રોકાણ ઘટાડવાની નથી. ચેરમેને કહ્યું કે, અમે સમયાતંરે અમારા રોકાણનો રિવ્યુ કરતા રહીશું. LICનું અદાણી ગ્રુપમાં રોકાણને કારણે કોંગ્રેસે ભારે હોબાળો મચાવ્યો હતો અને પોલીસી હોલ્ડર્સમાં પણ ચિંતા હતી કે LICનું અદાણીમાં ઇન્વેસ્ટમેન્ટ ક્યાંક ડુબી ન જાય. આ બધા વચ્ચે જયારે  LICએ અદાણીમાં રોકાણ નહીં ઘટાડવાની વાત કરી છે તે ખરેખર ગૌતમ અદાણી માટે રાહતના સમાચાર છે.

અદાણી ગ્રૂપમાં LIC ના રોકાણ વિશે વાત કરતા, એલઆઈસી ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરતી વખતે અદાણી ગ્રૂપમાં LIC ના રોકાણ વિશે કહેવામાં આવ્યું હતું કે તેની કુલ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM)ના માત્ર 0.97 ટકા અદાણી ગ્રુપની કંપનીમાં રોકાણ કરવામાં આવ્યું છે. બીજી તરફ, કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ભાગવત કિસનરાવ કરાડે 7 ફેબ્રુઆરી, 2023 ના રોજ સંસદમાં આપવામાં આવેલી માહિતીમાં કહ્યું હતું કે, LIC એ અદાણી જૂથની તમામ કંપનીઓમાં 30,127 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

LICની 2022ના ડિસેમ્બર મહિનામાં પુરા થતા ત્રિમાસિક ગાળામાં પ્રીમીમયની ચોખ્ખી આવક 1,11,787.6 કરોડ રૂપિયા થઇ છે, જે ગયા વર્ષે આ સમાન ગાળામાં રૂપિયા 97.620.34 કરોડ રૂપિયા હતી.

અમેરિકાની હિંડનબર્ગ રિસર્ચ કંપનીએ 24 જાન્યુઆરી 2023ના દિવસે એક રિપોર્ટ જાહેર કર્યો હતો જેને કારણે અદાણી ગ્રુપ કંપનીના બધા શેરોમાં મોટા ગાબડાં પડી ગયા હતા અને ગ્રુપના માર્કેટ કેપમાં 100 અબજ ડોલરનું ધોવાણ થઇ ગયું હતું.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.